By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઈરાન માટે આજે કયામતની રાત
    1 hour ago
    ઈરાનનો મોટો વળાંક: અમેરિકાની થાડ એર ડિફેન્સ સિસ્ટમ પર સફળ હુમલો, મિડલ ઈસ્ટમાં તણાવ વધ્યો
    4 hours ago
    ટ્રમ્પનો નવો પ્લાન! ઈરાનમાં ઘૂસશે અમેરિકન સેના? યુરેનિયમ અને તેલના ભંડાર પર છે નજર
    4 hours ago
    ચીનનો ૠઉઙ ગ્રોથ લક્ષ્યાંક 5%થી નીચે 2026 માટે 4.55%નો ટાર્ગેટ જાહેર
    1 day ago
    ટ્રમ્પને યુદ્ધ ભારે પડશે! ગલ્ફ દેશો અમેરિકામાંથી 2 ટ્રિલિયન ડૉલરનું રોકાણ પાછું ખેંચવાની તૈયારીમાં
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ડિજિટલ ફ્રોડનો શિકાર બનશો તો મળશે વળતર
    1 hour ago
    ખોટા સમયે ખોટી જગ્યાએ ફસાયા… હિંદ મહાસાગરમાં ઈરાનના જહાજ પર હુમલા મામલે જયશંકરનું મોટું નિવેદન
    3 hours ago
    AI સાથેના મોહમાં તૂટતા સંબંધો
    1 day ago
    સ્ટેડિયમમાં સેલેબ્સનો જમાવડો: રોહિત શર્માથી લઈ રણબીર કપૂર સુધીના સ્ટાર્સ ઉમટ્યા
    1 day ago
    ભારત T20 વર્લ્ડ કપના ફાઇનલમાં ત્રીજી વખત ચેમ્પિયન બનવાથી એક જીત દૂર
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત vs ન્યૂઝીલેન્ડ: અમદાવાદમાં T20 વર્લ્ડ કપ 2026ની ફાઈનલ, કોણ જીતશે ટાઈટલ?
    3 hours ago
    અભિષેક OUT, કુલદીપ IN..? ફાઈનલમાં ન્યૂઝીલેન્ડને ફસાવવા કેપ્ટન સૂર્યાએ રચ્યો ‘ચક્રવ્યૂહ’!
    3 hours ago
    ટી20 વર્લ્ડકપ ફાઈનલમાં મળશે ‘સરપ્રાઈઝ’? અમદાવાદમાં આ વખતે ‘હાઈબ્રિડ પિચ’
    3 hours ago
    સેમિ ફાઈનલ બાદ ભાવુક થયો સંજુ સેમસન, સંઘર્ષના દિવસો યાદ કરી કહ્યું – 9 મહિના કપરાં હતા
    1 day ago
    ટીમ ઈન્ડિયા સેમિ ફાઈનલમાં પહોંચે તો કોની સામે થશે ટક્કર, જાણો સંપૂર્ણ માહિતી
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    Dhurandhar 2 Trailer: પહેલા કરતા વધુ ખતરનાક ધુરંધર-2નું ટ્રેલર રિલીઝ, રણવીર છવાયો
    4 hours ago
    રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાના શાહી લગ્નમાં કેટલો થયો ખર્ચ? આંકડો જાણીને ચોંકી જશો
    1 day ago
    યુદ્ધ વચ્ચે દુબઈમાં ફસાઈ બોલિવૂડની જાણીતી અભિનેત્રી, આંખમાં આંસુ સાથે કહ્યું- મુંબઈ પરત આવવું છે
    2 days ago
    હોલિવૂડના ‘લાસ્ટ એક્શન હીરો’ ટૉમ નૂનનનું 74 વર્ષની વયે નિધન! સિનેમા જગતમાં માતમ
    2 weeks ago
    સલમાન ખાનના પિતા સલીમ ખાનની તબિયત લથડી, લીલાવતી હોસ્પિટલમાં દાખલ
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    3 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    3 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    4 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    5 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    5 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    4 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    4 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    4 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    4 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    5 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ભારતને વિશ્ર્વની સૌથી મોટી સર્વોત્તમ સંસદીય લોકશાહીની ભેટ ધરનાર સરદાર પટેલને શત શત નમન: રાજુ ધ્રુવ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > ભારતને વિશ્ર્વની સૌથી મોટી સર્વોત્તમ સંસદીય લોકશાહીની ભેટ ધરનાર સરદાર પટેલને શત શત નમન: રાજુ ધ્રુવ
ગુજરાતરાજકોટ

ભારતને વિશ્ર્વની સૌથી મોટી સર્વોત્તમ સંસદીય લોકશાહીની ભેટ ધરનાર સરદાર પટેલને શત શત નમન: રાજુ ધ્રુવ

Khaskhabar Editor
Last updated: 2022/12/15 at 5:22 PM
Khaskhabar Editor 3 years ago
Share
4 Min Read
SHARE

ભારત નિર્માતા સરદાર વલ્લભ પટેલની પુણ્યતિથિ નિમિત્તે ભાજપ અગ્રણી રાજુ ધ્રુવ દ્વારા શબ્દાંજલી

ભારતીય લોકશાહી-લોકતાંત્રિક વ્યવસ્થાના સર્જક-પિતા સરદાર પટેલના અધૂરા કાર્યો- સંકલ્પો વડાપ્રધાન નરેન્દ્ર મોદી પુરા-સાકાર કરી સરદારને સાચી અંજલિ આપી રહ્યા છે: રાજુ ધ્રુવ

- Advertisement -

ખાસ-ખબર સંવાદદાતા
15 મી ડિસેમ્બર એટલે દેશની લોકશાહી, એકતા અને અખંડિતતાના સર્જક-શિલ્પી લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પુણ્યતિથિ. આજના દિવસે સરદાર સાહેબને શ્રદ્ધાંજલિ આપતા સૌરાષ્ટ્ર- ભાજપ પ્રવક્તા રાજુભાઈ ધ્રુવે જણાવ્યું હતું કે, મુગલોથી માંડીને બ્રિટિશરો સુધીના વિદેશી શાસકો-તાનાશાહોના પગ તળે હજારો વર્ષની ગુલામી તેમજ અનેક ક્રૂર યાતનાઓ વેઠનાર ભારતની પ્રજાને અંગ્રેજ સરકાર-દેશી રાજાશાહીથી મુક્ત કરી વિશ્વની સૌથી મોટી સંસદીય લોકશાહી તરીકે અખંડ ભારતની ભેટ ધરનાર સરદાર પટેલ ને આજે સમગ્ર દેશ યાદ કરી રહ્યો છે.
દેશના ભાગલા પડ્યા ત્યારે સરદાર પટેલે આગવી સૂઝ-બૂઝ અને રાજકીય કૂનેહ વાપરીને 563 રજવાડાંઓનું વિલિનીકરણ કરવાનું ભગીરથ કાર્ય કર્યું અને ભારતને મહાન રાષ્ટ્રનો ઘાટ આપ્યો હતો.

તેમણે ઉમેર્યું છે કે સરદાર પટેલના અધૂરા કાર્યો સપનાના એક ભારત શ્રેષ્ઠ ભારતનું નિર્માણ વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કરી રહ્યા છે.

રાજુભાઈ ધ્રુવે વધુમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસને જીવંત રાખવા માટે પોતાનું સમગ્ર ખર્ચી નાખનાર સરદાર પટેલને ખુદ કોંગ્રેસ તેમજ નહેરૂ-ગાંધી પરિવારે હરહંમેશ અન્યાય જ કર્યો છે. હવે કોંગ્રેસ સરદાર સાહેબના નામે રાજનીતિ કરી છે. ચૂંટણી સમયગાળા પૂરતું સરદાર સાહેબનું નામ વટાવવું કે તેમના નામે ચરી ખાવું એ કોંગ્રેસને શોભા આપતું નથી.
જેમના લોહીના ટીપેટીપામાં રાષ્ટ્રની એકતા અખંડિતતા અને રાષ્ટ્ર સમર્પણ ઘોળાયેલ હતું એવા વિશ્વની સૌથી મહાન પ્રતિભા સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ગુજરાતમાં બનાવી તત્કાલીન ગુજરાતના મુખ્યમંત્રી અને વર્તમાન દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સરદારને યથોચિત્ત સર્વોત્તમ સન્માન આપવાના સ્તુત્ય નમ્ર પ્રયત્નો કર્યા છે. બીજી તરફ કોંગ્રેસીઓ સ્ટેચ્યૂ ઓફ યુનિટીના નિર્માણથી લઈ તેની મુલાકાત સુધી માત્ર વિરોધ અને ટિકા જ કરી છે. સરદાર વલ્લભભાઈ પટેલના નામે જ્ઞાતિ-જાતિની રાજનીતિ કરનાર કોંગ્રેસના ક્યાં મોટા નેતાએ સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત લીધી છે? એકપણ નહીં. અરે.. સરદાર પટેલ પ્રત્યે પ. નહેરુને જેટલી કટ્ટરતા ભરેલી કડવાશ હતી એટલી જ કટ્ટરતાપૂર્ણ કડવાશ આજે ગાંધી પરિવાર અને કોંગ્રેસ રાખી રહ્યું છે.

- Advertisement -

સરદાર વલ્લભભાઈ પટેલના અવસાન પછી 41 વર્ષે તેમને દેશનું સર્વોચ્ચ સન્માન મળ્યું! પ્રશ્ન એ થાય છે કે, જે રાજકારણીઓને 1991 પહેલાં ભારતરત્ન એવોર્ડ મળ્યા તે રાજકારણીઓ કરતાં સરદાર પટેલનું દેશ માટેનું યોગદાન શું ઓછું હતું? સરદાર પટેલની આટલી હદની અવગણના આપણા દેશની કોંગ્રેસી સરકારોએ શા માટે અને કયા કારણથી કરી એવો પ્રશ્ન હવે દેશની નવી પેઢી પણ પૂછી રહી છે. કોંગ્રેસના પાપ છાપરે ચડી પોકારવાના શરૂ થયા છે એટલે હવે સરદાર વલ્લભભાઈ પટેલ માટે નકલી અને દંભી વ્યવહાર કરી રહી છે પણ અંદરખાને આજે પણ સરદાર વલ્લભભાઈ પટેલ પ્રત્યે અભાવ અને સુગ દાખવી રહી છે.

દેશના સંખ્યાબંધ વિદ્વાનોનું માનવું છે કે, દેશના પ્રથમ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલ બન્યા હોત તો ચીન, તિબેટ, નેપાળ, કાશ્મીર, પાકિસ્તાન સહિતની ઘણીબધી સમસ્યાઓનો ઉકેલ ક્યારનોયે આવી ગયો હોત. આઝાદીના 75 વર્ષ પછી પણ દેશવાસીઓ – લોકો યાદ કરે છે કે ભારત જેવા પરાધીન રાષ્ટ્રની નવરચના અને બંધારણીય લોકશાહીના નિર્માણમાં સરદાર પટેલનું કેટલું મહાન યોગદાન હતું. તેમના નિર્ણયો હંમેશાં દીર્ઘદ્રષ્ટિવાળા અને દેશહિતને સર્વોચ્ચ મહત્વ આપતા સર્વોત્તમ નિર્ણયો રહ્યા હતા. આજે પણ સરદાર વલ્લભભાઈ પટેલની કમી- ખાલીપો-જગ્યા કોઈ પૂરી કરી શકે તેમ નથી પણ સરદાર વલ્લભભાઈ પટેલે ચીંધેલ રાષ્ટ્રહિતની સર્વશ્રેષ્ઠ વિચારધારા પર ચાલીને ભાજપ અને વિશ્વના સર્વાધિક લોકપ્રિય શાસક-નેતા આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ તમામ પ્રયત્નો કરી રહ્યા છે જેના થકી સરદાર વલ્લભભાઈ પટેલને ખરું સન્માન મળે, ન્યાય મળે અને તેમના સપનાઓનું ભારત નિર્માણ થાય. ઈતિહાસમાં ક્યારેય ન હતું એવા અખંડ, અકલ્પનિય અને એક વિશાળ-મહાકાય ભારતનું તથા ભારતીય લોકતંત્ર-લોકતાંત્રિક વ્યવસ્થાઓ નું નિર્માણ કરનાર સરદાર વલ્લભભાઈ પટેલને તેમની પુણ્યતિથિ નિમિત્તે શત શત નમન કરતાં રાજુભાઈ ધ્રુવે રાષ્ટ્ર નિર્માતા સરદાર પટેલને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા છે.

You Might Also Like

ધારાસભ્ય ઉદય કાનગડના હસ્તે સત્યમ સોસાયટીમાં રૂ.18 લાખના સીસી રોડનું ખાતમુહૂર્ત

ધ્રાંગધ્રાના જેગડવા ગામે જર્જરિત પૌરાણિક વાવનું સમારકામ કરવા માંગ

રૂ.6.68 કરોડના ખર્ચે રિલીફ રોડની થશે કાયાકલ્પ; આધુનિક અર્બન કોરિડોર તરીકે વિકસાવાશે

ડિમોલિશનમાં ‘સુપરફાસ્ટ’, રસ્તાના કામમાં RMCની બ્રેક

કાલે ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે ફાઈનલ

TAGGED: deathanniversary, DEMOCRACY, RajuDhruva, SardarPatel, Tributes
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article અરબી સમુદ્રમાં ડિપ્રેશન સર્જાવાને કારણે રાજ્યમાં વાતાવરણમાં પલટો
Next Article કોઠારિયા રોડ પરથી ચીલઝડપ કરનાર શખ્સને ઝડપી પાડતી ભક્તિનગર પોલીસ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

એક જ આંબામાં ત્રણ પ્રકારની કેરી: ખાખડી, સોપારી અને મરીના દાણા જેવડી કેરીઓ

Khaskhabar Editor Khaskhabar Editor 53 minutes ago
ધ્રાંગધ્રા પોલીસની ‘ત્રિશક્તિ’: ગ્રામ્ય વિસ્તારની 3 દીકરી ખાખી વર્દીમાં ચમકી
ધ્રાંગધ્રા તળાવના લોકાર્પણ પ્રસંગે રાજ્યના મંત્રીએ ભાંગરો વાટયો
પાટડીના કચોલીયા ગામે સ્નાનઘાટની દીવાલ ધરાશાયી કપડાં ધોતી મહિલાનું કાટમાળ નીચે દબાઈ જવાથી મોત
ધારાસભ્ય ઉદય કાનગડના હસ્તે સત્યમ સોસાયટીમાં રૂ.18 લાખના સીસી રોડનું ખાતમુહૂર્ત
ધ્રાંગધ્રાના જેગડવા ગામે જર્જરિત પૌરાણિક વાવનું સમારકામ કરવા માંગ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

ધારાસભ્ય ઉદય કાનગડના હસ્તે સત્યમ સોસાયટીમાં રૂ.18 લાખના સીસી રોડનું ખાતમુહૂર્ત

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
ગુજરાત

ધ્રાંગધ્રાના જેગડવા ગામે જર્જરિત પૌરાણિક વાવનું સમારકામ કરવા માંગ

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
મોરબી

રૂ.6.68 કરોડના ખર્ચે રિલીફ રોડની થશે કાયાકલ્પ; આધુનિક અર્બન કોરિડોર તરીકે વિકસાવાશે

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?