પૃથ્વીના ઉપલા પડ સપાટીમાં ફેરફારથી પહાડોના બેલ્ટ ખતમ થઇ રહ્યા છે: જે જગ્યાએ પૃથ્વીની સપાટી વધુ બદલી છે ત્યાં આપત્તિઓ વધુ આવી શકે છે
આપણે સૌ જાણીએ છીએ કે પૃથ્વીનું નિર્માણ ગુરુત્વાકર્ષણ બળના કારણે થયું છે. આ કારણે ધરતીની ચારે બાજુ એક ચુંબકીય ક્ષેત્ર છે, જેનાથી પૃથ્વી પર જીવન છે, હવે અમેરિકી સંશોધકોએ દાવો કર્યો છે કે ગુરુત્વાકર્ષણ સતત ધરતીના પડને બદલી રહ્યું છે, બાબતનો ખુલાસો ‘નેચર કોમ્યુનિકેશન્સ’માં પ્રકાશિત સંશોધનમાં થયો છે.
- Advertisement -
સપાટીમાં ફેરફારથી પહાડોના બેલ્ટ ખતમ થઇ રહ્યા છે. વૈજ્ઞાનિકોએ જણાવ્યું હતું કે ગુરુત્વાકર્ષણ પૃથ્વીની ઉંડાઈથી ઉપરી પડને હલબલાવી રહ્યું છે, અને તેનું કેન્દ્ર હાલ ભારતની નીચે જ મૌજૂદ છે. પડમાં ફેરફારને કારણે પહાડોના બેલ્ટ ખતમ થઇ રહ્યા છે, જે પડથી લગભગ 24 કિલોમીટર નીચે દટાયેલા હતા. એવા ઢાંચા બની રહ્યા છે, જેને પેટામોર્ફિક કોર કોમ્પ્લેકસેસ કરે છે. નવા સંશોધનમાં મેટાફોર્મિક ફોર કોમ્પ્લેક્સેસના બનવાની પ્રક્રિયા સમજવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જેના પરિણામો બહાર આવ્યા છે.
આવી શકે છે આપત્તિઓ: સંશોધન દરમિયાન વૈજ્ઞાનિકોએ બે મેટામોર્ફિક કોર કોમ્પ્લેક્સ અમેરિકાના ફિનિક્સ અને લાસ વેગાસની પસંદગી કરી હતી. કારણ કે બન્ને પ્રાચીન પહાડોના બેલ્ટના ખતમ થયા બાદ બન્યા છે. વૈજ્ઞાનિકોએ જાણ્યું કે આખરે મેટાફોર્મિક કોટ કોમ્પ્લેકસેસની પાછળ શું કારણ છે. કારણકે આવા ઘેરા કોમ્પલેકસેસ બની તો જાય છે પરંતુ પણ તે પોતાના પડની જડથી છુટી જાય છે, આવી જગ્યાઓ પર આપતિઓ વધુ આવી શકે છે અને ખતરનાક સ્થિતિ બની શકે છે.
ધરતીની અંદર મોજૂદ પથ્થરો પીગળી રહ્યા છે: સપાટી પર હળવો ફેરફાર પહાડોના બેલ્ટ નીચે ભારે હોય છે. તે ભારે ધાતુને હટાવીને તેની જગ્યા ખુદ લઈ લે છે. આ પુરી પ્રક્રિયામાં ગરમી નીકળે છે, જેથી પથ્થરો પીગળે છે, જેના કારણે પહાડોના મૂળીયા-જડો પણ ખતમ થઈ જાય છે.
- Advertisement -
ફેરફારની ગતિ ધીમી: સપાટી બદલવાની ગતિ ધીમી હોવાના કારણે અચાનક કંઈ નથી દેખાતુ, પણ જયારે કોઈ મોટી પ્રાકૃતિક ઘટના બને છે ત્યારે આ બાબતોની ખબર પડવા લાગે છે, જેમકે પહાડોનું ખતમ થવું, મોટો ભૂકંપ આવવો, ટેકટોનિક પ્લેટોનું ટકરાવવું વગેરે.