બેંક લોન છેતરપિંડીથી જોડાયેલી એક અરજી પર સુપ્રિમ કોર્ટએ RBI અને CBIને નોટીસ ફટકારી છે. આદાલતે બેંક લોન છેતરપિંડીથી જોડાયેલા કેસોમાં આરબીઆઇના એક નિર્દશકની ભૂમિકાની સીબીઆઇ તપાસ કરનાર સુબ્રમણ્ય સ્વામીની અરજી પર નોટિસ જાહેર કરી છે.
સુપ્રિમ કોર્ટએ ભાજપ નેતા સુબ્રમણ્યમ સ્વામીની એક અરજી પર સુનાવણી કરતા આરબીઆઇ અને સીબીઆઇને નોટીસ ફટકારી છે. તેમની આ અરજી બેંક લોન છેતરપિંડી સાથે જોડાયેલી છે. સુબ્રમણ્યમ સ્વામીએ સર્વોચ્ચ અદાલતમાં અરજી દાખલ કરીને બેંક લોન છેતરપિંડીના કેસમાં આરબીઆઇના નિર્દશકની ભૂમિકાની સીબીઆઇ તપાસની માંગણી કરી હતી.
- Advertisement -
સ્વામીએ આરબીઆઇના અધિકારીઓની સામે તપાસની માંગણી કરતા સુપ્રિમ કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. જે બેંક પાસેથી મોટી સંખ્યામાં લોન લઇને પછી ચૂકવણી નહીં કરીને છએતરપિંડી કરેલી હોય. પોતાની અરજીમાં તેમણે કહ્યું કે, આરબીઆઇએ આ અધિકારીઓની ભૂમિકાની સીબીઆઇ દ્વારા તપાસ કરવા અને તેમની નિષ્પક્ષ તપાસમાં નિષ્ફળતા અને બેંક લોનમાં છેતરપિંડી કરનારની સાથે તેમના વ્યક્તિગત લાભ હોવાની તપાસ થવી જરૂરી છે.
અરજીમાં કહેવામાં આવ્યું છએ કે, લોન છેતરપિંડીથી જોડાયેલા કેટલાય કેસો લાંબા સમયથી ચાલી રહ્યા છે. આવી મોટી લોન આરબીઆઇના અધિકારીઓ દ્વારા બેંકોના બોર્ડ પાસે મંજૂર કરવામાં આવે છે. જેથી આરબીઆઇના અધિકારીઓની તપાસ થવી જોઇએ.
બેંક આરબીઆઇના અધિકારીઓની મંજૂરી વિના આ રીતે મોટી માત્રામાં લોનનું વિતરણ થઇ શકે નહીં. તેમણે આરોપ લગાવ્યો કે, તેઓ સ્પષ્ટ રૂપે સક્રિય રીતે પોતાના વ્યક્તિગત લાભ મેળવે છે અને પોતાના કર્તવ્યોનું ગંભીર રૂપથી ઉલ્લંઘન કરે છે.
- Advertisement -