જગતમાંથી એન્ટોનીએ બીકંપનું નામ ભૂંસી નાંખવા પાશ્ચરે ઘણાં ખેલ ખેલ્યાં
મેડીકલ માયાજાળ
– મનિષ આચાર્ય
- Advertisement -
શું ખરેખર જ બેક્ટેરિયા કે વાયરસ રોગ પેદા કરવા સક્ષમ છે ખરા? વાસ્તવમાં બેક્ટેરિયા કે વાઇરસ નહી બલ્કે તેમણે પેદા કરેલા રસાયણો અને આ સુક્ષ્મસજીવોના ઘટકો માનવ શરીરના અસંતુલિત, ખામીયુક્ત કોષની ચયાપચય પર અસર કરે છે અને તે રીતે જે તે રોગ પેદા થાય છે
સ્વસ્થ રહેવું ઘણું આસાન હોય છે એ વાત અને તે અંગેનું શાસ્ત્ર બહુમતી લોકો સુધી પહોંચી જાય તો ડોકટર સાહેબો પછી સાહેબ ન રહે ને સેવક બની જાય
પાશ્ચરે જે કર્યું તે છે એક છેતરપિંડી; સમગ્ર માનવજાત સાથેની! કરુણતા તો એ છે કે જીવનભર બીકંપને રંઝાડ્યા બાદ પોતાની મૃત્ય શૈયા પર પાશ્ર્ચરે સ્વીકાર્યું હતું કે Germ Theory ખોટી છે અને બીકંપ સાચો છે!
- Advertisement -
આ વિષય પરના આગળનો લેખ વાંચી ઘણાને આઘાત લાગી આવ્યો. અલબત્ત લૂઈ પાશ્ર્ચર જેવા વિશ્વ દેવતાને એક મામૂલી દગાખોર કપટી અને બનાવટી માણસની ભૂમિકામાં સ્વીકારી લેવાનું કામ પણ તાર્કિક તો નથી જ. પરંતુ સદનસીબે અનેક જગ્યાએ તેમના વામનાપણાની નોંધ તો છે જ. આ જગતમાંથી એન્ટોનીએ બીકંપનું નામ ભૂસી નાખવા પાશ્ર્ચર સાહેબે ઘણા ખેલ ખેલ્યા તેમ છતાં હજુ આજે પણ તેમના વિસ્તૃત સંશોધનો અંગેના પેપર્સ વિશ્વની પ્રતિષ્ઠિત લાઇબ્રેરીમાં મોજુદ છે. જેવું ટેસ્લા સાથે બન્યું તેવું જ બિકાંપ સાથે બન્યું અને જેવું બીકાંપ સાથે બન્યું એવું જ એપલ કમ્પ્યુટર ના સહસ્થાપક સ્ટીફન વોઝ્ સાથે પણ બન્યું હતું..આવા ગૂંચવણભરી બાબતોમાંથી સત્ય તારવવા ભક્ત ભાવ ત્યજી સારો એવો અભ્યાસ કરવો પડતો હોય છે.. એની વે..ફ્રેંચ એકેડમી ઓફ સાયન્સના કાર્યક્રમોમાં બીકાંપ અને પાશ્ર્ચર વચ્ચે પરસ્પર વક્તવ્યના જાહેર યુધ્ધ થયા તે પાશ્ચરના વ્યક્તિત્વ અને તેની કુશળતાની ઊંચાઈ કે નીચાઈ ની સાક્ષી આપે છે.
એડિસન અને ટેસ્લા, પાશ્ર્ચર અને બીકાંપ તેમજ જોબ્સ અને સ્ટિફન WOZ વચ્ચેના ઘર્ષણની વાતો રસપ્રદ તો છે જ પરંતુ અહી આપણે એ સમજવાનું વધુ રસપ્રદ અને વધુ જરૂરી એ છે કે પાશ્ચરની લયળિ થિયરી કેટલી ભૂલ ભરેલી હતી અને તેના કારણે માનવજાતે શું નુકશાન વેઠવું પડ્યું છે. અહી એક વાત એ સમજવી જરૂરી છે કે શું ખરેખર જ બેક્ટેરિયા કે વાયરસ રોગ પેદા કરવા સક્ષમ છે ખરા? વાસ્તવમાં બેક્ટેરિયા કે વાઇરસ નહી બલ્કે તેમણે પેદા કરેલા રસાયણો અને આ સુક્ષ્મસજીવોના ઘટકો માનવ શરીરના અસંતુલિત, ખામીયુક્ત કોષની ચયાપચય પર અસર કરે છે અને તે રીતે જે તે રોગ પેદા થાય છે. જો શરીરનું કોષીય ચયાપચય અને પીએચ સંપૂર્ણ રીતે સંતુલિત અને સ્થિત રહેતું હોય તો કોઈ પણ સ્થિતિમાં આપણે રોગનો ભોગ બનતા નથી.
બીજા શબ્દોમાં કહીએ તો જે તે રોગ સાથે જે તે સુક્ષ્મ જીવોને સાંકળવામાં આવ્યા છે તે રોગ થવા બાબતે મૂળભૂત રીતે જવાબદાર નથી. રોગની સ્થિતિ સુક્ષ્મજીવો પેદા કરતા નથી. જેમ કે એક ગીધ કોઈ પ્રાણી માટે મૃત્યુ પેદા કરતું નથી, તે પ્રાણીના મૃત શરીરના ઝેર પર નભે છે, અને ઉંદરો કોઈ કચરો કે વિકૃતિ ઉત્પન્ન કરતા નથી પરંતુ તે જ્યાં ત્યાં પડેલા અન્ન પર, કચરા પર નભે છે અને માણસનું શરીર નબળું હોય તો આ સુક્ષ્મ જીવોનું રાસાયણિક બંધારણ આપણા શરીરમાં રોગ નું કારણ બને છે. સુક્ષ્મ જીવો કે સુક્ષ્મ અસ્તિત્વ શરીરમાં પડી રહેલા કચરા પર નભે છે. અહી સવાલ એ ઉદભવે છે કે શરીરનો કચરો એટલે શું? વિકૃતિ અને અયોગ્ય આહાર, ઝેરી પર્યાવરણ અને અવિચારી જીવનશૈલી શરીરમાં રોગગ્રસ્ત એસિડિક સેલ્યુલર વાતાવરણ પેદા કરે છે. આપણા શરીરની બહાર વાતાવરણમાં જીવાણુ વિષાણુ અને ફૂગ સહિત તમામ વિકૃતિઓ છે.
આપણા શરીરમાં તેને પોષણ આપતો કચરો હશે તો જ તે આપણા શરીરમાં અસ્તિત્વ ટકાવી આપણી સિસ્ટમને નુકશાન પહોંચાડી શકશે. અહી રસપ્રદ વાત એ છે કે એન્ટી માઇક્રો સ્પેસિસ સારવારના કારણે માઇક્રો Orgenizam વધુ ને વધુ રેઝિસ્ટન્ટ બની રહ્યું છે અને માનવજાત આવી દવાઓ ના કારણે ઇમ્યુનીટી ખોઈ રહી છે. રોગના કારણ અને રોગ અંગેનું ચિંતન એટલું અતાર્કિક, અવ્યહાવવરું અને તે અંગેના સંશોધનો એટલી ખોટી દિશાના તેમજ પ્રાયોજિત પ્રકારના છે કે દુનિયાભરની મેડિકલ સ્કૂલમાં દાયકાઓથી રોગના લક્ષણોને જ રોગ તરીકે ચીતરવામાં આવે છે. સ્વાસ્થ્ય સંસ્થાઓના નીચેથી છેક ઉપર સુધીના કર્મચારીઓને ફાર્માસ્યુટિકલ્સ કંપનીઓ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સાચવી લેતી હોય છે. છેલ્લા કેટલાયે દાયકાઓથી જીનીયસ પ્રકારની વ્યક્તિ કે જેન્યુઈન સંસ્થા દ્વારા સંશોધનોના બદલે ફાર્માસ્યુટિકલ્સ કંપનીઓ દ્વારા વ્યાવસાયિક દૃષ્ટિકોણ અને ચોક્કસ હેતુ સાથે જ સંશોધનો કરવામાં આવે છે.
આ સંશોધનોમાં અગાઉથી નકકી જ હોય છે કે ક્યાં પ્રકારના નિષ્કર્ષ પર પહોંચવાનું છે અને કેવી દવાઓ ઇન્ટ્રોડ્યુસ કરવાની છે. વિદ્યાર્થીઓ માટે, યુવાનોને મગજ ધોવાનાં હેતુથી આવે છે. મેડિકલ Orgenizam અને પેઢીની પેઢીઓનું એ રીતે બ્રેઇન વોશ કરવામાં આવ્યું છે કે સાવ સામાન્ય માણસથી લઈને અતિ વિચક્ષણ બૌધ્ધિક પ્રતિભા ધરાવતા લોકો મહેથી કોઈ રોગ બાબતે Germ theory પેલે પાર કોઈ વિચારી શકતું નથી. પરંતુ વાસ્તવિકતા એ છે કે આ વેક્સીનેશન અને એન્ટીબાયોટિક દવાઓની ગેરહાજરીમાં માનવજાતે આ પૃથ્વી પર કરોડો વર્ષ કાઢ્યા છે.
પાશ્ર્ચરના સૂક્ષ્મજીવ થિયરીને શિક્ષણ આપતી તબીબી શાળાઓ દ્વારા બધા ચિકિત્સકોને અંધારામાં રાખવાનું કારણ એ છે કે જો તેઓને સત્ય શીખવવામાં આવે કે રોગનું ખરું કારણ દર્દીની આંતરિક સ્થિતિ એટલે કે ઓક્સિજનનો અવક્ષય, પોષણની ઉણપ, શરીરની અંદરનું એસિડિક પીએચ, આસપાસના ઝેરી તત્વોની વૃધ્ધિ, કોષોની છેક અંદર સુધી અને આસપાસ દ્રધ્ધ થઈ ગયેલું વિષમય બંધારણ, ક્ષતિગ્રસ્ત પરિભ્રમણ અને નકારાત્મક ભાવનાઓ છે, સુક્ષ્મ જીવો નહીં તો તો દવાઓના વેચાણનો અબજો અબજો ડોલરનો કારોબાર પડી ભાંગે અને સ્વયં કહેવાતી આધુનિક ચિકિત્સા નું વજૂદ જ ન રહે. વાસ્તવમાં આધુનિક ચિકિત્સા પદ્ધતિમાં આધુનિકતા નું ખરેખરું તત્વ કયું છે? શરીરની રચના અને શરીરની ભીતર સ્થૂળ અને સૂક્ષ્મ સ્તરે ચાલી રહેલી ગતિવિધિઓને સમજવા તે જે કંઈ સાધનો અને ટેકનોલોજીનો ઉપયોગ કરે છે તે તો, શરીરની ગતિવિધિઓ સમજીને વિજ્ઞાનની અન્ય શાખાઓ એ વિકસાવ્યા છે. તેમાં કહેવાતા આધુનિક મેડિકલ સાયન્સ નું શું પ્રદાન છે?
આયુર્વેદ હોમિયોપથી કે નેચારોપથિના પ્રોફેશનલ ઈચ્છે તો દર્દીના શરીરની સ્થિતિનો અભ્યાસ કરવા આ સાધનોનો ઉપયોગ કરી શકે છે. આ સાધનો કે ટેકનોલોજી પર એલોપેથીક ફિલ્ડ ની કોઈ પેટન્ટ નથી! જો કે આધુનિક ચિકિત્સા વિજ્ઞાન સત્યને સ્વીકારી લે તો દર્દીઓને કહેવા માટે તેમની પાસે કોઈ વાત રહે નહી. સ્વસ્થ રહેવું ઘણું આસાન હોય છે એ વાત અને તે અંગેનું શાસ્ત્ર બહુમતી લોકો સુધી પહોંચી જાય તો ડોકટર સાહેબો પછી સાહેબ ન રહે ને સેવક બની જાય. વાસ્તવમાં તંદુરસ્ત સેલ્યુલર વાતાવરણ જ સૂક્ષ્મજંતુઓ, બેક્ટેરિયા અને વાયરસને મારી હટાવી શકે છે. જંતુ વિરોધી કોઈ દવાઓ નહીં.
તેમના યુદ્ધના વિનાશક શસ્ત્રોથી વાયરસ, બેક્ટેરિયા અથવા કેન્સરના કોષોને મારી નાખવાથી, તેઓ માઇક્રોઝિમા ઉત્ક્રાંતિને વેગ આપે છે જેના કારણે સમય જતા સુક્ષ્મ જીવો વધુ ને વધુ પ્રતિરોધક ક્ષમતા વિકસાવવા લાગે છે.આપણા શરીરની ભીતર ચાલી રહેલા આ યુધ્ધ વિશે ન તો આપણે કાઈ જાણીએ છીએ ન તો આપણા ડોકટરો આપણને કાઈ જાણવા દે છે. પરંતુ આવા જંતુઓ અને પાષ્ચર નામના એક દુષ્ટ માણસના માનસ સંતાનો એ વિકસાવેલા ઔષધરૂપ વિશ વચ્ચે ખેલાતો મહા સંગ્રામ આપણા શરીરની ક્ષમતાને ખત્મ કરી રહ્યો છે અને આપણે એ જ ડોકટરો પાસે જઈને બબુચકની જેમ કહીએ છીએ, સાહેબ કાઇક દવા આપો ને! Shame on you man, it’s really disgusting! આવી કોઈ પણ દવા આપણે લઈએ તે પછી તે દવા જ આપણા શરીરમાં અમુક નવા રોગ પેદા કરે છે પરંતુ આપણે બીજી વખત ડોકટર પાસે જઈએ ને આપણી ફરિયાદ તેમને કહીએ ત્યારે કોઈ ડોકટર ક્યારેય આપણને એમ કહે છે ખરો કે ભાઈ, આ તો મે તમને અગાઉ જે દવા આપી હતી તેના કારણે આ ઉપદ્રવ પેદા થયો છે..!
રાજકીય કારણોને લીધે એન્ટોઇન બીકંપનું નામ અને સૂક્ષ્મજંતુના સિદ્ધાંતો બાબતે તેની અને પાશ્ર્ચર વચ્ચેના વિવાદનો અને વિવાદિત સંશોધનોનો ઇતિહાસ દબાવી દેવામાં આવ્યો. તબીબી પુસ્તકો અને ત્યાં સુધી કે એન્સાઇક્લોપીડિયામાંથી પણ તેનું નામ ઉડાવી દેવામાં આવ્યું. તેના અનેક સંશોધનોનું માતબર સાહિત્ય આજે પણ કેટલીક જગ્યાએ સલામત છે પણ જીવ વિજ્ઞાન કે તબીબી વિજ્ઞાનના કોઈ અધિકૃત ચોપડે તેના નામની કોઈ નોંધ નથી. વાસ્તવમાં આ એક હત્યા હતી…એક જ્ઞાની વ્યક્તિત્વની…અને પાશ્ર્ચરે જે કર્યું તે છે એક છેતરપિંડી; સમગ્ર માનવજાત સાથેની! કરુણતા તો એ છે કે જીવનભર બીકંપને રંઝાડ્યા બાદ પોતાની મૃત્ય શૈયા પર પાશ્ર્ચરે સ્વીકાર્યું હતું કે Germ Theory ખોટી છે અને બીકંપ સાચો છે. પરંતુ બેચેમ્પની શોધખોળનું શ્રેય ક્યારેય તેને આપવામાં આવ્યું ન હતું. તેના પ્રારંભિક સંશોધનમાં બિચંપ એ જીવંત વસ્તુઓમાં નાના નાના ગ્રાન્યુલ્સ હોય છે તેવો દાવો કરી જેને તેમણે માઇક્રોઝિમાનું નામ આપ્યું હતું. 20 મી સદીની તે સૌથી અર્થપૂર્ણ શોધ હતી.
માઇક્રોઝાઇમ જીવનને ઉત્તેજન આપે છે અને તે જ મૃત્યું ને પણ ઉત્તેજન આપે છે. મામાઇક્રોઝિ કોષો, કોષો વચ્ચેના પ્રવાહીમાં, લોહી અને લસિકા પ્રવાહીમાં હોય છે. તે ઓર્ગેનિઝમ ની રચના કરે છે અને તેને રીસાયકલ પણ કરે છે.શરીર સ્વસ્થ હોય ત્યારે માઇક્રોઝિમાનું કાર્ય સુમેળપૂર્ણ રીતે થતું રહે છે. સામાન્ય સ્થિતિમાં તે ફાયદાકારક એવા એસિડિઓફિલસ અને બિફિડસ જેવા તંદુરસ્ત એરોબિક સુક્ષ્મજીવાણુઓ બનાવે છે.
પરંતુ શરીરની બિસ્માર હાલત, એટલે કે આગળ જણાવ્યું તેમ શરીરને પૂરતો ઓક્સિજન ન મળતો હોય, વિકૃતિ ખોરાક ને કારણે પોષણ ન મળતું હોય, પિએચ બેલેન્સ યોગ્ય ન હોય કે પરિભ્રમણ નબળું હોવાની સ્થિતિમાં માઈક્રોઝમ જીવાણુઓના ચહેરાને કાચિંડા જેવા કરી નાખે છે. તેને પ્લેમોર્ફિઝમ કહે છે. પ્લેયોનો અર્થ ઘણા અને મોર્ફન એટલે રૂપ તેથી તેનો પૂરો અર્થ થાય અનેક રૂપોમાં બદલી નાખવું. આ રોગકારક જીવાણુઓ કોષની આસપાસની પરિસ્થિતિઓને આધારે ઉદભવે છે અને વિકસે છે. રોગકારક પ્રક્રિયાઓનો આધાર આપણી સેલ્યુલર સંતુલનની સ્થિતિ પર હોય છે.કોષની નબળી સ્થિતિમાં તે અનિચ્છનીય મહેમાનોના વિકાસને ઉત્તેજન આપે છે.
શરીરની પેશીઓમાં એસિડિક પીએચના પ્રારંભિક તબક્કાના ચેતવણી રૂપ લક્ષણો હળવા હોય છે. આમાં ત્વચાની ફોલ્લી માથાનો દુખાવો, એલર્જી, શરદી, ફ્લૂ અને સાઇનસ જેવી સમસ્યાઓનો સમાવેશ થાય છે. આ લક્ષણો વારંવાર એન્ટીબાયોટીક અને પેઈન કિલર ટ્રેન દવાઓથી આપણે દબાવી દઈએ છીએ. આવું થતું જ રહે છે અને આપણે સત્તત તેને દબાવતા રહીએ છીએ.ધીમે ધીમે આ લક્ષણો વધુ તીવ્ર બને છે અને વધુ લાંબો સમય ટકે છે. ફરી આપણે તેને દબાવી દઈએ છીએ. છેવટે તે હાર્ટ લીવર કિડની જેવાં અંગો ને નબળા પાડી ચેતવણી આપે છે ત્યારે તે અંગો જ આપણે કાપી નાખીએ છીએ કે બદલી નાખીએ છીએ. ત્યાર બાદ આખે આખી સિસ્ટમ ખોરવવા લાગે છે.
દુર્ભાગ્યપૂર્ણ રીતે આપણું શરીર અને આપણું જીવન શરીર ફાર્માસ્યુટિકલ્સ કંપનીઓ અને પાશ્ર્ચર જેવા હરામિ માણસના માનસ સંતાનોની દુષ્ટ રમત માટેનો અખાડો બની ગયું છે.બીજી સમજવા જેવી વાત એ છે કે જીવાણુ વિરોધી અને પીડાશામક દવાઓ ના સત્તત મારા ના કારણે સમસ્યાઓ ના સિગ્નલ રૂપ લક્ષણો પણ સત્તત બદલાતા રહે છે.આ લક્ષણો મુળ રોગથી તદ્દન અલગ પ્રકારના પણ હોય છે.અહી ફરીથી તેને સારવારમાં લક્ષણો ને ધ્યાનમાં લેવામાં આવે છે. જરા સમજો તો ખરા કે આ મોડર્ન મેડિકલ સાયન્સ તમારા શરીર સાથે કેવી રમત રમી રહ્યું છે.
તમે માઇક્રોઝાઇમ્સને મારી શકતા નથી, તેઓ અવિનાશી છે. તમે ફક્ત એનારોબિક એટલે કે શરીર માટે નુકશાનકારક પેથોજેન્સને ઉત્તેજન આપી કેન્સર જેવા રોગ માટે મેદાન તૈયાર કરી આપો છો.તમે જે માઇક્રોઝાયમાઝને ખતમ કરવાની કોશિશ કરો છો તે જ મૃત્યુ પછી તમારા શરીર ને દિકંપોઝ કરે છે.
માઇક્રોઝાઇમ્સ એ અવિનાશી જીવંત અસ્તિત્વ છે જે ગરમી, એન્ટીબાયોટીક્સ અથવા યુદ્ધના અન્ય કોઈ શસ્ત્ર દ્વારા નષ્ટ થઈ શકતું નથી. માઇક્રોફોર્મ્સમાંથી ઝેર (એસિડ્સ) વહેતું નાક દ્વારા નાકમાંથી ઝેરી અવશેષોને શુદ્ધ કરવા અથવા નાબૂદ કરવા માટેન લક્ષણો પેદા કરવા માટે શરીરને ઉશ્કેરવા માટે ઉત્પન્ન થાય છે, જેમ કે ત્વચા પરસેવો થાય છે, ઝાડા દ્વારા આંતરડા ના સંકેત મળે છે. તેથી તે યાદ રાખવું અગત્યનું છે કે રોગ જીવાણુઓ પેદા નથી કરતા જે રોગની શરૂઆત કરે છે, તેઓ ફક્ત એક એસિડિક અવસ્થા છે.


