પ્રારંભિક મેચ ચેન્નાઇ -કોલકાતા વચ્ચે રમાશે
મુંબઇના વાનખેડે સ્ટેડિયમમાં આવતીકાલે 26 માર્ચથી IPL 2022નો પ્રારંભ થઇ રહ્યો છે. ઉદ્ઘાટન મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નઈ સુપર કિંગ્સ (CCR) અને કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) વચ્ચે રમાશે. ફાઈનલ 29 મેના રોજ રમાશે. ગયા વર્ષે કોરોનાના કેસ નોંધાયા બાદ 4 મે, 2021 ના રોજ આઇપીએલને સ્થગિત કરવામાં આવી હતી. તેનો બીજો હાફ યુએઈમાં થયો હતો. જો આ વખતે પણ આવા જ કેસ નોંધાશે તો શું પ્લાન હશે? ભારતમાં કોરોનાના કેસ વચ્ચે ઈન્ડિયન પ્રીમિયર લીગ IPL 2022ની સિઝન યોજાવા જઇ રહી છે. સીસીઆઈએ કોરોના સંક્રમણનો સામનો કરવા અને ટૂર્નામેન્ટને સફળ બનાવવા માટે ઘણી યોજનાઓ બનાવી છે.
આ વખતે કુલ 10 ટીમોને બે ગ્રુપમાં વહેંચવામાં આવી છે. તમામ ટીમો એકબીજા સામે 14-14 મેચ રમશે. આ રીતે ગ્રુપ સ્ટેજમાં કુલ 70 મેચ રમાશે. આ પછી ફાઈનલ સહિત 4 પ્લેઓફ મેચો રમાશે. ગ્રુપ સ્ટેજની તમામ મેચો પુણેના એમસીએ સ્ટેડિયમ સિવાય મુંબઈના વાનખેડે, બ્રેબોર્ન અને ડીવાય પાટીલ સ્ટેડિયમમાં રમવાની છે.
- Advertisement -
ખેલાડીને કોરોના થાય તો શું ?
કોઈપણ એક મેચ માટે પ્લેઈંગ ઈલેવનમાં ઓછામાં ઓછા 7 ભારતીય અને વધુમાં વધુ 4 વિદેશી ખેલાડીઓ રમાડવાના હોય છે. એક ભારતીય ખેલાડી અવેજી તરીકે રહેશે. આ રીતે 12 ખેલાડીઓની ટીમ મેચની તૈયારી કરે છે. જો કોરોના ચેપને કારણે ટીમનું આ સંતુલન બગડે તો તે સ્થિતિમાં મેચ રિશેડ્યૂલ કરવામાં આવશે.
જો કોઈ કારણોસર આ શક્ય ન બને તો આ સમગ્ર મામલો IPLની ટેકનિકલ કમિટીને મોકલવામાં આવશે. ત્યારબાદ સમિતિનો નિર્ણય માન્ય રહેશે. અગાઉ કોઈપણ મેચને ફરીથી શેડ્યૂલ કરવાની કોઈ પ્રક્રિયા નહોતી. ત્યારબાદ જો કોઈ ટીમ પ્લેઈંગ-11માં ઉતરી ન શકી તો વિરોધી ટીમને પોઈન્ટ આપવામાં આવતા હતા.