શું મહેન્દ્ર સિંહ ધોની આઈપીએલ 2027 માં પણ રમશે જેથી તેઓ ચેપોક સ્ટેડિયમમાં રમતા રમતા સંન્યાસ લઈ શકે? અથવા તો ધોની આ સીઝનમાં એક પણ મેચ રમ્યા વિના જ આઈપીએલ ક્રિકેટને હંમેશ માટે અલવિદા કહી ચૂક્યો છે? સુરેશ રૈનાએ આપેલા નિવેદનથી તો એવા જ સંકેતો મળી રહ્યા છે કે હવે ક્રિકેટના મેદાન પર ‘થાલા’ નો હેલિકોપ્ટર શૉટ ક્યારેય જોવા નહીં મળે.
ગઇકાલે પણ ધોની મેચ રમી શક્યો નહીં
- Advertisement -
એમ એસ ધોનીએ અગાઉ જાહેરાત કરી હતી કે તેઓ જ્યારે પણ આઈપીએલમાંથી નિવૃત્તિ લેશે, ત્યારે ચેન્નઈના હોમ ગ્રાઉન્ડ ચેપોક સ્ટેડિયમ પર પોતાની આખરી મેચ રમીને જ લેશે. સોમવારે ચેપોક સ્ટેડિયમમાં ચેન્નઈ સુપર કિંગ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે આ સીઝનનો આ મેદાન પર છેલ્લી મેચ રમાઈ હતી. ફેન્સની નજર પ્લેઈંગ ઈલેવનમાં ધોનીને શોધી રહી હતી, પરંતુ ઈજાના કારણે ધોની આખી સીઝનની જેમ આ મેચમાં પણ રમી શક્યો નહીં.
ધોનીએ રૈનાને કહ્યું- મારું શરીર હવે નબળું પડી ગયું છે
હવે સીએસકેની આ સીઝનની છેલ્લી લીગ મેચ 21મે ના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સ સામે રમાવાની છે. પરંતુ, સીએસકે પ્લેઓફની રેસમાંથી લગભગ બહાર થઈ ચૂકી હોવાથી અને ધોની સંપૂર્ણ ફિટ ન હોવાથી તેઓ અમદાવાદમાં પણ રમે તેવી શક્યતા નહિવત્ છે. ધોનીએ ભલે સત્તાવાર જાહેરાત ન કરી હોય, પરંતુ તેમના સૌથી નજીકના મિત્ર સુરેશ રૈનાએ એક મોટો ખુલાસો કર્યો છે. રૈનાએ કહ્યું કે કે, “મેં માહી ભાઈને કહ્યું – તમે તો IPL 2026ને માત્ર એક મિસ્ડ કોલ આપી દીધો. આ સીઝનની તો ગણતરી જ નહીં થાય કારણ કે તમે એક પણ મેચ નથી રમ્યા. હવે તમારે ફેન્સ માટે આગામી સીઝનમાં આવવું જ પડશે. જવાબમાં ધોનીએ કહ્યું- મારું શરીર હવે નબળું પડી ગયું છે.”
- Advertisement -
જોકે, સુરેશ રૈનાએ હજુ પણ આશા છોડી નથી. જ્યારે રેનાએ વાપસી માટે વધુ દબાણ કર્યું, ત્યારે ધોનીએ છેલ્લે એટલું કહ્યું કે, મને જોવા દો (Let me see).




