અચાનક મીટિંગ બોલાવી શાળા નં.81નું બિલ્ડિંગ તોડી નવું બનાવવાનો નિર્ણય લઇ લીધો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
આજરોજ તા. 09032026 ના રોજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન વિક્રમ પૂજારાએ હઠ આગ્રહ સાથેની બોર્ડ મીટીંગ બોલાવવામા આવી હતી. જેમાં સમિતિના એકપણ સભ્યોને વિશ્વાસમાં લીધા વગર શનિવારે એટલે કે તારીખ 07032026ના ચેક ચાક વાળા જુની તારીખ સાથેના પત્રો બોર્ડ કમિટીને મોડી સાંજે મોકલવામાં આવ્યા હતાં બીજા દિવસે રવિવાર જાહેર રજા હોવાથી કોઈ વાતચીત માટે અવકાશ રહે નહીં. બોર્ડ મીટિંગ બોલાવવા માટે નિયમ પ્રમાણે સભ્યોને 6 થી 8 દિવસ અગાઉ લેખિત જાણ કરવાની રહે છે. આ બાબતે સભ્યોમાં ગણગણાટ અને કચવાટ ફેલાયો હતો કે આટલી બધી શું ઈમરજન્સી આવી પડી કે મુદ્દત પુરી થવાના બે દિવસ પહેલા બોર્ડ મીટીંગ બોલાવી પડી…!
ચેરમેન વિક્રમ પૂજારા પોતાનું હું પણુ દર્શાવવામાં છેલ્લા બે દિવસોમાં પણ અડગ રહ્યા છે. આજની બોર્ડ મિટિંગમાં સ્કુલ નંબર-81 પાડી નવી બનાવવા માટેની દરખાસ્ત લાવી અને સાબિત કર્યું કે તેઓ હકીકતમાં શિક્ષણના નહીં પણ બાંધકામના જ ચેરમેન છે. શિક્ષણ હિતાર્થે તેઓને કામ કરવામાં તેમના છેલ્લા દિવસોમાં પણ તેમને કોઈ રૂચિ નથી માત્ર પોતાનો આર્થિક વિકાસ અટકાવો જોઈએ નહીં.
શિક્ષણ સમિતિના બોર્ડ કમિટીના સભ્ય સચિવ તરીકે શાસનાધિકારી જવાબદાર અધિકારી હોય છે પણ નવા નિયુક્ત થયેલા શાસનાધિકારી રમેશ જેઠવા આર્થિક વહીવટમાં એટલે અંશે માહિર છે કે તેઓ સરકારી અધિકારી હોવા છતાં સરકારને વફાદાર રહેવાની જગ્યાએ ટૂંકાં ગાળામાં જ ચેરમેન વિક્રમ પૂજારાને વધુ વફાદાર રહે છે અને તેમના કહેવા મુજબ દરેક નિયમો એકબાજુ મૂકી મુખપ્રેક્ષક બની સહિ કરવાં લાગ્યાં છે. એવો તે કયો વિક્રમ પૂજારાએ જાદુ કર્યો કે રમેશ જેઠવા સભ્ય સચિવની જવાબદારી ભૂલી જુની તારીખમાં સહી કરી બોર્ડ મીટિંગ બોલાવી…! તેમજ બીજા અન્ય સંસ્થાઓ સાથેના નાણાંકીય વ્યવહારોની ચકાસણી કે એમ.ઓ.યુ. વગર લાખોના બિલ પાસ કરી આપવામાં આવ્યા..! આ દરેક બાબતો અનેક શંકા ઉપજાવે છે તેવી ચર્ચાઓ શિક્ષણ સમિતિના સભ્યોમાં ઉઠી છે અને કેટલાક સભ્યો તો આગામી દિવસોમાં ગાંધીનગર શિક્ષણ અગ્રસચિવ મિલિંદ તોરવણેને આધારો સાથે દરેક કૌભાંડો માટે રૂબરૂ ફરિયાદ કરશે તેવું જાણવા મળ્યું છે.
ચૂંટણી નજીક આવતા ચેરમેન વિક્રમ પૂજારાએ પોતાના આર્થિક વિકાસ માટે બહોળી માત્રામાં શાળા બાંધકામો અને અન્ય સંસ્થાઓ સાથે નાણાંકીય કૌભાંડો ઉપર પડદો પાડવા ખુબ ધમપછાડા કર્યા છે. પોતાના અંગત રાજકીય રોટલા શેકવા અને આગામી ચૂંટણીમાં પોતાની ટિકિટ કનફોર્મ કરવા શહેર ભાજપના પદાધિકારીઓને પણ અનેક વખત ગેરમાર્ગે દોરી તેમને પણ ક્ષોભજનક સ્થિતિમાં મૂકેલા છે. ખરેખર તો ચેરમેન વિક્રમ પૂજારા પોતાના શાસનકાળ દરમ્યાન નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ઓફિસ, પ્રાથમિક શાળાના શિક્ષકો અને શિક્ષણના હિતમાં એકપણ ઉમદા કાર્ય કરેલ નથી અને ચેરમેન તરીકે સદંતર નિષ્ફળ રહ્યા છે. પ્રાઇવેટ સંસ્થાઓને બિન જરૂરી નાણાંકીય લાભ આપી પોતાનું આવનારા સમયમાં કમિશન ચાલુ રહે તે માટે શિક્ષણ સમિતિની તિજોરી સાવ તળિયા ઝાટક કરી નાખેલ છે જેથી આગામી સમયમાં જે શિક્ષણ સમિતિના ચેરમેન નિયુક્ત થશે તે માત્ર શોભાના ગાંઠીયા જ સમાન રહેશે.
ચેરમેન વિક્રમ પૂજારાને પ્રાથમિક શિક્ષક મંડળ રદ્દ કરવા અનેક લેખિત રજૂઆતો અન્ય શિક્ષક સંઘ અને પીડિત શિક્ષકો દ્રારા કરવામાં આવેલી પરંતુ તેમની અંગત નસ દબાતી હોવાથી તેમાં તે ઉદાસીન જ રહ્યા છે. અને આ સિવાય બીજા શિક્ષણ સમિતિના શિક્ષણ અનુરૂપ અનેક પડતર પ્રશ્નો અંગે કોઈ નિર્ણય લેવાયો નથી.



