પાકિસ્તાનમાં નજર કેદ રહ્યા, ગોળીબારમાં બચી ગયા હતા
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
- Advertisement -
બાંગ્લાદેશના પ્રથમ મહિલા વડાપ્રધાન અને બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (ઇગઙ)ના પ્રમુખ ખાલિદા ઝિયાનું આજે સવારે 6 વાગ્યે 80 વર્ષની વયે નિધન થયું. તેઓ 20 દિવસથી વેન્ટિલેટર પર હતાં.
ખાલિદા છેલ્લા ઘણા વર્ષોથી છાતીમાં ઇન્ફેક્શન, લિવર, કિડની, ડાયાબિટીસ, સંધિવા અને આંખોની સમસ્યાથી પીડાઈ રહ્યા હતા. તેમના પરિવાર અને પાર્ટીના નેતાઓએ નિધનની પુષ્ટિ કરી છે.
ખાલિદા 1991 થી 1996 અને 2001 થી 2006 સુધી બે વાર બાંગ્લાદેશના વડાપ્રધાન રહ્યા હતા. તેઓ પૂર્વ રાષ્ટ્રપતિ ઝિયાઉર રહેમાનના પત્ની હતા.
ખાલિદા ઝિયાની રાજકીય કારકિર્દી ઘણી ઉથલપાથલભરી રહી છે. 1971ના મુક્તિ યુદ્ધ દરમિયાન પાકિસ્તાની સેના દ્વારા તેમને નજરકેદ કરવામાં આવ્યા હતા. જુલાઈથી ડિસેમ્બર 1971સુધી પાકિસ્તાની સેનાની કેદમાં રહ્યા હતા. 16 ડિસેમ્બર 1971ના રોજ પાકિસ્તાનની હાર બાદ તેમને મુક્ત કરવામાં આવ્યા હતા.
2015માં, ઢાકામાં મેયરની ચૂંટણી માટે તેમના પ્રચાર દરમિયાન ખાલિદા ઝિયાના કાફલા પર ગોળીબાર કરવામાં આવ્યો હતો અને પથ્થરમારો કરવામાં આવ્યો હતો. તેઓ એક બજારમાં લોકોને મળવા માટે રોકાયા હતા. આ હુમલામાં તેમને કોઈ ઈજા થઈ ન હતી.
તેમના મોટા પુત્ર અને ઇગઙના કાર્યકારી અધ્યક્ષ તારિક રહેમાન 2008 થી લંડનમાં રહી રહ્યા હતા. તેઓ 25 ડિસેમ્બરે બાંગ્લાદેશ પાછા ફર્યા છે. જ્યારે, તેમના નાના પુત્ર અરાફાત રહેમાનનું 2015માં હૃદયરોગના હુમલાથી નિધન થયું હતું.
ખાલિદાનું વલણ ભારત વિરોધી હતું
ખાલિદા ઝિયાનું ભારત પ્રત્યેનું વલણ ઘણાસમય ટકરાવભર્યુ રહ્યું હતું. તેમણે વારંવાર કહ્યું કે બાંગ્લાદેશની સાર્વભૌમત્વ અને સુરક્ષા સર્વોપરી છે.
વડાપ્રધાન તરીકે, ખાલિદા ઝિયાએ ભારતને બાંગ્લાદેશના પ્રદેશમાંથી પસાર થવાનો રસ્તો આપવાનો વિરોધ કર્યો હતો, જે ભારત તેના ઉત્તરપૂર્વીય રાજ્યોમાં પહોંચવા માટે આ રસ્તો ઈચ્છતું હતું. ખાલિદા ઝિયાએ જણાવ્યું હતું કે આનાથી બાંગ્લાદેશની સુરક્ષાને જોખમ થશે. તેમણે 1972ની ભારત-બાંગ્લાદેશ મૈત્રી સંધિ ચાલુ રાખવાનો પણ વિરોધ કર્યો હતો, અને દલીલ કરી હતી કે તે સંધિ બાંગ્લાદેશ નબળું બનાવે છે. તેઓ વારંવાર કહેતા હતા કે તેમનો પક્ષ ઇગઙ બાંગ્લાદેશને ભારતીય વર્ચસ્વથી બચાવવા માટે કામ કરી રહ્યો છે. 2018માં એક રેલીમાં, તેમણે કહ્યું હતું કે બાંગ્લાદેશને ‘ભારતનું રાજ્ય’ બનવા દેવામાં આવશે નહીં.
- Advertisement -
બાંગ્લાદેશે ત્રણ દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો
વચગાળાની સરકારના વડા મોહમ્મદ યુનુસે ભૂતપૂર્વ વડાપ્રધાન ખાલિદા ઝિયાના નિધન અંગે ત્રણ દિવસનો રાષ્ટ્રીય શોક અને તેમની અંતિમ પ્રાર્થનાના દિવસે એક દિવસની જાહેર રજાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે ખાલિદા ઝિયાનું નેતૃત્વ તાનાશાહી અને ફાસીવાદી વિચારસરણી સામે અડગ રહ્યું. જ્યારે પણ દેશ લોકશાહી સંકટનો સામનો કરતો હતો, ત્યારે તેમના નેતૃત્વએ લોકોને માર્ગદર્શન આપ્યું અને સ્વતંત્રતાની ભાવનાને મજબૂત બનાવી. પ્રો. યુનુસના મતે, દેશ હંમેશા તેમના યોગદાનને સન્માન અને આદર સાથે યાદ રાખશે. યુનુસે દેશવાસીઓને એકતા જાળવવા અપીલ કરી. તેમણે કહ્યું કે બધા નાગરિકોએ સતર્કતા અને જવાબદારીપૂર્વક વર્તવું જોઈએ જેથી કોઈ પણ વ્યક્તિ દેશમાં અસ્થિરતા પેદા કરવાનો કે પરિસ્થિતિ વધુ ખરાબ કરવાનો પ્રયાસ ન કરી શકે.
સોમવારે ચૂંટણીનું ફોર્મ ભર્યું હતું
ખાલિદા ઝિયાએ સોમવારે (29 ડિસેમ્બર) જ ચૂંટણીનું ફોર્મ ભર્યું હતું. બપોરે લગભગ ત્રણ વાગ્યે પાર્ટીના વરિષ્ઠ નેતાઓ બોગુરા-7 બેઠક પરથી તેમનું ઉમેદવારી ફોર્મ જમા કરાવવા ડેપ્યુટી કમિશનર અને રિટર્નિંગ ઓફિસરની ઓફિસે પહોંચ્યા હતા. તે સમયે સ્પષ્ટ થઈ ગયું હતું કે ખાલિદા ઝિયાની તબિયત અત્યંત નાજુક છે. તેઓ વેન્ટિલેટર પર હતા. તેમ છતાં ઇગઙએ નિર્ણય કર્યો કે ખાલિદા ચૂંટણી લડશે. બોગુરા-7 બેઠકનું ઇગઙ માટે ખાસ મહત્વ છે.
આ જ વિસ્તારમાં પાર્ટીના સ્થાપક અને ખાલેદા ઝિયાના પતિ ઝિયાઉર રહેમાનનું ઘર રહ્યું છે. ખાલેદાએ ત્રણ વખત 1991, 1996 અને 2001માં આ જ બેઠક પરથી ચૂંટણી જીતી હતી.



