સદગુરુ ભગવાનની પધરામણીના 108માં વર્ષ, પ્રથમ ફોટો શતાબ્દી મહોત્સવ નિમિત્તે આયોજન
31 ડિસેમ્બરથી 9 જાન્યુઆરી સુધી ધાર્મિક ઉત્સવ, પોથીયાત્રા સાથે ભવ્ય શુભારંભ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ન્યારા ગામ સ્થિત શ્રી સદગુરુ ધ્યાન મંદિર ટ્રસ્ટ દ્વારા ન્યારા ગામમાં સદગુરુ ભગવાનની પધરામણીના 108માં વર્ષ તથા પ્રથમ ફોટો શતાબ્દી મહોત્સવના પાવન અવસર પર ભવ્ય ધાર્મિક ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંતર્ગત શ્રીરામ ચરિત માનસ સમૂહ પાઠ તથા શ્રીમદ્ ભાગવત નવાન્હ પારાયણનું આયોજન કરવામાં આવ્યું છે. ધાર્મિક મહોત્સવનો શુભ આરંભ તારીખ 31 ડિસેમ્બર (બુધવાર)ના રોજ થશે અને તેની પૂર્ણાહૂતિ 9 જાન્યુઆરી (શુક્રવાર)ના રોજ કરવામાં આવશે. આ અવસરે સમગ્ર ન્યારા ગામ ધાર્મિક ભાવના અને ભક્તિરસથી ઓતપ્રોત બનશે. શ્રીરામ ચરિત માનસ સમૂહ પાઠ માટે વ્યાસપીઠ પર ચિત્રકુટથી પધારતા સુવિખ્યાત રામાયણી શ્યામસુંદરદાસ મહારાજ રોજ સવારે 8:30થી બપોરે 12:30 વાગ્યા સુધી તેમની સુમધુર વાણી અને સંગીતમયી શૈલીમાં શ્રોતાઓને રામકથાનો રસપાન કરાવશે. આ ઉપરાંત શ્રીમદ્ ભાગવત નવાન્હ પારાયણ માટે વ્યાસપીઠ પર પ્રખ્યાત કથાકાર મીરાબેન ભટ્ટ રોજ બપોરે 3થી 6 વાગ્યા સુધી સંગીતમય કથાપ્રવાહ દ્વારા ભક્તોને ભાવવિભોર કરશે. આ ધાર્મિક ઉત્સવના આરંભે 31 ડિસેમ્બર બુધવારે બપોરે 4 વાગ્યે ભવ્ય પોથીયાત્રા નીકશે, જેમાં મોટી સંખ્યામાં ભક્તોની ઉપસ્થિતિ રહેશે. ટ્રસ્ટ દ્વારા તમામ ધર્મપ્રેમી ભક્તોને આ પાવન આયોજનમાં સહભાગી બની ધર્મલાભ લેવા અપીલ કરવામાં આવી છે.
આ ધાર્મિક ઉત્સવને સફળ બનાવવા માટે ટ્રસ્ટી રાજુભાઇ માનસાતા, હરગોવિંદભાઇ બગડાઇ, રાજુભાઇ નથવાણી, ભાવેશભાઇ માનસાતા, ભાવેશભાઇ પાબારી, ભાવેશભાઇ તન્ના, જતીનભાઇ માનસાતા તેમજ ન્યારા સ્થાનિક કમિટીના રમેશભાઇ પીપળીયા, અરવિંદભાઇ સાવલીયા, ખોડાભાઇ ઝાલાવડીયા, મહેશભાઇ પીપળીયા, છગનભાઇ પીપળીયા, કેતનભાઇ ઝાલાવડીયા, પ્રવિણભાઇ માનસાતા અને ઘનશ્યામભાઇ પીઠડીયા જહેમત ઉઠાવી રહ્યા છે.
જયરામદાસજી મહારાજ નવ દિવસ પ્રવચન આપશે
ધાર્મિક ઉત્સવ સાથે મહંત જયરામદાસજી મહારાજ નવ દિવસ સુધી ન્યારા ગામ ખાતે ઉપસ્થિત રહેશે તેમજ શ્રીરામ ચરિત માનસ સમૂહ પાઠ અને શ્રીમદ્ ભાગવત નવાન્હ પારાયણ ઉપર તેમની સુમધુર વાણીમાં 1થી 9 જાન્યુઆરી સુધી રોજ સાંજે 6:30થી 7:30 એમ એક કલાક પ્રવર્ચન આપશે.
- Advertisement -
ધાર્મિક ઉત્સવમાં વિવિધ પ્રસંગો
તારીખ પ્રસંગ
1 જાન્યુઆરી પાઠ પ્રારંભ સવારે 8 કલાકે
2 જાન્યુઆરી રામ જન્મ ઉત્સવ સવારે 11 કલાકે
3 જાન્યુઆરી રામ વિવાહ બપોરે 12 કલાકે
4 જાન્યુઆરી રામ પૂજન સવારે 8 કલાકે
9 જાન્યુઆરી રામ રાજ્યાભિષેક
9 જાન્યુઆરી પૂર્ણાહૂતિ યજ્ઞ
ભાગવત કથાના પાવન પ્રસંગો
31 ડિસેમ્બર પોથીયાત્રા
01 જાન્યુઆરી કથા પ્રારંભ
02 જાન્યુઆરી કપિલ પ્રાગટ્ય
03 જાન્યુઆરી ધ્રુવ ચરિત્ર નૃસિંહ પ્રાગટ્ય
04 જાન્યુઆરી વામન પ્રાગટ્ય – બપોરે 4 કલાકે
04 જાન્યુઆરી રામ પ્રાગટ્ય – બપોરે 5 કલાકે
04 જાન્યુઆરી કૃષ્ણ પ્રાગટ્ય – સાંજે 5:30 કલાકે
05 જાન્યુઆરી ગોવર્ધન પૂજા અને અન્નકૂટ
05 જાન્યુઆરી મહારાસ – સાંજે 5:00 કલાકે
06 જાન્યુઆરી રૂક્ષ્મણી વિવાહ – સાંજે 5:30 કલાકે
07 જાન્યુઆરી સુદામા ચરિત્ર
08 જાન્યુઆરી કથા વિરામ
સદગુરુ ધ્યાન મંદિર આશ્રમની પ્રવૃત્તિઓ
ક્ષ ન્યારા ગામ માટે મેડિકલ પ્રાથમિક સારવારના
સાધનોની સવલત
ક્ષ શ્રાવણમાસ દરમિયાન પ્રભાતફેરીનું આયોજન
ક્ષ ગુરુદેવની જન્મજયંતિ, ગુરુપૂર્ણિમા અને પુણ્યતિથિની ઉજવણી
ક્ષ દર શનિવારે રાત્રે 8થી 10 વાગ્યા સુધી ધૂન-ભજન
ક્ષ રોજ સવારે પક્ષીઓને ચણ



