આતંકવાદી હાફિઝ સઈદ ભારત પર હુમલા માટે નવાં ષડયંત્ર બનાવી રહ્યો છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, સઈદ આ હુમલા માટે બાંગ્લાદેશને લોન્ચપેડ તરીકે તૈયાર કરી રહ્યો છે. આ ખુલાસો પાકિસ્તાનના ખૈરપુર તામેવાલીમાં 30 ઓક્ટોબરના રોજ થયેલી એક રેલીના વીડિયોમાંથી થયો છે. લશ્ર્કર-એ-તૈયબાના સિનિયર કમાન્ડર સૈફુલ્લાહ સૈફે કહ્યું- હાફિઝ સઈદ ખાલી બેઠા નથી, તેઓ બાંગ્લાદેશના રસ્તે ભારત પર હુમલો કરવાની કોશિશ કરી રહ્યા છે. સૈફે કહ્યું- ભારત આપણી ઉપર હુમલો કરી રહ્યું હતું, અમેરિકા તેમની સાથે હતું, પરંતુ આજે તેમનો સાથ કોઈ આપતું નથી. સૈફે દાવો કર્યો કે લશ્ર્કરના આતંકી પહેલાંથી જ બાંગ્લાદેશમાં સક્રિય છે અને ‘ઓપરેશન સિંદૂર’નો બદલો લેવાની તૈયારીમાં છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, હાફિઝ સઈદે પોતાના નજીકના સાથીને બાંગ્લાદેશ મોકલ્યો છે, જે ત્યાંના યુવાઓને ટ્રેનિંગ આપી રહ્યો છે. રેલીમાં આતંકવાદી સૈફે લોકોને ભારત વિરુદ્ધ યુદ્ધ છેડવા માટે ઉશ્ર્કેર્યા હતા. રેલીમાં બાળકો પણ હાજર હતા. આતંકવાદી સંગઠનો સગીરોને પણ ઉશ્ર્કેરીને તેમનો ભારત વિરુદ્ધ ઉપયોગ કરવા માગે છે.
સૈફે પાકિસ્તાની સેનાની પ્રશંસા કરતી વખતે ખોટો દાવો કર્યો હતો કે આ કાર્યવાહી 9-10 મેની રાત્રે થયેલા ’ઓપરેશન સિંદૂર’ના જવાબમાં હતી.
- Advertisement -
તેણે કહ્યું, હવે અમેરિકા આપણી સાથે છે. બાંગ્લાદેશ પણ ફરીથી પાકિસ્તાનની નજીક આવી રહ્યું છે.
તાજેતરમાં લશ્ર્કર-એ-તૈયબા (કયઝ)ના ડેપ્યુટી ચીફ સૈફુલ્લાહ કસુરીનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તે ભારતમાંથી હિન્દુઓનો નાશ રવાની ધમકી આપી રહ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ વીડિયો 22 એપ્રિલના પહેલગામ આતંકવાદી હુમલા પહેલાં લેવામાં આવ્યો હતો. કસુરી આ હુમલાના માસ્ટરમાઇન્ડ્સમાંનો એક છે.
વીડિયોમાં તે કહે છે, આપણો કાફલો ન તો રોકાશે કે ન તો થોભશે અને જ્યાં સુધી આપણે આખા ભારતમાં ’લા ઇલાહા ઇલ્લાલ્લાહ’ (અલ્લાહ સિવાય કોઈ નથી)નો ધ્વજ લહેરાવીશું નહીં ત્યાં સુધી શાંતિથી બેઠીશું નહીં.’ કસુરીએ આગળ કહ્યું- સમય આવી જ રહ્યો છે, કોઈ નિરાશા નથી. આપણે જે મેદાન પર ઊભા છીએ ત્યાં આપણા દુશ્ર્મનને હરાવી દીધા છે. આ હિન્દુઓ આપણી સામે શું છે? ભારતના હિન્દુઓનો નાશ થશે અને ઇસ્લામનું શાસન આવવાનું છે.”
આ પહેલાં 17 સપ્ટેમ્બરના રોજ કસુરીએ ટેલિગ્રામ પર એક વીડિયો જાહેર કર્યો હતો, જેમાં ભારત અને પીએમ મોદીને ગંભીર પરિણામોની ધમકી આપવામાં આવી હતી. વીડિયોમાં કસુરીએ ચેતવણી આપી હતી કે જમ્મુ અને કાશ્ર્મીરમાં ભારતીય બંધ, નદીઓ અને વિસ્તારો પર કબજો કરવાનો પ્રયાસ કરવામાં આવશે.
- Advertisement -
કસુરીએ ખુલાસો કર્યો કે પાકિસ્તાન સરકાર અને સેના આતંકવાદી સંગઠનને મુરીદકેમાં તેના મુખ્યાલયને ફરીથી બનાવવા માટે ભંડોળ પૂરું પાડી રહ્યા હતાં, જે ઓપરેશન સિંદૂર દરમિયાન નાશ પામ્યું હતું.



