ભારતમાં પ્રથમવાર ઇન્ટરનેશનલ સ્ટેજ પર 22 તબલા વાદકનું પર્ફોમન્સ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
દેશ દુનિયાના અલગ ટેલેન્ટ ધરાવતા લોકો પોતાનું ટેલેન્ટ દર્શાવવા અનેક માધ્યમનો સહારો મેળવે છે. ખાસ તો હાલ સોશિયલ મીડિયાના સમયમાં લોકોને પોતાનું ટેલેન્ટ દેશ અને દુનિયા સામે રજૂ કરવુ ખૂબ જ સરળ બન્યુ છે. ત્યારે કલર્સ ચેનલ પર પ્રસારીત થતા ઇન્ડિયા’ઝ ગોટ ટેલેન્ટ સિઝન 11ના મેગા શોમાં રાજકોટના ભાર્ગવ જાની અને તેનું ગ્રુપ પર્ફોર્મન્સ કરવા ગયું હતું અને પહેલા રાઉન્ડમાં સિલેક્ટ થયું હતું. ઉલ્લેખનીય છે કે ભાર્ગવભાઇ જાની એન્ડ ગ્રુપનો તાંડવ નામનો વીડિયો વાયરલ થયા બાદ ઇન્ડિયા’ઝ ગોટ ટેલેન્ટમાંથી સામેથી પરફોમન્સ માટે ફોન આવ્યો હતો. રાજકોટના ભાર્ગવ જાની છેલ્લા 35 વર્ષથી તબલા વાદક છે. અને 14 વર્ષથી રાષ્ટ્રીય શાળામાં વિદ્યાર્થીઓને તબલા શીખવાડે છે. તેઓના માર્ગદર્શન હેઠળ હજારો વિદ્યાર્થીઓએ તબલા શીખ્યા છે. ત્યારે તેમની આ બેંચના વિદ્યાર્થીઓ સાથે તેઓએ ઈન્ડિયા’ઝ ગોટ ટેલેન્ટમાં ભાગ લીધો હતો. જેમાં તેઓએ મેં હું ના’ ફિલ્મના ગીત ઉપર તબલા વાગડી જજ ઉપરાંત દર્શકો મંત્રમુગ્ધ થયા હતા. જજ તરીકે અભિનેત્રી મલાયકા અરોરા, જાણીતા ગાયક શાન અને દિગ્ગજ નવજોત સિંધુએ પરફોર્મન્સના ખૂબ વખાણ કર્યા હતા. આ ઉપરાંત ભાર્ગવભાઈ પ્રસિદ્ધ ગાયક શાન માટે મીઠાઈની ખાસ ભેટ લઈને ગયા હતા.
ગુજરાતના જમાઈ તરીકે તેઓનું અભિવાદન કરવામાં આવ્યું હતું. ભાર્ગવભાઈ તેમના દીકરા ઓમ જાની સહિત 20 વિદ્યાર્થીઓ સાથે ઈન્ડિયાઝ ગોટ ટેલેન્ટ માં ભાગ લેવા ગયા હતા. સમગ્ર રાજકોટ અને ગુજરાત માટે ગૌરવની વાત છે કે ઇન્ડિયા’ઝ ગોટ ટેલેન્ટમાં સૌપ્રથમ વખત માત્ર તબલાને જ લઇને કોઇ એક્ટ રજૂ થઇ હોય અને તેમાં પણ 8થી લઇ 20 વર્ષ સુધીના બાળકો હોય તે પણ એક જ સંસ્થા અને ગુરુના શિષ્ય હોય. સૌથી મહત્વની બાબત તો એ છે કે પ્રદર્શન કરનાર અનેક બાળકો હજુ તો પ્રથમ ચરણની જ તાલીમ લઇ રહ્યા છે. પરંતુ ઉત્સાહ, ઉમંગ અને મહેનતથી કલા રજૂ કરનાર બાળકોએ જજને પણ સ્ટેન્ડિંગ ઓવેશન આપવા માટે મજબૂર કરી દીધા હતા. જજ દ્વારા આ પર્ફોમન્સની ખૂબ જ સરાહના કરવામાં આવી હતી. આ સમગ્ર સફરમાં રાષ્ટ્રીય શાળાના મેનેજિંગ ટ્રસ્ટી જીતુભાઇ ભટ્ટે ખૂબ જ સહયોગ આપ્યો હતો. ઇન્ડિયા’ઝ ગોટ ટેલેન્ટમાં રાજકોટના ભાર્ગવ જાની અને ગ્રુપના 21 બાળકોએ સૌપ્રથમ વખત ઇન્ટરનેશનલ સ્ટેજ પર પોતાની કલાના કામળ પાથર્યા છે. ભાર્ગવ જાની અને તેમના ગ્રુપની વાત કરીએ તો, આ ગ્રુપમાં 7 થી 20 વર્ષ સુધીના બાળકો જોડાયેલ છે. આ બાળકોમાંથી અનેક બાળકો એવા છે જે સૌ પ્રથમ વખત મુંબઈ ગયા હતા. આ સાથે આ 22 બાળકોમાં મોટાભાગના બાળકો એવા છે. જે હજુ તબલા શીખવાના પ્રથમ ચરણમાં છે. તેમ છતાં તેઓનું ઉત્કૃષ્ટ પ્રદર્શનથી સૌ કોઈ મંત્રમુગ્ધ થયેલ છે. ઇન્ડિયા’ઝ ગોટ ટેલેન્ટ જેવા મંચ પર પર્ફોર્મ કરવા માટે ઘણા કુશળ અને અનુભવી કલાકારોને પણ તક મળવી મુશ્કેલ હોય છે. પરંતુ આ નાનકડા કલાકારોએ પોતાના પ્રતિભાશાળી પ્રદર્શન દ્વારા આંતરરાષ્ટ્રીય મંચ પર ગુજરાત અને રાજકોટનું નામ રોશન કર્યું છે.
પ્રદર્શન કરનાર 22 તબલા વાદક
- Advertisement -
ભાર્ગવ જાની (44)
ઓમ જાની(22)
ઓમ ડોડિયા(11)
મોહિત શેઠ(12)
શિવ લશ્કરી(10)
શુભમ ઠાકર(16)
રોહન વડફલ(22)
હર્ષિલ કુબાવત(11)
યશ દવે(22)
આયુષ રામાવત (15)
આયુષ ત્રિવેદી (17)
સિધ લાઠીયા(15)
માનવ જોષી (15)
પ્રિતેશ જોશી (15)
વંશ ધમેચા (15)
ધ્રુવ ત્રિવેદી (18)
વત્સલ પ્રજાપતિ (15)
હવિશ પારખ (12)
ભાર્ગવ પરમાર (15)
દેવાંશ પીઠાડીયા (13)
ચૈતન્ય સાગર (12)
નૈનેશ પુંભડિયા (19)
ઈન્ડિયા ગોટ ટેલેન્ટમાં બીજી વખત પાર્ટિસિપેશન માટે આવ્યો ફોન
બે વર્ષ પૂર્વે ભાર્ગવભાઈ જાનીને ઈન્ડિયા ગોટ ટેલેન્ટમાં પાર્ટિસિપેશન માટે ફોન આવ્યો હતો. ત્યારે પણ તેઓ સિલેક્ટ થઈ ગયા હતા. પરતું ત્યારે ભાર્ગવભાઈ અને તેમના શિષ્યો પાસે ઇન્સ્ટ્રુમેન્ટ ન હતા. આથી તેઓએ શો ના પ્રોડક્શન હાઉસ પાસે 15 દિવસનો સમય આપ્યો હતો. આ દરમિયાન કોરોનાએ ઊથલો મરાતાં મુંબઈ ફરી બંધ થઈ ગયું હતું અને પરફોર્મન્સ અટકાવી દેવામાં આવ્યા હતા. માત્ર મુંબઈના સ્પર્ધકો માટે શો ચાલુ રાખવામાં આવ્યો હતો. અને આ વખતે બીજી વાર તેઓને પ્રોડક્શન હાઉસમાંથી સામેથી પાર્ટિસિપેશન માટે ફોન આવ્યો હતો.
શાન-નવજોતસિંહ સિધુ માટે કુર્તો અને મલાયકા અરોરા માટે સાડી ગિફ્ટ આપી
ભાર્ગવ ભાઈ પોતાની ટીમ સાથે ઈન્ડિયાઝ ગોટ ટેલેન્ટ માં પરફોર્મન્સ માટે ગયા ત્યારે રાજકોટની પ્રખ્યાત મીઠાઈ, ફરસાણ જજ માટે ભેટ સ્વરૂપે લઈ ગયા હતાં. આ ઉપરાંત શાન માટે કુર્તો, નવજોત સિંહ સીધુ માટે પઠાણી અને અભિનેત્રી મલાયકા અરોરા માટે સાડી ગિફ્ટ આપી હતી.જેને જોઈ જજ ખૂબ ખુશ થઈ ગયા હતા અને સહર્ષ ભેટ સ્વીકારી હતી.તેમજ રાજકોટની મીઠાઈ ફરિયાદનો સ્વાદ ચાખ્યો હતો
પિતા હાર્મોનિયમ-ગિટાર વગાડતા, દાદા આકાશવાણીમાં કથાકાર તો પરદાદા જાણીતા હાર્મોનિયમ વાદક હતા
જાની પરિવારનું સંગીતક્ષેત્રે મહત્વનું યોગદાન
ભાર્ગવભાઈ જાનીને સંગીત વારસામાં મળ્યું છે અને હવે તેમનો દીકરો પણ તેમના વારસાને આગળ ધપાવી રહ્યા છે. ભાર્ગવભાઈના ભાઈ દેવાંગભાઈ આત્મીય સ્કૂલમાં મ્યુઝિશિયન છે તેમના દિકરા ઓમ જાની તપસ્વી ઇન્ટરનેશનલ સ્કૂલમાં મ્યુઝિક ટીચર છે. તેમના પિતા પણ જાણીતા સંગીતકાર હતા તેઓ હાર્મોનિયમ ગિટાર સહિત અનેક ઇન્સ્ટ્રુમેન્ટ વગાડતા હતા અને તેઓ 1995 દરમ્યાન અમરેલી કલેકટરના પીએ રહી ચૂક્યા હતા. તેમના દાદા ખેલશંકરભાઈ વ્રજલાલ જાની કથાકાર હતા. જ્યારે આકાશવાણીની શરૂઆત થઈ હતી ત્યારે તેઓ પ્રથમ વ્યક્તિ હતા જેઓ કથાકાર તરીકે આકાશવાણીમાં શ્લોકો, અધ્યાય શ્રોતાઓને સંભળાવતા હતા. આ ઉપરાંત તેમણે પરદાદા વ્રજલાલ જાની 100 વર્ષ પહેલાં જાણીતા હાર્મોનિયમ વાદક હતા. જેઓએ ઉસ્તાદ સંગીતકાર પંડિત ઓમકાર ઠાકર સાથે હાર્મોનિયમ વગાડી પર્ફોમન્સ આપ્યુ હતુ. આ ધરોહરને ભાર્ગવભાઈ જાનીએ આગળ ધપાવી છે. પોતે તો જાણીતા રિદ્ધમિસ્ટ બન્યા સાથે પોતાના દીકરાને પણ મ્યુઝિકમાં પારંગત કર્યા.



