વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે, 20 સપ્ટેમ્બરે રૂ. 34,200 કરોડથી વધુ મૂલ્યના બહુવિધ હાઇ-પ્રોફાઇલ વિકાસ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને સમીક્ષા કરવા માટે ગુજરાતમાં છે. આ મુલાકાતમાં ભાવનગરમાં ઉદ્ઘાટન, ધોલેરાનું હવાઈ સર્વેક્ષણ અને લોથલમાં પ્રોજેક્ટના ખાતમુહૂર્તનો સમાવેશ થાય છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતના પ્રવાસે છે. તેઓ ભાવનગરમાં સવારે લગભગ 10:30 વાગ્યે ‘સમુદ્ર સે સમૃદ્ધિ’ કાર્યક્રમમાં ભાગ લીધો અને ₹34,200 કરોડથી વધુના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યું. આ પ્રસંગે તેઓ ઉપસ્થિત જનમેદનીને પણ સંબોધિત કરશે. આ પછી, વડા પ્રધાન ધોલેરાનું હવાઈ સર્વેક્ષણ કરશે તેમજ બપોરે લગભગ 1:30 વાગ્યે, તેઓ એક સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કર્યું અને લોથલ સ્થિત રાષ્ટ્રીય દરિયાઈ વિરાસત પરિસરની મુલાકાત લેશે.
- Advertisement -
દરિયાઈ ક્ષેત્રને મોટું પ્રોત્સાહન આપવા માટે, વડા પ્રધાન 7870કરોડથી વધુના ખર્ચે દરિયાઈ ક્ષેત્ર સંબંધિત અનેક વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. તેઓ ઈન્દિરા ડોક પર મુંબઈ ઇન્ટરનેશનલ ક્રુઝ ટર્મિનલનું ઉદ્ઘાટન કરશે. તેઓ શ્યામા પ્રસાદ મુખર્જી પોર્ટ, કોલકાતામાં એક નવા કન્ટેનર ટર્મિનલ અને સંબંધિત સુવિધાઓ; પારાદીપ બંદર પર નવા કન્ટેનર બર્થ, કાર્ગો હેન્ડલિંગ સુવિધાઓ અને સંબંધિત વિકાસ કાર્યો; ટુના ટેકરા મલ્ટી-કાર્ગો ટર્મિનલ; કામરાજર પોર્ટ, એન્નોરમાં અગ્નિશમન સુવિધાઓ અને આધુનિક માર્ગ સંપર્ક; ચેન્નઈ બંદર પર દરિયાઈ દીવાલો અને રિવટમેન્ટ સહિતના દરિયાકિનારાના સુરક્ષા કાર્યો; કાર નિકોબાર દ્વીપ પર દરિયાઈ દીવાલનું નિર્માણ; દીનદયાલ પોર્ટ, કંડલામાં એક બહુહેતુક કાર્ગો બર્થ અને ગ્રીન બાયો-મેથેનોલ પ્લાન્ટ; અને પટના અને વારાણસીમાં જહાજ સમારકામ સુવિધાઓનો શિલાન્યાસ કરશે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના વિવિધ ક્ષેત્રો સાથે સંકળાયેલા કેન્દ્ર અને રાજ્ય સરકારના 2,6354 કરોડથી વધુના ખર્ચે અનેક પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. તેઓ છારા પોર્ટ પર HPLNG રીગેસિફિકેશન ટર્મિનલ, ગુજરાત IOCL રિફાઇનરીમાં એક્રેલિક અને ઓક્સો આલ્કોહોલ પ્રોજેક્ટ, 600 મેગાવોટ ગ્રીન શૂ પહેલ, ખેડૂતો માટે પીએમ-કુસુમ 475 મેગાવોટ કમ્પોનન્ટ સી સોલર ફીડર, 45 મેગાવોટ બડેલી સોલર પીવી પ્રોજેક્ટ, ધોરડો ગામના સંપૂર્ણ સૌરીકરણ વગેરેનું ઉદ્ઘાટન કરશે.
તેઓ LNG ઈન્ફ્રાસ્ટ્રક્ચર, વધારાના રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ્સ, દરિયાકિનારાના સંરક્ષણ કાર્યો, હાઇવે, આરોગ્ય સંભાળ અને શહેરી પરિવહન પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કરશે, જેમાં ભાવનગરમાં સર ટી. જનરલ હોસ્પિટલ, જામનગરમાં ગુરુ ગોવિંદ સિંહ સરકારી હોસ્પિટલનું વિસ્તરણ અને 70 કિલોમીટરના રાષ્ટ્રીય ધોરીમાર્ગોને ફોર લેન બનાવવાના કાર્યોનો સમાવેશ થાય છે.
- Advertisement -
વડા પ્રધાન મોદી ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન (DSIR)નું હવાઈ સર્વેક્ષણ પણ કરશે, જેની કલ્પના એક હરિયાળા ઔદ્યોગિક શહેર તરીકે કરવામાં આવી છે, જે લાંબા ગાળાના ઉદ્યોગીકરણ, સ્માર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને વૈશ્વિક રોકાણ પર આધારિત છે. તેઓ લોથલમાં લગભગ 4,500કરોડના ખર્ચે વિકસાવવામાં આવી રહેલા રાષ્ટ્રીય દરિયાઈ વિરાસત પરિસર (NMHC)ની મુલાકાત પણ લેશે અને તેની પ્રગતિની સમીક્ષા કરશે. આ પરિસર ભારતની પ્રાચીન દરિયાઈ પરંપરાઓની ઉજવણી કરવા અને તેને સાચવવા તથા પ્રવાસન, સંશોધન, શિક્ષણ અને કૌશલ્ય વિકાસના કેન્દ્ર તરીકે કાર્ય કરશે.




