ટુર્નામેન્ટનો પ્રથમ મેચ આજે અફઘાનિસ્તાન – હોંગકોંગ વચ્ચે રમાશે
ફાઇનલ સહિત 19 મેચ રમાશે : 8 ટીમો વચ્ચે જંગ: ભારત 9મી વખત ચેમ્પિયન બનવા દાવેદાર
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ ઈં નવી દિલ્હી, તા.09
એશિયા કપ ટી20 આજથી શરૂ થવા જઈ રહ્યો છે. જોકે ટુર્નામેન્ટની શરૂઆત અબુ ધાબીમાં અફઘાનિસ્તાન અને હોંગકોંગ વચ્ચેની મેચથી થશે, પરંતુ બધાની નજર દુબઈ પર છે. કારણ સ્પષ્ટ છે. ટીમ ઈન્ડિયા સૂર્યકુમાર યાદવના નેતૃત્વમાં અભિયાનની શરૂઆત કરશે.ભારતીય ટીમનો પહેલો મુકાબલો ઞઅઊ સામે હશે, જોકે, 14 સપ્ટેમ્બરે ભારત પાકિસ્તાન સાથે અહીં ટકરાશે તેની રાહ જોવાઈ રહી છે. એશિયા કપને ઝ20 વર્લ્ડ કપ માટે ડ્રેસ રિહર્સલ માનવામાં આવે છે, પરંતુ આ વખતે સમીકરણો અલગ છે. ભારત સામે વાસ્તવિક પડકાર એશિયા પર પોતાનું વર્ચસ્વ જાળવી રાખવાનો છે. સાત વખત ઘઉઈં અને એક વખત ઝ20 (2016) ચેમ્પિયન રહેલી ટીમ ઈન્ડિયાના રેકોર્ડ અને વર્તમાન તાકાત પર નજર કરીએ તો, કોઈપણ પ્રતિસ્પર્ધી માટે તેને હરાવવાનું સૌથી મુશ્કેલ કાર્ય માનવામાં આવે છે. સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપ હેઠળ, ભારતે 80 ટકા જીત દર નોંધાવ્યો છે. ઉપ-કેપ્ટન શુભમન ગિલ સાથે, તે એક નવી નેતૃત્વ જોડી રજૂ કરશે. પસંદગી સમિતિએ અઈઈ ના 17 સભ્યોના વિકલ્પને અવગણ્યો અને ઈંઈઈ ની જેમ ફક્ત 15 ખેલાડીઓની પસંદગી કરી. આ ભારતીય મેનેજમેન્ટનો આત્મવિશ્વાસ દર્શાવે છે.ટીમની તાકાતનો અંદાજએ વાત પરથી લગાવી શકાય છે કે બેટિંગ ઓર્ડર સંપૂર્ણ ફોર્મમાં છે અને ઈંઙકના અનુભવે તેને એક નવી શૈલી આપી છે. બોલિંગમાં વરૂણ ચક્રવર્તી, કુલદીપ યાદવ જેવા સ્પિનરો અને બુમરાહ-અર્શદીપ જેવા પેસ બોલરો ટીમને વધુ ખતરનાક બનાવી રહ્યા છે.ટીમ ઈન્ડિયાએ સોમવારે સાંજે પ્રેક્ટિસ કરી હતી. સંજુ સેમસન સૌથી પહેલા આવ્યો હતો. તેણે વિકેટકીપિંગની પ્રેક્ટિસ કરી હતી પરંતુ જ્યારે તે બેટિંગ ગિયર પહેરીને પહોંચ્યો ત્યારે તે એક ઝાડ પાછળ બેઠો હતો. શુભમન, સૂર્યકુમાર, અભિષેક શર્માએ બે-ત્રણ વાર બેટિંગ કરી હતી પરંતુ સેમસનને બોલાવવામાં આવ્યો ન હતો.જ્યારે બધાએ પ્રેક્ટિસ કરી લીધી, ત્યારે તે નેટ બોલર સામે નેટ્સમાં રમ્યો. રિકુ સિંહે પેડ પણ પહેર્યા ન હતા, જે દર્શાવે છે કે તે કદાચ અંતિમ અગિયારનો ભાગ નહીં હોય. શિવમ દુબે, તિલક વર્મા, હાર્દિક પંડ્યાએ પણ બેટિંગ કરી.
સંજુને ઓપનિંગથી ન હટાવતા, હાર્દિક નેચરલ ફિનિશર: રવિ શાસ્ત્રીએ ટીમ ઈન્ડિયાને ચેતવી
એશિયા કપ 2025ની શરૂઆત માટે હવે ગણતરીના દિવસો બાકી છે. આ ટુર્નામેન્ટમાં ભારતીય ટીમ પહેલી મેચ 10 સપ્ટેમ્બરે ઞઅઊની ટીમ સામે રમશે. આ મેચ દુબઇના ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. આ મેચમાં ભારતીય ટીમનો કયો ખેલાડી રમશે અને કોઈ ખેલાડી ટીમથી બહાર રહેશે અને ટોપઓર્ડરમાં કોણ બેટિંગ કરશે તેની ચર્ચા અત્યારથી જ શરૂ થઈ ગઇ છે. એક રિપોર્ટ પ્રમાણે આ મેચમાં સંજૂ સેમસન નહીં રમે. તેની જગ્યાએ વિકેટકીપર જિતેશ શર્માને પ્લેઇંગ-11માં એન્ટ્રી મળી શકે છે. ત્યારે શુભમન ગિલ અને અભિષેક શર્મા પણ ઓપનિંગ કરી શકે છે. હાલમાં સમય સુધી સંજૂ ઓપનિંગ કરતો આવ્યો છે, પણ શુભમન ગિલ ટીમમાં હોવાથી તેણે પ્લેઇંગ-11માં જગ્યા મળે તે મુશ્કેલ છે.



