આતંકવાદ માનવતાનો દુશ્મન: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ભારતીય સમુદાયને મળ્યા
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.19
- Advertisement -
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બુધવારે કેનેડાથી ક્રોએશિયા પહોંચ્યા. ત્રણ દેશોની મુલાકાતમાં પીએમનો આ છેલ્લો પડાવ છે. રાજધાની ઝાગ્રેબમાં, પીએમ મોદીનું સ્વાગત કરવા માટે મંત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા અને ભારતીય નૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું. આ પછી, પીએમ મોદીએ ભારતીય સમુદાયના લોકોને મળ્યા હતા. પીએમ મોદીએ અહીં ક્રોએશિયાના પ્રધાનમંત્રી આન્દ્રેજ પ્લેન્કોવિક સાથે દ્વિપક્ષીય વાતચીત કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે આતંકવાદ માનવતાનો દુશ્મન છે. તે લોકશાહીમાં વિશ્વાસ રાખતી શક્તિઓ વિરુદ્ધ છે. ક્રોએશિયાના પ્રધાનમંત્રી આન્દ્રેજે કહ્યું કે અમે ભારતમાં થયેલા આતંકવાદી હુમલા અંગે પણ ચર્ચા કરી હતી અને દુ:ખ વ્યક્ત કર્યું હતું. આતંકવાદ સામેની લડાઈ અંગે પીએમ મોદીના સંદેશને અમે સારી રીતે સમજી શક્યા છીએ, કારણ કે તે વિશ્વ માટે સૌથી મોટો ખતરો છે. આ અંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ક્રોએશિયન સરકારનો આભાર માન્યો હતો. ભારતીય પ્રધાનમંત્રીની આ પહેલી મુલાકાત છે. અહીં 17 હજારથી વધુ ભારતીયો રહે છે. ક્રોએશિયા આવતા પહેલા, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ૠ7 સમિટમાં મહેમાન રાષ્ટ્ર તરીકે ભાગ લીધો હતો. આ દરમિયાન, તેઓ ઘણા વિશ્વ નેતાઓને મળ્યા હતા.