ખરાબ હવામાનને કારણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો સિક્કિમ પ્રવાસ રદ કરવામાં આવ્યો છે
PM મોદી સિક્કિમ રાજ્યની સ્થાપનાની 50 મી વર્ષગાંઠની ઉજવણી માટે ગંગટોક જઈ શકશે નહીં. તેના બદલે તેઓ સવારે 10 વાગ્યે બાગડોગરાથી વીડિયો કોન્ફરન્સ દ્વારા સિક્કિમના લોકોને સંબોધિત કરશે, જાણો શું છે કારણ ?
- Advertisement -
PM મોદીના સિક્કિમ પ્રવાસને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં ખરાબ હવામાનને કારણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો સિક્કિમ પ્રવાસ રદ કરવામાં આવ્યો છે. હવે PM મોદી સિક્કિમ રાજ્યની સ્થાપનાની 50 મી વર્ષગાંઠની ઉજવણી માટે ગંગટોક જઈ શકશે નહીં. તેના બદલે તેઓ સવારે 10 વાગ્યે બાગડોગરાથી વીડિયો કોન્ફરન્સ દ્વારા સિક્કિમના લોકોને સંબોધિત કરશે. અગાઉ ગંગટોકમાં PM મોદીના આગમનની તૈયારીઓ ચાલી રહી હતી. સવારે લગભગ 11 વાગ્યે વડા પ્રધાન મોદી કાર્યક્રમમાં ભાગ લેવાના હતા. પ્રધાનમંત્રી સિક્કિમમાં અનેક વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરવાના હતા. જોકે હવે બધા કાર્યક્રમો વર્ચ્યુઅલી આયોજિત કરવામાં આવશે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે ચાર રાજ્યોમાં વિકાસ પ્રોજેક્ટ્સ શરૂ કરશે પરંતુ ખરાબ હવામાનને કારણે તેમની સિક્કિમની મુલાકાત હાલ પૂરતી મુલતવી રાખવામાં આવી છે. સિક્કિમ રાજ્યની સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ થવા પર તેઓ રાજધાની ગંગટોકમાં એક ભવ્ય કાર્યક્રમમાં ભાગ લેવાના હતા પરંતુ ખરાબ હવામાનને કારણે તેઓ ત્યાં પહોંચી શકશે નહીં. તેના બદલે તેઓ બાગડોગરાથી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સિક્કિમના લોકોને સંબોધિત કરશે.
ચાર રાજ્યોની યાત્રા, વિકાસ માટે નવા રસ્તા
- Advertisement -
પ્રધાનમંત્રી મોદી 29 અને 30 મેના રોજ સિક્કિમ, પશ્ચિમ બંગાળ, બિહાર અને ઉત્તર પ્રદેશની મુલાકાત લેવાના હતા. સિક્કિમનો પ્રવાસ રદ કરવામાં આવ્યો હોવા છતાં બાકીના ત્રણ રાજ્યોનો પ્રવાસ નિર્ધારિત કાર્યક્રમ મુજબ ચાલુ રહેશે. પ્રધાનમંત્રી મોદી સિક્કિમમાં અનેક વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરશે. આ પ્રોજેક્ટ્સમાં નામચી જિલ્લામાં 750 કરોડ રૂપિયાના ખર્ચે બાંધવામાં આવનાર 500 બેડની જિલ્લા હોસ્પિટલ, ગ્યાલશિંગ જિલ્લામાં સાંગાચોલિંગ રોપવે પ્રોજેક્ટ અને ગંગટોકમાં અટલ અમૃત ઉદ્યાનમાં ભૂતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીની પ્રતિમાની સ્થાપનાનો સમાવેશ થાય છે.
50 મી વર્ષગાંઠની ઉજવણી માટે ખાસ કાર્યક્રમો
પ્રધાનમંત્રી મોદી સિક્કિમના ભારતમાં પ્રવેશની 50 મી વર્ષગાંઠ નિમિત્તે એક સ્મારક સિક્કો અને ટપાલ ટિકિટ પણ બહાર પાડશે. તેઓ ગંગટોકમાં યોજાનાર મુખ્ય કાર્યક્રમ દરમિયાન સિક્કિમના લોકોને સંબોધિત કરશે. તેમની મુલાકાતને ધ્યાનમાં રાખીને સ્થાનિક વહીવટીતંત્રે કડક સુરક્ષા વ્યવસ્થા કરી છે. જોકે, આ કાર્યક્રમ હવે ડિજિટલ માધ્યમથી આયોજિત કરવામાં આવશે.