ગુજરાતી રંગભૂમિના સ્તંભ કૌસ્તુભ ત્રિવેદીનું અવસાન, અને રંગભૂમિ જગત શોકમાં ડૂબી ગયું, જેડી મજેઠિયા કહે છે, “બીજા પિતા ગયા…”
અભિનેતા, પ્રોડયુસર સંજય ગોરડિયા, અભિનેતા બાબુલ ભાવસાર, રાજેન્દ્ર બુરાલા, છાયા વોરા,મેઘના ખાંડેકરે દિગ્ગજ કલાકારને શ્રધ્ધાંજલી અર્પી. ગુજરાતી રંગભૂમિની ઓળખ સમા કલાકાર, પ્રોડયુસર કૌસ્તુભ ત્રિવેદીનું ગઈકાલે મુંબઈ ખાતે નિધન થતા નાટય શોખિનો તથા થિયેટકના કલાકારોમાં શોકની છાયા ફેરી વળી છે.આજે સવારે કાંદિવલી (મુંબઈ)થી કૌસ્તુભ ત્રિવેદીની અંતિમ યાત્રા નીકળી ત્યારે રંગભૂમિના કલાકારો તેમજ તેમના ચાહકો બહોળી સંખ્યામાં જોડાયા હતાં.
- Advertisement -
તેમણે થિયેટરમાં પ્રોડ્યુસર તરીકે 200 કરતા નાટક નિર્માણ કરતાં છે અને કેટલાક નાટકોમાં કામ પણ કર્યું છે. આ સાથે તેઓ પ્રખ્યાત ગુજરાતી ફિલ્મ ‘વીર માંગડાવાળો’માં અભિનય માટે પણ જાણીતા હતા. તેમની અંતિમ યાત્રા નિવાસ સ્થાનેથી નીકળશે. ગુજરાતી રંગભૂમિ અને ફિલ્મોમાં એક મોટી ખોટ સર્જાઈ છે. અનેક ગુજરાતી નાટકો અને ફિલ્મોમાં અભિનય અને નિર્માતા તરીકે પોતાની છાપ છોડનાર દિગ્ગજ કલાકાર કૌસ્તુભ ત્રિવેદીનું મુંબઈમાં તેમના નિવાસ સ્થાને 69ની વયે અવસાન થયું છે.
કૌસ્તુભ ત્રિવેદીનું ગુજરાતી થિયેટરમાં ખૂબ જ મોટું યોગદાન હતું. તેમણે થિયેટરમાં પ્રોડ્યુસર તરીકે 100 કરતા વધુ નાટકો નિર્માણ કર્યા છે અને કેટલાક નાટકોમાં કામ પણ કર્યું છે. આ સાથે તેઓ પ્રખ્યાત ગુજરાતી ફિલ્મ ‘વીર માંગડાવાળો’માં અભિનય માટે પણ જાણીતા હતા. ગુજરાતી રંગભૂમિના આ મોટા કલાકાર અને પ્રોડ્યુસરના નિધન પર તેમના નજીકના મિત્રો કલાકારો અને પરિવાર તરફથી શોક વ્યકત કરવામાં આવી રહ્યો છે. અભિનતા અને પ્રોડ્યુસર સંજય ગોરડિયા, બાબુલ ભાવસાર, રાજેન્દ્ર બુટાલાએ આ દિગ્ગજ કલાકાર સાથેની તેમની યાદગાર પળોને શેર કરી તેમને યાદ કર્યા છે.
બોલિવૂડ અભિનેતા જોની લીવરની દીકરી જેમી લીવરના પણ અનેક શો કૌસ્તુભ ત્રિવેદીએ પ્રોડ્યુસ કર્યા છે. જેમી લીવરે પણ તેમણે ભાવુક શ્રદ્ધાંજલી આપી છે.
સંજય ગોરડિયા અને કૌસ્તુભ ત્રિવેદીએ 100 કરતાં વધુ નાટકમાં પ્રોડ્યુસર અને સાથી કલાકાર તરીકે કામ કર્યું છે. ખાસ મિત્રના અવસાન પર તેને યાદ કરતાં સંજય ગોરડિયા કહે છે કે અમે પાર્ટનર પછી અને મિત્ર પહેલા હતા. 25 વર્ષ એકબીજા સાથે અમારી પાર્ટનરશિપની જર્નીને એક રેકોર્ડ ગણાવી શકાય. અમારી વચ્ચે મતભેદો થયા, પણ તે કદીયે પૈસાને લઈને નહીં પણ નાટકની ક્રિએટિવિટી બાબતને લઈને તેને બહેતર બનાવવાની દ્રષ્ટિએ થતાં.
- Advertisement -
ગુજરાતી રંગભૂમિને મોટી ખોટ પડી છે. તે ઘણા સમયથી નાટકોથી દૂર હતા, તેમ છતાં તેમનું નામ નાટકમાં હોય. નિર્માતાઓ તેમને કહેતા કે તમે કામ નહીં કરતાં પણ તમારું નામ નાટકમાં રહેશે, આ બાબત તેના કામ પ્રત્યે ઘણું કહીં જાય છે. કૌસ્તુભ ત્રિવેદી સાથે પોતાની જર્ની અને મિત્રતાને એક નાટકમાં વ્યાખ્યાયિત કરી શકાય તે અંગે સંજય ગોરડિયાએ કહ્યું ‘લાલી લીલા’. આ નાટકને બે પાત્રોની જેવી અમારી મિત્રતા હતી. અમારી વચ્ચે પૈસાને લઈને કોઈ અવિશ્વાસ કોઈ પણ પરિસ્થિતીમાં ન નિર્માણ થઈ શકે, એવી અમારી મિત્રતા હતી.” કૌસ્તુભ ત્રિવેદીના નિધન પર શોક વ્યક્ત કરતાં બાબુલ ભાવસાર કહે છે કે કૌસ્તુભ ભલે મારી સાથે નાટકમાં હોય કે ન હોય પણ તે હંમેશા પ્રોડકશનમાં દરેકને ગાઈડ કરતો. રંગભૂમિ માટે હંમેશા છાતી કાઢીને ઊભા રહી જાય તેવી વ્યક્તિ એટલે કૌસ્તુભ ત્રિવેદી.
આ ક્ષેત્રથી જોડાયલ દરેક વ્યક્તિ તેમને જરૂર યાદ કરશે. તેઓ અનેક વખત મારા મદદગાર તરીકે આગળ આવ્યા છે અને નાટક અંગે સૌથી પ્રામાણિક વ્યક્તિ. તેમની સાથે કામ કરતી વખતે મને પૈસાની બાબતે કોઈ પણ વિવાદ કે તકલીફ થઈ નથી. તેઓ નાટકને ઉત્તમ બનાવવા માટે બધા જ પ્રયત્ન કરે. ‘ભગવાન તારું ભલું કરે’ આ વાક્ય તેમની જીભે હોય જ. આ સાથે અભિનેત્રી છાયા વોરા, અને મેઘના ખાંડેકર પણ આ દિગ્ગજ કલાકારને શ્રદ્ધાંજલી આપી શોક વ્યક્ત કર્યો છે. પ્રોડ્યુસર રાજેન્દ્ર બુટાલા કૌસ્તુભ ત્રિવેદીને યાદ કરતાં કહે છે કે હું અને તે ફક્ત નિર્માતા તરીકે જ નહીં પણ મિત્રો તરીકે પણ સાથે જોડાયેલા હતા. તેની બાહોશ કુશળતા, સ્વભાવ અને જે વિઝન હતું તે ખરેખર પ્રશંસનીય છે. તેમના નિધનથી ગુજરાતી રંગ ભૂમિને મોટી ખોટ સાલશે. નાટક ન ચાલે તો પોતાની ભૂલ હોય તો સ્વીકારી લે તે કલાકારનું નામ કૌસ્તુભ ત્રિવેદી. ભગવાન તેની આત્માને શાંતિ આપે અને તેમના પરિવાર સાથે હું છું.