ખાસ-ખબર ન્યૂઝ ઇસ્લામાબાદ, તા.24
છેલ્લા એક અઠવાડિયામાં પાકિસ્તાનના કરાચીમાં કોરોનાને કારણે 4 લોકોના મોત થયા છે. મૃત્યુ પામેલા મોટાભાગના લોકો વૃદ્ધ હતા અને પહેલાથી જ ઘણી બીમારીઓથી પીડાતા હતા.
આ બધા મૃત્યુ આગા ખાન યુનિવર્સિટી હોસ્પિટલમાં થયા હતા. છેલ્લા કેટલાક દિવસોથી અહીં કોરોના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે.
દરમિયાન, ભારતમાં અત્યાર સુધીમાં કોરોનાના 261 નવા કેસ મળી આવ્યા છે. કેરળમાં સૌથી વધુ 95, તમિલનાડુમાં 66 અને મહારાષ્ટ્રમાં 56 નવા કેસ મળી આવ્યા છે. આ નવા કેસોનું કારણ કોરોનાના ઉંગ1 વેરિયન્ટને માનવામાં આવી રહ્યું છે.
- Advertisement -
કરાચી સ્થિત શ્ર્વસન રોગના નિષ્ણાત ડો. જાવેદ ખાને મીડિયાને જણાવ્યું હતું કે છેલ્લા અઠવાડિયાથી દરરોજ 8થી 10 કોવિડ-19 પોઝિટિવ કેસ જોવા મળી રહ્યા છે. દરમિયાન, સિંધના આરોગ્ય મંત્રી ડો. અઝરા પેચુહોએ કહ્યું કે હાલમાં તેઓ વર્તમાન પરિસ્થિતિ પર કોઈ નિવેદન આપી શકે નહીં.
પાકિસ્તાનના નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ (ગઈંઇં)ના એક અધિકારીએ મીડિયાને જણાવ્યું – અમને ખૂબ ઓછા નમૂના મળી રહ્યા છે, પરંતુ તેમાંથી 10થી 20% કોવિડ પોઝિટિવ છે. સમસ્યાની ગંભીરતા સમજવા માટે આપણને વધુ ડેટાની જરૂર છે.
છેલ્લા કેટલાક સમયથી, સમગ્ર એશિયામાં કોરોનાના કેસોમાં ઝડપથી વધારો થયો છે. 13 મે સુધીમાં, સિંગાપોરમાં 14,200 નવા કોરોના દર્દીઓ મળી આવ્યા હતા અને 17 મે સુધીમાં, થાઇલેન્ડમાં
33,030 નવા કોરોના દર્દીઓ મળી આવ્યા હતા. 10 મે સુધીમાં, હોંગકોંગમાં 1,042 નવા કેસ નોંધાયા હતા.
ભારતમાં પણ 12 મેથી કેસ વધ્યા છે. 11 રાજ્યોમાં નવા કેસ નોંધાયા છે. મોટાભાગના કેસ કેરળ, મહારાષ્ટ્ર અને તમિલનાડુના છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે 19 મેના રોજ આપેલા આંકડા મુજબ, દેશમાં 261 સક્રિય કેસ છે. મુંબઈમાં બે દર્દીઓના મોતના સમાચાર પણ છે. જોકે, નિષ્ણાતો કોરોનાના આ પ્રકારને ખૂબ ખતરનાક માનતા નથી.