મનપાના આરોગ્ય વિભાગ દ્વારા પાણીજન્ય રોગચાળો ફેલાતો અટકાવવા કવાયત
મિનરલ પાણીના 17 સેમ્પલ ફેલ થયા, પાણીના જગ વિતરણ અટકાવવા આદેશ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
હાલમાં ઉનાળો ચાલી રહ્યો છે અને સામાન્ય રીતે ઠંડા મિનરલ પાણીના જગનું ચલણ વધી રહ્યું છે. ઓફિસ, દુકાન, લગ્ન પ્રસંગ, પાર્ટી-ફંક્શન અને ઘણી જગ્યાએ તો ઘરે પણ પીવાના પાણીના જગ મંગાવવામાં આવી રહ્યા છે. ત્યારે રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા શહેરમાં અલગ-અલગ મિનરલ પાણી વિતરકોને ત્યાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં આ પાણી પીવા લાયક ન મળી આવતા ખળભળાટ મચી ગયો છે. કારણ કે, દરરોજના હજારો જગ પાણી રાજકોટવાસીઓ પી જાય છે, જે એક ચિંતાનો વિષય બન્યો છે. કારણકે, પાણીજન્ય રોગચાળો પણ વધી રહ્યો છે. મનપાના આરોગ્ય અધિકારી ડો.જયેશ વંકાણીએ જણાવ્યું હતું કે, પાણીજન્ય રોગચાળા અન્વયે આરોગ્ય વિભાગ દ્વારા 20 આઈસ ફેક્ટરી, પાણીના જગ વિતરણ કરતા ધંધાર્થીઓને ત્યાંથી પાણીના સેમ્પલ લેવામાં આવ્યા હતા.
આ સેમ્પલ પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા બાદ 3 સેમ્પલમાં ઇન્ટરમીડિએટ અને 17 સેમ્પલમાં અનસેટિસફેક્ટરી પરિણામો આવતા તમામને જગ વિતરણ બંધ કરી દેવા આદેશ કરાયો છે. ઉનાળાની કાળઝાળ ગરમીમાં ઠંડા પાણી પીવાની લ્હાયમાં પાણીજન્ય રોગચાળો વકરે નહીં તે માટે મનપાના આરોગ્ય વિભાગ દ્વારા અગાઉ પણ 49 સ્થળેથી સેમ્પલો લેવામાં આવ્યા હતા અને તેમાંથી 39 સ્થળે ઇન્ટરમીડિયેટ પરિણામો આવતા એટલે કે તેમાં બેક્ટેરિયાનું પ્રમાણ જોવા મળતા પાણી વિતરણની મનાઇ ફરમાવી દેવામાં આવી હતી. ખઙગ કાઉન્ટમાં કોલિફોર્મ કાઉન્ટ/100 ખક પ્રમાણે 0(શૂન્ય) એટલે એક્સેલન્ટ, 1થી 3ને સેટિસફેક્ટરી, 4થી 9 ને ઈન્ટરમીડિએટ અને 10 કે તેથી વધુને અનસેટિસફેક્ટરી ગણવામાં આવે છે. અનસેટિસફેક્ટરી આવેલા પરિણામોવાળું પાણી કોલિફોમ ઓર્ગેનિક કહેવાય એટલે કે તેનાથી ઝાડા-ઊલટી થવાની પૂરતી સંભાવના છે અને તેનાથી આંતરડામાં રહેતા બેક્ટેરિયા વધુ વકરે છે. તેમજ અમુક સેમ્પલો બેસીલાઇવ બેક્ટેરિયા હોય છે જેનાથી ટાઇફોઇડ જેવી બીમારી વકરે છે. આ જગનું પાણી પીનાર વ્યક્તિને પેટના રોગો અને પેટના ઇન્ફેક્શન લાગુ થવાની પૂરતી સંભાવના છે.
- Advertisement -
3 પેઢીનું પરિણામ ઇન્ટરમીડિએટ
મીરા મિનરલ વોટર
બાબા મિનરલ વોટર
એક્વાનીર વોટર સપ્લાયર
17 કંપનીના પરિણામો અનસેટિસફેક્ટરી
માનસી વોટર, મહાદેવ વોટર, લાભ આઈસ ફેક્ટરી, જય ચામુંડા મિનરલ વોટર, ગોકુલ મિનરલ વોટર, યુ.વી. મિનરલ વોટર, એક્વાફ્રેશ વોટર, ભગવતી ડ્રિન્કિંગ વોટર, ભગવતી વોટર સપ્લાય, મહાદેવ આઈસ, કિશન ડ્રિન્કિંગ વોટર, સ્વર્ગ ડ્રિન્કિંગ વોટર, રોક એક્વા, યુ.વી. વોટર, શિવશક્તિ ડ્રિન્કિંગ વોટર, શિવશક્તિ વોટર સપ્લાયર, જાહલ ડ્રિન્કિંગ વોટર
પીવાના પાણીની બોટલના ઢાંકણાના રંગો અને અર્થ જાણો
જો તમે પાણીની બોટલ ખરીદી છે, તો તેના ઢાંકણાનો રંગ ચોક્કસપણે તપાસો. ઢાંકણનો રંગ બોટલમાંના પાણીની લાક્ષણિકતાઓને પ્રતિબિંબિત કરે છે, તેથી ઢાંકણના રંગમાં મહત્વપૂર્ણ માહિતી હોય છે. ઢાંકણનો રંગ તપાસ્યા વિના ક્યારેય બોટલ ન ખરીદો.
સફેદ રંગનું ઢાંકણું – બોટલ લેતી વખતે તેના ઢાંકણાંનો રંગ જો સફેદ હોય તો આનો અર્થ એ છે કે બોટલમાં પાણી પ્રોસેસ્ડ છે
કાળા રંગનું ઢાંકણું – આનો અર્થ એ છે કે પાણી આલ્કલાઇન છે. વાદળી રંગનું ઢાંકણું – આનો અર્થ એ છે કે ઝરણામાંથી પાણી એકત્ર કરવામાં આવ્યું છે.
લીલું ઢાંકણું – આનો અર્થ એ છે કે પાણીમાં સ્વાદ ઉમેરવામાં આવ્યો છે.



