6 લાખની આવક મર્યાદાનો સરકારે આદેશ ન કરતા વાલીઓમાં અસમંજસ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટમાં રાઇટ ટુ એજ્યુકેશન (RTE) હેઠળ જે વિદ્યાર્થીઓ સ્કૂલ બદલવા માંગતા હોય તેમના માટે જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા 15 દિવસનો કેમ્પ કરવામાં આવ્યો હતો. જેમાં રહેઠાણ અને માધ્યમ બદલવું હોવાથી સ્કૂલ ફેરફારની અરજીઓ સૌથી વધુ છે. આ ઉપરાંત માતા-પિતાના છૂટાછેડા અને અવસાન સહિતની અરજીઓ પણ છે. જોકે, ગત વર્ષે સ્કૂલ બદલવા માટેની 500થી વધુ અરજી આવી હતી, જેની સામે આ વખતે 220 અરજીઓ જ આવી છે. જોકે, હજુ સુધી રાજ્ય સરકાર દ્વારા એ સ્પષ્ટતા કરવામાં આવ્યું નથી કે, સ્કૂલ ફેર બદલી માટે હવે રૂપિયા 1.50 લાખની વાલીની આવક મર્યાદા રાખવામાં આવશે કે તેને વધારી રૂ. 6 લાખ આવક મર્યાદા કરવામાં આવી છે. રાજકોટમાં તો સ્કૂલ ફેર બદલી માટેનો કેમ્પ પૂર્ણ થઈ ગયો, પરંતુ હજુ સુધી સરકારનું માર્ગદર્શન જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીને મળ્યું નથી.
રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીમાં છઝઊ વિભાગ સંભાળતા જીજ્ઞેશ રાવલે જણાવ્યું હતું કે, દર વર્ષે રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ ખાનગી સ્કૂલોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને કોઈ પણ કારણોસર સ્કૂલની ફેરબદલી કરવાની થાય તો તેના માટે કેમ્પ રાખવામાં આવે છે. જેના ભાગરૂપે આ વર્ષે 1થી 15 એપ્રિલ દરમિયાન આ પ્રકારનો કેમ્પ રાખવામાં આવેલો હતો, જેમાં 220 અરજીઓ આવેલી છે.