અયોધ્યા શ્રી રામ જન્મભૂમિ ટ્રસ્ટના ટ્રસ્ટી સ્વામી પરમાનંદની તબિયત લથડ્યા બાદ તેમને કાર્ડિયોલોજી આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ તેમના સ્વાસ્થ્યમાં કોઈ ખાસ સુધારો ન થતા તેમને મહાકુંભથી એરલિફ્ટ કરીને AIIMS દિલ્હી લઈ જવામાં આવ્યા.
મહાકુંભ દરમિયાન સંગમમાં ડૂબકી લગાવ્યા પછી, શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર અયોધ્યાના ટ્રસ્ટી સ્વામી પરમાનંદ મહારાની તબિયત અચાનક બગડી ગઈ. છાતીમાં તીવ્ર દુઃખાવાની ફરિયાદ બાદ તેમને પહેલા સેન્ટ્રલ હોસ્પિટલ મહાકુંભમાં દાખલ કરવામાં આવ્યા, જ્યાં તેમની હાલત ગંભીર રહી. ડોક્ટરોની સલાહ પર તેમને પ્રયાગરાજ સ્વરૂપ રાણી નેહરૂ (SRN) હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા. ત્યાં પણ તેમની તબિયતમાં કોઈ સુધારો ન થયો, ત્યારે તેમને એરલિફ્ટ કરીને દિલ્હીના એઈમ્સ લઈ જવામાં આવ્યા.
- Advertisement -
સ્નાનના થોડા સમય પછી જ છાતીમાં દુખાવાની વાત કહી હતી
77 વર્ષીય સ્વામી પરમાનંદ મહારાજે માઘી પૂર્ણિમા પર સંગમ સ્નાન કર્યું હતું. સ્નાનના થોડા સમય પછી જ તેમને છાતીમાં દુઃખાવાની ફરિયાદ થઈ. તેમના શિષ્યોએ તરત જ તંત્રને આની જાણ કરી, જે પછી એમ્બ્યુલન્સ દ્વારા તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. ત્યાં આઈસીયુમાં દાખલ કરીને ડોક્ટરોની ટીમે તેમની સારવાર શરૂ કરી.
ગંભીર હાલતમાં કાર્ડિયોલોજી ICUમાં દાખલ કરવામાં આવ્યા
- Advertisement -
પ્રાથમિક તપાસ બાદ ડોક્ટરોએ મામૂલી હાર્ટ એટેકની પુષ્ટિ કરી. વધુ સારી સારવાર માટે તેમને SRN હોસ્પિટલમાં રિફર કરી દેવામાં આવ્યા, જ્યાં સિનિયર ડોક્ટર ડૉ. મનોજ માથુર અને કાર્ડિયોલોજિસ્ટ ડૉ. મોહમ્મદ શાહિદની ટીમે તેમની તપાસ કરી. તેમના હૃદયની સ્થિતિ ગંભીર હોવાથી, તેમને કાર્ડિયોલોજી આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા, જ્યાં તેમના સ્વાસ્થ્યમાં કોઈ ખાસ સુધારો ન થયો.
ડોક્ટરોની ભલામણ પર, વહીવટીતંત્રે તાત્કાલિક નિર્ણય લઈને સ્વામી પરમાનંદને એર એમ્બ્યુલન્સ દ્વારા દિલ્હીના એઈમ્સમાં રિફર કરી દીધા. ત્યાં, કાર્ડિયોલોજિસ્ટની એક ટીમની દેખરેખ હેઠળ તેમની સારવાર ચાલી રહી છે. હાલમાં તેમની હાલત સ્થિર હોવાનું કહેવાય છે.
રામ મંદિર આંદોલનમાં ઘણીવાર જઈ ચુક્યા છે જેલ
સ્વામી પરમાનંદ ગિરિજી મહારાજ શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના અગ્રણી સભ્યોમાંના એક છે. તેમનો જન્મ ઉત્તર પ્રદેશના ફતેહપુર જિલ્લાના મવાઈ ધામમાં થયો હતો. હાલમાં તેઓ હરિદ્વાર સ્થિત અખંડ પરમધામ આશ્રમના સ્થાપક અને પ્રમુખ છે. તેમણે રામ મંદિર આંદોલનમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી, જે દરમિયાન તેમને ઘણી વખત જેલમાં જવું પડ્યું. સ્વામી પરમાનંદજીએ રામ મંદિરના નિર્માણ માટે સંતો અને સંગઠનોને સંગઠિત કરવામાં સક્રિય ભૂમિકા ભજવી હતી અને તેના સમર્થનમાં ઘણી ધાર્મિક અને સામાજિક આંદોલનો પણ ચલાવ્યા હતા. તેમની આધ્યાત્મિક અને સામાજિક સેવાઓ તેમને હિન્દુ સમાજમાં એક આદરણીય અને પ્રભાવશાળી સંત તરીકે સ્થાપિત કરે છે.
સ્વામી પરમાનંદની તબિયત ખરાબ થવાના સમાચાર ફેલાતાં જ તેમના અનુયાયીઓ અને ભક્તોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું. પ્રયાગરાજમાં મહાકુંભમાં હાજર ઘણા સાધુ-સંતોએ તેમના ઝડપી સ્વાસ્થ્ય માટે ખાસ પ્રાર્થના કરી. અયોધ્યા અને પ્રયાગરાજના સંત સમુદાય પણ તેમના સ્વાસ્થ્ય વિશે ચિંતિત છે અને તેમના માટે સતત ધાર્મિક વિધિઓ કરી રહ્યા છે.