આજના સમયમાં મોટી સંખ્યામાં લોકો સોશિયલ મીડિયા પર લાંબો સમય વિતાવે છે. ત્યારે આ દેશમાં સોશિયલ મીડિયાના વપરાશ પર પ્રતિબંધ લગાવી દીધો છે. સરકારના આદેશથી હડકંપ મચી ગયો છે. જાણો શું છે સમગ્ર મામલો..
આજના યુગમાં સોશિયલ મીડિયા એક એવું માધ્યમ બની ગયું છે કે જે આપણને માત્ર કનેક્ટેડ જ નહીં પણ આપણા વિચારો વ્યક્ત કરવા અને સાંભળવા માટે એક પ્લેટફોર્મ પણ આપે છે. પરંતુ જો આ આ જ માધ્યમ પર પ્રતિબંધ મુકવામાં આવશે તો શું થાય? આવું જ કંઈક બન્યું છે. જ્યાં સોશિયલ મીડિયાના ઉપયોગ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.
- Advertisement -
સોશિયલ મીડિયા પર પ્રતિબંધ
સરકારે હિંસા સંબંધિત વીડિયો અને તસવીરો રોકવા માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય લીધો છે. જો કે, સરકારી નિવેદનમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આ પ્રતિબંધ અસ્થાયી છે. પરંતુ આવું કેમ થયું તે સમજવાની ખૂબ જરૂર છે.
સુદાન સરકારે આપ્યો આદેશ
- Advertisement -
જો આંતરરાષ્ટ્રીય મીડિયા અહેવાલોની વાત કરવામાં આવે તો, દક્ષિણ સુદાનની સરકારે બુધવારે (22 જાન્યુઆરી 2025) ટેલિકોમ કંપનીઓને ઓછામાં ઓછા 30 દિવસ માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકવાનો આદેશ આપ્યો છે. સુદાનમાં થઈ રહેલી હિંસાની ગ્રાફિક કંટેટ રોકવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. નેશનલ કોમ્યુનિકેશન ઓથોરિટી (NCA)નું કહેવું છે કે જાહેર સુરક્ષા અને માનસિક સ્વાસ્થ્યને બચાવવા માટે આ પગલું જરૂરી છે.
કેમ લેવામાં આવ્યો આ કડક નિર્ણય?
સુદાનના ગેઝિરા રાજ્યમાં દક્ષિણ સુદાનના નાગરિકો સામેની હિંસાની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા હતા. જેના કારણે દક્ષિણ સુદાનના લોકોમાં ગુસ્સો અને ભય વધી રહ્યો હતો. ગયા અઠવાડિયે, દક્ષિણ સુદાનમાં આ ઘટનાઓની હિંસક પ્રતિક્રિયા જોવા મળી હતી, જેમાં દુકાનો લૂંટાઈ હતી. આવી સ્થિતિમાં, સરકારે ન માત્ર સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂક્યો પરંતુ નાઇટ કર્ફ્યુ પણ લગાવી દીધો છે.