અંબાણી-જિંદાલ જેવા ઉદ્યોગપતિઓ બૅન્કોની લૉન લઇ ચૂકવતા નથી: બૅન્કોએ હવે માંડવાળ કરી રકમ : લૉન માફ કરવામાં SBI નંબર-1
PNBએ રૂ.1,46,652 તો LBIએ રૂ.82449 કરોડ માંડવાળ કર્યા : ટોચના 100 ડિફોલ્ટરો કુલ ગઙઅમાં 43% હિસ્સો ધરાવે છે
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.16
- Advertisement -
અનિલ અંબાણી, જિંદાલ અને જયપ્રકાશ જેવા ઉદ્યોગપતિઓ લોનની રકમ ચૂકવવામાં નિષ્ફળ ગયા છે . જેના કારણે બેંકો પર બોજ સતત વધી રહ્યો છે. છેલ્લા 10 વર્ષમાં બેંકોએ 12 લાખ કરોડ રૂપિયાની લોન માફ કરી છે. તે જ સમયે, છેલ્લા 5 વર્ષમાં લોન માફીની અડધાથી વધુ રકમ સરકારી બેંકોમાંથી આવી છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (જઇઈં) લોન માફીમાં સૌથી આગળ છે.
ટાઈમ્સ ઓફ ઈન્ડિયા અનુસાર, નાણાકીય વર્ષ 2015 અને નાણાકીય વર્ષ 2024 વચ્ચે, બેંકોએ કુલ 12.3 લાખ કરોડ રૂપિયાની લોન માફ કરી છે. સંસદમાં પૂછાયેલા પ્રશ્ર્નોના જવાબમાં સરકારે આ માહિતી આપી હતી. સરકાર દ્વારા પૂરા પાડવામાં આવેલ ડેટા અનુસાર, છેલ્લા પાંચ વર્ષમાં (નાણાકીય વર્ષ 20-24) જાહેર ક્ષેત્રની બેંકો (સરકારી બેંકો) દ્વારા આમાંથી 53% અથવા રૂ. 6.5 લાખ કરોડ માફ કરવામાં આવ્યા હતા.
ધ ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, ટોચના 100 ડિફોલ્ટરો કુલ એનપીએમાં 43 ટકા હિસ્સો ધરાવે છે. ઈન્ડિયન એક્સપ્રેસે આઈટીઆર દ્વારા આ માહિતી એકત્રિત કરી છે. એવું કહેવામાં આવ્યું છે કે અનિલ અંબાણીની કંપની રિલાયન્સ કોમ્યુનિકેશન લિમિટેડ પણ તે લોકોમાં સામેલ છે જેઓ લોન ચૂકવી શકયા નથી. આ સિવાય જિંદાલ અને જેપી ગ્રુપની કંપનીઓ પણ છે.
નાણાકીય વર્ષ 2019માં બેંકો દ્વારા લોન માફીનો દર રૂ. 2.4 લાખ કરોડ સુધી પહોંચી ગયો છે. જ્યારે નાણાકીય વર્ષ 2024માં તે 1.7 લાખ કરોડ રૂપિયાના સૌથી નીચા સ્તરે આવી ગયું હતું. તે સમયે લગભગ રૂ. 165 લાખ કરોડની કુલ બેક્ર લોનનો માત્ર એક ટકા જ બાકી હતો. જાહેર ક્ષેત્રની બેંકો હાલમાં કુલ લોનમાં 51% હિસ્સો ધરાવે છે, જે 2023 માં 54% થી ઓછી છે.
ગઙઅના મામલામાં સરકારી બેંકો પણ આગળ છે. નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ કહ્યું કે આરબીઆઈના ડેટા મુજબ, 30 સપ્ટેમ્બર, 2024 સુધીમાં, જાહેર ક્ષેત્રની બેંકોની એનપીએ 3,16,331 કરોડ રૂપિયા અને ખાનગી બેંકોની એનપીએ 1,34,339 કરોડ રૂપિયા હતી.
જે બેંકોએ લોન માફ કરી છે, તેમાં જઇઈં રકમની દ્રષ્ટિએ મોખરે છે. આ 5 વર્ષમાં લગભગ 1.5 લાખ કરોડ રૂપિયા માફ કર્યા. પંજાબ નેશનલ બેંક બીજા નંબર પર છે. યુનિયન બેંક ઓફ ઈન્ડિયા ત્રીજા સ્થાને, બેંક ઓફ બરોડા ચોથા સ્થાને અને બેંક ઓફ ઈન્ડિયા પાંચમા સ્થાને છે.
- Advertisement -
NPAએ રૂ.146,652 કરોડ તો ઙગઇ એ 82449 કરદઠ માંડવાળ કર્યા છે.સરકારી બેંકો પણ લોનની રકમ રાઈટ ઓફ કરવાના મામલે ઘણી આગળ છે. એસબીઆઈએ આ 5 વર્ષમાં લગભગ રૂ. 2 લાખ કરોડનું રાઈટ ઓફ કર્યું. જ્યારે પંજાબ નેશનલ બેંકે રૂ. 94,702 કરોડની લોન રાઈટ ઓફ કરી હતી. ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન, સપ્ટેમ્બરના અંત સુધી, જાહેર ક્ષેત્રની બેંકોએ 42 હજાર કરોડ રૂપિયાની લોન રાઈટ ઓફ કરી છે જે છેલ્લા 5 વર્ષમાં 6.5 લાખ કરોડ રૂપિયા હતી.