મોદી સરકાર માટે શિરદર્દ બની ગયા છે પોતાનાં જ મંત્રી
વધુ એક વખત આડકતરૂ નિશાન તાકતા કેન્દ્રીય મંત્રી : આપણે સૌ અવસરવાદી બની ગયા છે
- Advertisement -
કેન્દ્રીય મંત્રીએ કહ્યું આપણા દેશમાં મતભેદની કોઇ સમસ્યા નથી પરંતુ આપણી સમસ્યાએ છે કે કોઇ અભિપ્રાય વ્યકત કરતા નથી : પુનામાં વર્લ્ડ પીસ યુનિવર્સિટીમાં સંબોધનભ
જો કોઇ વિચાર રાજા (શાસક) વિરૂધ્ધ હોય તો તેને સહન કરે અને આત્મનિરીક્ષણ કરે તે જ વાસ્તવમાં લોકશાહી છે : ગડકરીના વિધાનોથી ફરી એકવાર ચર્ચા શરૂ
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.21
દેશભરમાં વિવિધ મંચ પરથી પોતાના બિન્દાસ વિચારો વ્યકત કરવા માટે જાણીતા બનેલા કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ફરી એક વખત દેશમાં વર્તમાન સમયમાં ચાલી રહેલા વાતાવરણ ઉ5ર પોતાના મંતવ્ય બેધડક વ્યકત કર્યા હતા. ગડકરીએ કહ્યું કે સાહિત્યકારો, બૌધ્ધિકો અને કવિઓ પાસેથી અપેક્ષા રાખવામાં આવે છે કે તેના પોતાના વિચારો ખુલ્લેઆમ અને મજબુત રીતે વ્યકત કરે. તેઓએ બીજા જ શબ્દમાં એમ જણાવ્યું કે લોકશાહીની સૌથી મોટી કસોટી એ છે કે શાસનમાં બેસેલ વ્યકિત તેના વિરૂધ્ધ વ્યકત થતા સૌથી આકરી ટીકા કે અભિપ્રાયને પણ સહન કરે અને તેમાં આત્મનિરીક્ષણ કરે. ગડકરી પુના ખાતે એમઆઇટી વર્લ્ડ પીસ યુનિવર્સિટીમાં સંબોધન કરી રહ્યા હતા અને તેમણે કહ્યું કે આજે આપણા દેશમાં મતભેદની કોઇ સમસ્યા નથી પરંતુ આપણી સમસ્યાએ છે કે કોઇ અભિપ્રાય વ્યકત કરતા નથી આપણે સૌ અવસરવાદી બની ગયા છે.
હાલમાં જ ગડકરીએ તેઓ જે સરકારનું પ્રતિનિધિ કરે છે તેમાં ભ્રષ્ટાચાર અંગે નિરીક્ષણ વ્યકત કર્યા હતા અને કોઇપણ ફાઇલમાં જેટલું વજન મુકો તેટલી તે ઝડપથી આગળ ચાલે છે. તેમણે એ પણ ઉમેર્યુ કે આજકાજ રાજકારણમાં જે થઇ રહ્યું તે અન્ય સ્થળે પણ થયું હતું. કોઇએ પોતાનું અસ્તિત્વ ગુમાવી દીધુ છે. જો કોઇ વિચાર રાજા (શાસક) વિરૂધ્ધ હોય તો તેને સહન કરે અને આત્મનિરીક્ષણ કરે તે જ વાસ્તવમાં લોકશાહી છે.તેમણે પારદર્શકતા ઉપર પણ ભાર મૂકે અને કહ્યું કે નિર્ણયો લેવા માટે સમયમર્યાદા નિશ્ર્ચિત થવી જોઇએ. જો કોઇ જાણકાર વ્યકિત કાયદા પાછળની ભાવના ન સમજે તો તેનો ફાયદો શું છે. ગડકરીના વિધાનો અંગે જબરી ચર્ચા છે અને ખાસ કરીને આકરી ટીકા સહન કરવા અંગે તેમના વિચારો કોને નિશાન બનાવ્યા છે તે પણ ચર્ચા થવા લાગી છે. ભાજપના વરિષ્ઠ નેતાએ કાનુનમાં જે લખાયુ છે તેની પાછળની જે ભાવના છે તેનો અંતર છે અને તે સમજવું જોઇએ. કયારેક એવું બને છે કે માર્ગ પરના ખાડા ભરવામાં પણ બોસના આદેશની જરૂર પડે છે. તેમણે કહ્યું કે હું અત્યારે તેના વિશે વધુ કહેવા માંગતો નથી. તેમણે અગાઉ અધિકારીઓ એક વર્ગ માટે ન્યુટનના બાપના શબ્દનો ઉપયોગ કર્યો હતો. અને એ પણ કહ્યું હતું કે મને એક સમયે વડાપ્રધાન પદ માટે પણ ઓફર મળી હતી. ખાસ કરીને લોકસભા ચૂંટણી બાદ જે રીતે મોદી સરકાર બહારના ટેકામાં છે તે પછી ગડકરીને આ પ્રકારે કોઇ ઓફર મળી હોય તેની ચર્ચા છે. ગડકરી એ પણ કહ્યું કે આપણે લોકશાહીને ચાર સ્તંભો પર ઉભેલી ગણીએ છીએ જેમાં સરકાર, ધારાગૃહો, ન્યાયતંત્ર અને મીડિયાનો સમાવેશ થાય છે અને આપણા બંધારણે દરેકની કામકાજ કરવાની જે કંઇ જવાબદારી છે અને જે મર્યાદા છે તે નિશ્ર્ચિત કરી છે અને આ જ બંધારણે આપણને રાષ્ટ્રીય રીતના જે કંઇ મુદાઓ હોય તેના પર ભય વગર અભિપ્રાયની છુટ પણ આપી છે. આપણે એકબીજાના અભિપ્રાયોને સન્માન આપવું જોઇએ. દરેક વ્યકિત લોકશાહીને અનુસરે તે જરૂરી છે.
કેન્દ્રીય મંત્રીએ કહ્યું શિવાજીએ કદી કોઇના ધર્મસ્થાનનો ધ્વંશ કર્યો ન હતો
- Advertisement -
ક્ષ દેશમાં દરેકને ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર : ગડકરીના સૂચક વિધાનો
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ધર્મ અંગે પણ અભિપ્રાય વ્યકત કર્યા હતા અને કહ્યું હતું કે ગીતા, કુરાન, બાઇબલના મુળભુત સિધ્ધાંતો સમાન છે અને દરેક વ્યકિતને પોતાને કયા ઇશ્ર્વરની પ્રાર્થના કરવી તે પસંદગીનો અધિકાર છે. આપણે અભિવ્યકિત અભિપ્રાયની જેમ ધાર્મિક સ્વતંત્રતા પણ છે અને આપણે આ તમામ પ્રકારના મતભેદોથી દુર રહીને કામ કરવું જોઇએ. તેમણે છત્રપતિ શિવાજી મહારાજનું દ્રષ્ટાંત આપતા કહ્યું કે તેમના જેટલા મોટા ધર્મનિરપેક્ષ વ્યકિત મે જોયા નથી તેઓએ કદી અન્યના ધર્મ સ્થાનનો ધ્વંશ કર્યો નથી. જો આપણે વિશ્ર્વગુરૂૂ બનવું હોય તો સામાજીક એખલાસતાનો માર્ગ પસંદ કરવો જોઇએ.
તેમણે કહ્યું કે દેશમાં જે સામાજિક અશાંતિ છે તે ચિંતાજનક છે. આપણે અશ્ર્પૃશ્ર્યતા કે જાતિના ભેદભાવો દુર નહીં કરીએ ત્યાં સુધી એમ નહીં કહી શકીએ કે આપણે પ્રગતિ કરી છે.