By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    હવે UKની લક્ઝરી કાર, વ્હિસ્કી, કપડાં અને ફૂટવેર સસ્તાં મળશે
    18 minutes ago
    યુરોપમાં ગરમીનો કાળો કેર : 7 દિવસમાં 10560નાં મોત
    23 hours ago
    મિડલ ઇસ્ટમાં મહાયુધ્ધ : USએ ઈરાન પર 5 કલાક સુધી ધડાધડ મિસાઈલો છોડી
    24 hours ago
    UAEમાં લાગ્યો કેરળના ટેક્નિશિયનને 78 કરોડનો જૅકપોટ
    1 day ago
    બેંગકોકના પબમાં આગ : 30 મિનિટમાં 27 લોકો જીવતા ભડથું થઇ ગયા
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઉર્મિલાએ લગ્નના 3 દિવસ પહેલા થનારા પતિનો લઈ લીધો જીવ
    9 minutes ago
    હવે ગુજરાતમાં બાળકો માટે સોશિયલ મીડિયા પ્રતિબંધની તૈયારી
    22 hours ago
    હાફિઝ સઈદ વિરુદ્ધ જમ્મુ કોર્ટમાંથી બિન-જામીનપાત્ર વોરંટ જાહેર
    23 hours ago
    વૃધ્ધના ખાતામાં અચાનક આવી ગયા 759 કરોડ રૂપિયા
    23 hours ago
    ભારતીય રેલવેના AC કોચમાં ચોરી : આંકડો 104.51 કરોડ
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આજે રાત્રે સેમીફાઈનલ-2 : લિયોનેલ મેસી અને હેરી કેન પ્રથમવાર સામસામે
    12 minutes ago
    ઈટાલીના સ્ટાર ટેનિસ ખેલાડી જેનિક સિનરે શાનદાર પ્રદર્શન : વિમ્બલ્ડન પુરુષ સિંગલ્સનો ખિતાબ પાંચમી વાર પોતાનાં નામે કર્યો
    2 days ago
    રાજકોટની સબ-જૂનિયર ગર્લ્સ ફૂટબોલ ટીમ ફાઇનલમાં, સુરતને 3-0થી હરાવી કરી શાનદાર એન્ટ્રી
    5 days ago
    FIFA વર્લ્ડ કપ : ફ્રાન્સની મોરોક્કોને 2-0થી હરાવી સેમિફાઈનલમાં ધમાકેદાર એન્ટ્રી
    5 days ago
    ગુજરાતના એકમાત્ર ખેલાડી ભાવેશ તાવિયાએ ભારતને અપાવ્યો ગોલ્ડ મેડલ
    6 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 weeks ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 weeks ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 weeks ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 weeks ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    4 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 weeks ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    1 month ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    1 month ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    1 month ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટમાં અચાનક વાતાવરણમાં પલટો : પવન સાથે ધોધમાર વરસાદ
    6 minutes ago
    ચોમાસું સક્રિય, તંત્ર નિષ્ક્રિય? : મોતને આમંત્રણ આપતા જર્જરિત મકાનો, તંત્ર કાર્યવાહી કરશે કે દુર્ઘટનાની રાહ જોશે?
    24 hours ago
    મવડીમાં અદ્યતન જિમનો પ્રારંભ : માત્ર રૂ.500 પ્રતિ માસથી સભ્યપદ શરૂ
    2 days ago
    ચોમાસામાં દર વર્ષે ડૂબતા વિસ્તારો હવે મનપાની રડાર પર : ગ્રીન-યલો-રેડ ઝોનથી થશે મોનિટરિંગ
    2 days ago
    સૌરાષ્ટ્રનો સૌથી મોટો મેળો મોંઘો પડશે ?
    5 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: શ્યામ રંગ સમીપે જ જાવુ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > શ્યામ રંગ સમીપે જ જાવુ
Author

શ્યામ રંગ સમીપે જ જાવુ

Khaskhabar Editor
Last updated: 2024/08/24 at 4:56 PM
Khaskhabar Editor 2 years ago
Share
6 Min Read
SHARE

નિતાંતરીત: નીતા દવે

આપણને હંમેશા અજવાસ પ્રત્યે પૂર્વગ્રહ રહ્યો છે. દિવસનો ઉજાસ આપણને એ ગમતીલી બાબત છે. પરંતુ રાત્રીના અંધકાર સાથે એક નકારાત્મક વલણ થી જોડાયેલા છીયે.આપણે અજવાસમાં જીવનારા લોકો છીએ. અહીંયા અજવાસનો અર્થ માત્ર અંજવાળું એવું કરી શકાય. અંધકારથી દૂર રહેનારા અથવા ડરતા લોકો છીએ. કારણ એવું કહી શકાય કે દિવસના અંજવાસમાં બધા જ રંગો સ્પષ્ટ જોઈ શકાય છે.જ્યારે રાત્રિના અંધકારમાં માત્ર કાળાશ પ્રસરાયેલી હોય છે.તો શું એવું કહી શકાય કે કાળાશનું કોઈ સૌંદર્ય નથી..? શું અંધકાર તેજોમય નથી..? જો આ જ સત્ય હોત તો આપણે શિવરાત્રી અને શ્રીકૃષ્ણ જન્માષ્ટમી જેવા મહાપર્વની ઉજવણી રાત્રે 12:00 વાગ્યા ના સમયે ન કરતા હોત..!!

- Advertisement -

કૃષ્ણત્વનું અવતરણ એટલે શ્રી કૃષ્ણ જન્માષ્ટમી..આઠમની અંધારી રાતે તેજનું પ્રાગટ્ય એટલે શ્રીકૃષ્ણ જન્માષ્ટમી..બંધન મુક્તિ એટલે શ્રી કૃષ્ણ જન્માષ્ટમી.. અને અંધકાર પણ ઊર્જાવંત હોય શકે તેનું પ્રમાણ છે શ્રી કૃષ્ણ જન્માષ્ટમી..! શ્રી કૃષ્ણ તો દેવત્વ નો અવતાર છે.ઉજળા દિવસ નાં તમામ સમય ને ત્યાગી અને રાતે બાર વાગ્યાનાં સમયને પ્રાગટ્ય માટે શા માટે પસંદ કર્યો.? શું યોગ હશે આ સમય માં..કે સ્વયં તેજના ઉદ્દગમ બિંદુ એ અંધારી રાતે પ્રગટ થવાનું નિર્ધારિત કર્યુ હશે.?.અંધકાર હંમેશા કાળો હોતો નથી અને કાળાશ હંમેશા નકારાત્મક પણ નથી હોતી. રાત્રિ નાં અંધારામાંથી એક અવિરત તેજ પ્રગટતું હોય છે.પરંતુ તેને ઝીલવા માટે શુદ્ધ આંતર મન ના દ્વાર ખુલ્લા હોવા જોઈએ.

શ્યામ રંગ સમીપે ન જાવું, મારે આજ થકી શ્યામ રંગ સમીપે ન જાવું..આ કવિ શ્રી દયારામ દ્વારા રચિત કાવ્ય પંક્તિ છે.આ કાવ્ય માં તો ગોપીઓ શ્રીક્રુષ્ણ થી રિસાયા હોવાનો રસાસ્વાદ વર્ણવાયેલો છે.પરંતુ આ પંક્તિ જીવન નાં ઘણા સત્યો કહી જાય છે.બધા રંગોમાં શ્યામ રંગ એક એવો રંગ છે કે તેની ઉપર બીજા કોઈ પણ રંગ લાગી શકતા નથી. કાળા રંગ પર કોઈપણ રંગને લગાડો તો દરેક રંગ પોતાનું અસ્તિત્વ એ કાળાશમાં ઓળ ધોળ થઈ અને ગુમાવી દે છે.એવું જ કંઇક કૃષ્ણત્વનું પણ છેજે શ્રી કૃષ્ણના રંગે રંગાય હોય તેની ઉપર દુન્યનવી કોઈ રંગ ચઢી શકતા નથી. ઉદાહરણ જોઈએ તો પણ કેટલાં? નરસિંહ, તુકારામ, કબીર, અખો, જ્ઞાનદેવ,મીરા, કે વૃંદાવન ની અગણિત ગોપીઓ..અને લગભગ સાડા પાંચ હજાર વર્ષ પછી પણ જેનો જન્મ હજુ આજે જ થયો હોય એવા હર્ષોલ્લાસ સાથે શ્રી કૃષ્ણ જન્માષ્ટમી ઉજવતા આપણે સૌ …!! કેટલાક તો એવા પણ હશે કે જેને પોતાના સંતાનોના જન્મદિવસ યાદ ન હોય પરંતુ શ્રી કૃષ્ણ જન્માષ્ટમી આનંદ અને શ્રદ્ધાથી ઉજવતા હશે. શું જાદુગરી હતી એ વ્યક્તિત્વમાં કે, આજે હજારો વર્ષના અંતે પણ સામાન્ય લોકોમાં પણ શ્રી કૃષ્ણ પ્રત્યે નો પ્રેમભાવ જરા સરખો પણ ઓછો થયો નથી.? અને એટલે જ તો કદાચ નરસિંહ મહેતા ગાયું હશે કેહરિના જન તો મુક્તિ ન માગે, માગે જન્મોજન્મ અવતાર રે;…અને પ્રેમ ભગ્ન હ્રદયે મીરા બાઈ એ પણ લખ્યું હશે ક્દાચ કે
‘જો મે ઐસા જાણતી પ્રીત કિયે દુ:ખ હોય

નગર નગર ઢિંઢોળા પીટતી પ્રીત ન કીજો કોઈ..’
એમ છતાં પણ મેરે તો ગિરધર ગોપાલ દૂસરો ન કોઈ. પારાવાર પીડા આપેછતાં પણ તે જ વ્હાલો લાગે,આ છે પ્રીત ની સાચી રીત…આ શીખવ્યું મીરાબાઈ એ..જે શ્રી કૃષ્ણ નાં થયાં એમણે અત્ર,તત્ર,અને સર્વત્ર બસ કૃષ્ણ ને જ પામ્યા. શ્રીકૃષ્ણ શ્યામ વર્ણધારી હતાં છતાં કામણગારા હતાંમન મોહક દિસતાં શ્રીકૃષ્ણ એ ગોરા રંગ અને સૌંદર્યની વ્યાખ્યા બદલી દીધી.શ્રી કૃષ્ણ એ સાબિત કર્યું કે આકર્ષણ રંગ માં નહિ વ્યવહાર મે હોવું જોઇએ. કાળો રંગ પણ કામણગારો બની શકે. રૂપ ને જોવા ચર્મ ચક્ષુ જોઈએ પણ સ્વરૂપ ને પામવા આત્મચક્ષુની જરૂર પડે.

- Advertisement -

શ્રી કૃષ્ણએ શિખવ્યું કે જો ઉજાસને પામવો હોય તો અંધકારને અંત સુધી ભોગવવો પડે. રાત્રિ નાં છેલ્લા પ્રહર નાં ધેરા અંધારા ને ચીરી ને જ પ્રભાત નું પહેલું કિરણ જન્મ લઇ શકે. પરંતુ આપણા પૂર્વાગ્રહિત વિચારો કાળાશ ની વ્યાખ્યા કંઈક આવી કરે છે…નિરાશા, નિષ્ફળતા, અને અંધકારપરંતુ અંધકાર ના અંતે જ તેજનો ઉદય થાય છે, નિરાશા ની વચ્ચે એક અમરત્વ પામેલી આશા જન્મે છે,અને નિષ્ફળતા જ અનેક તકના દ્વાર ખુલ્લા કરી દેતી હોય છે.દુ:ખ ને પામ્યા પછી સુખ નો સાચો સ્વાદ માણી શકાય છે .આ સત્ય શ્રી ક્રુષ્ણ એ પોતાના જીવન કાળ માં જીવી બતાવ્યું છે. શ્રી કૃષ્ણ નું જીવન ચરિત્ર જોઈએ તો તેના તમામ પ્રસંગોમાં માત્ર અને માત્ર સંઘર્ષ જ જોવા મળશે. બાળપણમાં કરેલી બાળલીલાઓ પણ રાક્ષસો નો વધ કર્યો.સત્ય નાં માર્ગે ચાલી સગા મામાનો વધ કર્યો.કર્તવ્ય નાં પથ પર પ્રેમ નો ત્યાગ કરી સોળ હજાર રાણી વચ્ચે પણ હસતાં મોઢે રાધા નાં વિરહ માં જુરતા રહ્યા.અને છતાં પણ દ્વારિકા નો નાથ એક રાજા તરીકે પણ પૂર્ણતા નાં પદ ને પામ્યા.મહાભારતના યુદ્ધ સમયે ધર્મને અનુસરતા ફૈબા ગાંધારી નાં શ્રાપ તો ભોગ બની જીવનના અંત સમયે યાદવાસ્થલી માં પોતાના સમગ્ર કુળનો અંત થતા પણ જોયો..! શ્રીકૃષ્ણના જીવન ચરિત્ર નાં કોઈપણ ભાગમાં શ્રી ક્રુષ્ણને રડતા દર્શાવાયા નથી.અધર્મ નાં માર્ગે ચાલી સફળને ચરિતાર્થ કરેલ વર્ણવ્યા નથી. જીવનના દરેક રંગને સત્ય, ધર્મ અને આનંદ ની લહેર સાથે જીવી બતાવનાર શ્રીકૃષ્ણ ભગવાન કરતાં વધારે તો સખા સ્વરૂપ ભાસે છે.આજે પણ જીવનના કોઈપણ સંઘર્ષ નાં સમય માં શ્રીકૃષ્ણ દ્વારા બોલાયેલી શ્રીમદ્ ભગવત ગીતામાંથી જીવન ની તમામ સમસ્યાઓ નિરાકરણ બહુ સહજતાથી મેળવી શકાય છે. જો સાચા અર્થમાં શ્રી કૃષ્ણને જાણવા છે તો શ્યામ રંગ સમીપે જ જાવુંબ્રહ્માંડ નાં જ્યોર્તિમય તેજને જરાક સરીખું પણ પામવું છે તો શ્યામ રંગ સમીપે જ જાવવું..અને આત્મા રૂપી શ્રી કૃષ્ણનો સાક્ષાતકાર કરવો છે તો પણ શ્યામ રંગ સમીપે જ જવું કેમ કે, શ્રી કૃષ્ણનો કોઈ વિકલ્પ હોય શકે તો એ માત્ર ને માત્ર શ્રીકૃષ્ણ જ હોય શકે..!

You Might Also Like

મર્ડર મિસ્ટ્રીના મહારાણી અગાથા ક્રિસ્ટીની વાર્તાઓનો આસ્વાદ

10 કે તેથી વધુ કર્મચારી ધરાવતી સંસ્થા માટે આંતરિક ફરિયાદ સમિતિની રચના ફરજિયાત

સોશિયલ મીડિયાની માયાવી દુનિયા – સંબંધોની વાસ્તવિકતા

શિક્ષણના નામે ચાલતી બેફામ શૈક્ષણિક લૂંટ

જીવનસાથી સાથેના સંબંધનો સૂર્યાસ્ત !

TAGGED: Go near the god
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article તમે શ્રદ્ધાની ઝળહળતી સોનેરી જ્યોત અમે કોડિયામાં અંધારું ઘોર, તમે શબરીના હોઠ પર મલકાતું નામ અમે શબરીનાં ચાખેલાં બોર
Next Article કેન્દ્રીય વિદ્યાલય પોરબંદરમાં પ્રથમ રાષ્ટ્રીય અવકાશ દિવસ ઉજવાયો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
TALK OF THE TOWNરાજકોટ

રાજકોટમાં અચાનક વાતાવરણમાં પલટો : પવન સાથે ધોધમાર વરસાદ

Khaskhabar Editor Khaskhabar Editor 6 minutes ago
ઉર્મિલાએ લગ્નના 3 દિવસ પહેલા થનારા પતિનો લઈ લીધો જીવ
આજે રાત્રે સેમીફાઈનલ-2 : લિયોનેલ મેસી અને હેરી કેન પ્રથમવાર સામસામે
હવે UKની લક્ઝરી કાર, વ્હિસ્કી, કપડાં અને ફૂટવેર સસ્તાં મળશે
હવે ગુજરાતમાં બાળકો માટે સોશિયલ મીડિયા પ્રતિબંધની તૈયારી
હાફિઝ સઈદ વિરુદ્ધ જમ્મુ કોર્ટમાંથી બિન-જામીનપાત્ર વોરંટ જાહેર
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

મર્ડર મિસ્ટ્રીના મહારાણી અગાથા ક્રિસ્ટીની વાર્તાઓનો આસ્વાદ

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
Author

10 કે તેથી વધુ કર્મચારી ધરાવતી સંસ્થા માટે આંતરિક ફરિયાદ સમિતિની રચના ફરજિયાત

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
Author

સોશિયલ મીડિયાની માયાવી દુનિયા – સંબંધોની વાસ્તવિકતા

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?