ચૂંટણી કમિશનરનો ફરી શાયરાના અંદાજ
આજકલ ઈલ્ઝામાતો કા દૌર બુલંદ હૈ, તલખિયોં કા બાઝાર ગર્મ હૈ
મંજૂર હૈ ઈલ્ઝામ લગાઓ મગર શર્ત ઈતની હૈ સબૂત સાથ હો….
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.3
લોકસભા ચૂંટણી 2024માં સાત તબક્કામાં મતદાન પૂર્ણ થઈ ગયું છે. આવતીકાલે 4 જૂનના રોજ મતગણતરી હાથ ધરવામાં આવનાર છે. ત્યારે આજે ઈલેક્શન કમિશન ઓફ ઈન્ડિયા દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરીને ચૂંટણીને લઈને માહિતી આપી છે. લોકસભા ચૂંટણી અંગે ચીફ ઈલેક્શન કમિશનર રાજીવ કુમાર કહ્યું કે, ’અમે 642 મિલિયન મતદારોનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. આ તમામ ૠ7 દેશોના મતદારોના 1.5 ગણા અને ઊઞમાં 27 દેશોના 2.5 ગણા મતદારો છે.’ ઉલ્લેખનીય છે કે પહેલાં દરેક તબક્કાના મતદાન બાદ મીડિયા બ્રીફિંગ કરવામાં આવતી હતી પરંતુ હવેથી તે પ્રથા સમાપ્ત કરી દેવામાં આવી છે.
ચીફ ઈલેક્શન કમિશનર રાજીવ કુમારે આ વખતે યોજાયેલી લોકસભા ચૂંટણી 2024ને ઐતિહાસિક ગણાવી હતી. તેમણે આ દરમિયાન ચૂંટણીની વ્યવસ્થાઓ અને સફળતાપૂર્વક મતદાનના સમાપનને પણ એક સિદ્ધી ગણાવી હતી. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું કે આ વખતે ચૂંટણી ઐતિહાસિક રહી. 64 કરોડ મતદારોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. મહિલાઓએ પણ મતદાનમાં ભારે ઉત્સાહ બતાવ્યો હતો.
31 કરોડથી વધુ મહિલાઓએ મતદાન કર્યું હતું. 85થી વધુ વયના રેકોર્ડ લોકોએ વોટિંગ કર્યું હતું. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે હેલિકોપ્ટર ચેકની ઘટનાઓ વિશે પત્રકારોને કહ્યું કે આ દેશમાં એવો કોઈ નેતા નથી કે જેના હેલિકોપ્ટરની ચેકિંગ ન કરવામાં આવી હોય. તેમાં દરેક કેન્દ્રીયમંત્રીઓ પણ સામેલ છે. અમે અમારા અધિકારીઓને પૂરો અધિકાર આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધીના હેલિકોપ્ટર ચેકિંગની ઘટનાઓ સામે આવી હતી જેના બાદ ભારે વિવાદ થયો હતો. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું કે સોશિયલ મીડિયા પર તમને ’લાપતા જેન્ટલમેન વાપસ આ ગએ’ મીમ્સ દેખાશે. પણ અમે કહી દેવા માગીએ છીએ કે અમે ક્યારેય લાપતા નહોતા. અમે 4ખજની વાત કરી હતી. ભારતમાં 642 મિલિયન મતદારો છે. આ સંખ્યા વિશ્વના 27 દેશોના વોટર્સ કરતાં 5 ગણા વધુ છે.
- Advertisement -
આ ચૂંટણીમાં 64 કરોડથી વધુ લોકોએ મતદાન કર્યું છે અને રેકોર્ડ બનાવ્યો છે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું કે અમે ભારતના મતદારોને સ્ટેન્ડિંગ ઓવેશન આપીએ છીએ. અમે વૃદ્ધોના ઘરે જઈને તેમના મત લીધા છે. 85 વર્ષથી વધુ વયના મતદારોએ ઘરેથી મતદાન કર્યું હતું. 1.5 કરોડ મતદારો અને સુરક્ષા કર્મચારીઓના પરિવહન માટે 135 વિશેષ ટ્રેનો, 4 લાખ વાહનો અને 1692 ફ્લેટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. 68763 મોનિટરિંગ ટીમો ચૂંટણી પર દેખરેખ માટે રખાઈ હતી. ભારતીય ચૂંટણીઓની સફળતાનું વિગતવાર વર્ણન કરતાં ઈઊઈ રાજીવ કુમારે સૌનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે મોટી બ્રાન્ડ્સથી લઈને સ્ટાર્ટઅપ્સ સુધી દરેકે સ્વેચ્છાએ યોગદાન આપ્યું છે. લોકસભાની 2024માં યોજાયેલ ચૂંટણીમાં 1.5 કરોડ ચૂંટણી અને સુરક્ષા જવાનોને તહેનાત કરવામાં આવ્યા હતા. 135 વિશેષ ટ્રેનો દોડાવવામાં આવી હતી. 4 લાખ વાહનો, 68 હજાર 763 ફ્લાઈંગ સ્ક્વોડ અને 1692 હવાઈ સફર કરવામાં આવી હતી. આ બધાનો હેતુ 10.5 લાખથી વધુ મતદાન મથકો પર શાંતિપૂર્ણ રીતે મતદાન કરાવવાનો હતો. જે શક્ય બન્યું છે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે ફરી એકવાર શાયરાના અંદાજમાં આરોપો મૂકનારા તમામ લોકોને જવાબ આપ્યો હતો કે…
આજકલ ઈલ્ઝામાતો કા દૌર બુલંદ હૈ,
તલખિયોં કા બાઝાર ગર્મ હૈ
મંજૂર હૈ ઈલ્ઝામ લગાઓ મગર
શર્ત ઈતની હૈ સબૂત સાથ હો….
ફેક ન્યૂઝ રોક્યા, પોતાના પર થતા હુમલા રોકી શક્યા નહીં : રાજીવ કુમાર
અમે ફેક ન્યૂઝ રોકી દીધા, પરંતુ પોતાના પર થતા હુમલા રોકી શક્યા નહીં. અને ચૂંટણી કરાવીએ કે આ બધું જોવું જોઈએ? 16 માર્ચે મેં કહ્યું હતું – અહીં જુઠ્ઠાણાનું બજાર છે, અહીં ફુગ્ગા ફૂટે છે. અમને ખબર ન હતી કે તે અમારા પર જ ફૂટશે.2019માં મતદારોના મતદાનને લઈને એક કેસ સામે આવ્યો. અમે તેનો જવાબ પણ આપ્યો. તેમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે અમે મતદારોના મતદાનનો ડેટા આપ્યો નથી.મતદાનમાં કંઈ ખોટું નહોતું થયું. અમને મતદાતાના મતદાનનો ડેટા એવો જ મળ્યો છે જેવો તમને મળ્યો છે. આમાં કંઈ ખોટું થયું નહોતું. અમે 4 ખ વિશે વાત કરી, ત્યાં એક છુપાયેલ ખ હતો. આ એક પેટર્ન હતી. અમે તેને કેવી રીતે લડવું તે સમજી શક્યા નહીં. પહેલું હતું – મતદાર યાદી ખોટી છે. 15 દિવસ સુધી એફિડેવિટ કરી હતી. પાછળથી ખબર પડી કે ત્યાં કશું જ નથી. પરંતુ તેને ચૂંટણી પહેલા તુરંત મુકવામાં આવી હતી. ચૂંટણી શરૂ થઈ એટલે ઈવીએમ આવી ગયું.