પરિવારે બાળક ગુમ થવા બદલ પ્રિન્સિપાલ હિતેશ રાઠોડને જવાબદાર ગણાવ્યા…
હિતેશ રાઠોડે કરણને એવો ડરાવ્યો-ધમકાવ્યો કે શાળાથી ઘરે જ ન પહોચ્યોં!
- Advertisement -
ફોટોમાં દેખાતા બાળક કરણનો કોઈને અતોપતો મળે તો નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરવી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.21
રાજકોટ શિક્ષણ સમિતિની શાળા નં. 85માંથી બાળક ગૂમ થવાની ઘટના પ્રકાશમાં આવી છે. વાલીના જણાવ્યા અનુસાર તેમનો ભત્રીજો કરણ (ઉં.વ. 13) સરકારી શાળા નં. 85માં ધો. 7માં અભ્યાસ કરે છે. આ શાળાના પ્રિન્સિપાલ હિતેશ રાઠોડને કારણે છેલ્લા 41 દિવસથી તેમનું બાળક ઘરે આવ્યું નથી.
- Advertisement -
બનાવની વિગત અનુસાર અને માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ હિતેશભાઈ ગોહિલ નવલનગરમાં રહે છે. તેમના શાળાના પત્ની કોરોનામાં મરણ પામેલા હોવાથી તેઓ કરણ નામના બાળકનો ઉછેર કરતા હતા, કરણ એ તેમનો ભત્રીજો છે અને તેમની સાથે જ રહે છે. જે શિક્ષણ સમિતિની ઉદયનગરમાં આવેલી શાળા નં. 85માં ધો. 7માં અભ્યાસ કરે છે. કરણ તા. 12/04/2024ના રોજ સ્કૂલે ગયા બાદ ઘરે પરત ફરેલો નથી. આજે 41 દિવસ બાદ પણ કરણનો કોઈ અતોપતો નથી અને વાલીએ કરણના ઘર ન આવવા પાછળ પ્રિન્સિપાલ હિતેશ રાઠોડને જવાબદાર ગણાવ્યા છે.
વાલીના જણાવ્યા અનુસાર એ દિવસે કરણ શાળાએ પહોચ્યો હતો. શાળામાં પરીક્ષા હોય એક વિદ્યાર્થી હાજર નહતો એટલે શિક્ષકે કરણને ગેરહાજર વિદ્યાર્થીના ઘરે મોકલ્યો. થોડીવાર પછી કરણ ન આવ્યો એટલે શિક્ષકે વધુ બે વિદ્યાર્થીઓને કરણ અને ગેરહાજર વિદ્યાર્થીને બોલાવવા મોકલ્યા. પરંતુ કરણ ક્યાંય ન મળ્યો એટલે પ્રિન્સિપાલે કરણના વાલીના ફોન કરી કરણ ક્યાં છે તેની તપાસ કરી. કરણ ઘરે નહતો.
કરણના વાલીએ પ્રિન્સિપાલને કહ્યું હતું કે, જો કરણ શાળાએ આવે તો જણાવશો. પરંતુ કરણ શાળાએ આવ્યો ત્યારે પ્રિન્સિપાલ હિતેશ રાઠોડે કરણને ડરાવ્યો-ધમકાવ્યો અને પછી ઘર મોકલી આપ્યો, પ્રિન્સિપાલ હિતેશ રાઠોડે વાલીની વાત અવગણી કરણને શાળાએ ન બેસાડી રાખ્યો અને કરણને ડરાવી-ધમકાવી ઘરે મોકલી આપ્યો એટલે આજ સુધી કરણ ઘરે પહોંચ્યો નથી અને ગુમ થઈ ગયો છે એવો તેના વાલીએ આક્ષેપ કર્યો છે.