કૉંગ્રેસની નજર મંદિરોનાં સોનાં તથા બહેનોના મંગળસૂત્ર પર છે : મુંબઈમાં મોદીનો આક્ષેપ
ખાસ-ખબર ન્યૂઝ બારાબંકી, તા.18
ઈન્ડિયા ગઠબંધન સત્તા પર આવશે તો રામ મંદિર પર બુલડોઝર ચલાવી દેશે. જોકે, તેમણે યોગી આદિત્યનાથ પાસેથી શીખવું જોઈએ કે બુલડોઝર ક્યાં ચલાવવું જોઈએ. વધુમાં તેમણે ઉમેર્યું કે, સપા અને કોંગ્રેસ સત્તા પર આવશે તો લોકોની મિલકતો એવા લોકોને ભેટમાં આપી દેશે જેઓ ’વોટ જેહાદ’ ચલાવે છે. તેમણે ફરી દાવો કર્યો કે ઈન્ડિયા ગઠબંધન 50 બેઠક પણ જીતી નહીં શકે. વિપક્ષ પર નિશાન સાધતા મોદીએ કહ્યું કે, સપાના મોટા નેતાએ રામનવમીના દિવસે કહ્યું કે રામ મંદિર તો બેકાર છે. કોંગ્રેસ તો રામ મંદિર પર સુપ્રીમ કોર્ટનો ચૂકાદો પલટવાની તૈયારી કરી રહી છે. તેમના માટે માત્ર તેમના પરિવાર અને પાવર જ મહત્વના છે. તેમણે ઉમેર્યું કે, ઈન્ડિયા ગઠબંધન તેમની વોટ બેન્ક એટલે કે મુસ્લિમોને અનાતમ આપી દેશે, જે દલિતો, આદિવાસીઓ અને અન્ય પછાત વર્ગ (ઓબીસી) માટે સરકારી નોકરી અને શિક્ષણના અનામતમાંથી આંચકી લેવાશે. કર્ણાટકમાં ક્વોટામાં મુસ્લિમોનો સમાવેશ કરીને તેમણે આ કરી બતાવ્યું છે.
- Advertisement -
દેશમાં બંધારણની રચના કરવામાં આવી ત્યારે બંધારણ સમિતિએ ધર્મ આધારિત અનામત નહીં આપવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ કોંગ્રેસ હવે દેશમાં મુસ્લિમોને ઓબીસીમાં લાવીને અનામત આપવા માગે છે. કર્ણાટકમાં તેમણે મુસ્લિમોને ઓબીસી ક્વોટામાંથી અનામત આપ્યું છે. મોદીએ જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 રદ કરવા મુદ્દે પણ વિપક્ષની ઝાટકણી કાઢી હતી.મુંબઈના દાદરમાં ચૂંટણી સભાને સંબોધતા મોદીએ કહ્યું હતું કે કોંગ્રેસની નજર મંદિરોના સોનાના ભંડાર તથા માતા અને બહેનોના મંગળસૂત્ર પર છે. ઈન્ડિયા ગઠબંધનવાળા કહે છે કે તેઓ સત્તા પર આવશે તો કાશ્મીરમાં 370મી કલમ પાછી લાવશે. પણ વિપક્ષો કાન ખોલીને સાંભળી લે કે દુનિયાની કોઈ તાકાત 370 કલમ પાછી લાવી નહીં શકે. એનડીએ સરકારની પ્રશંસા કરતા તેમણે કહ્યું કે, તેઓ વિકસિત ભારત માટે 24ટ7 કલાક કામ કરીને વર્ષ 2047 સુધી દેશને વિશ્વમાં ત્રીજી તાકત બનાવી દેશે અને આ વિકસિત ભારતમાં ડ્રીમ સિટી મુંબઈની ભૂમિકા મહત્વની રહેશે.