જરૂરિયાતમંદોને લાભ લેવા જાહેર અનુરોધ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.1
વિધાનસભા-68, રાજકોટ (પૂર્વ)ના ધારાસભ્ય ઉદય કાનગડની એક યાદીમાં જણાવાયુ છે કે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વવાળી કેન્દ્રની ભાજપ સરકાર અને રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વવાળી રાજયની ભાજપ સરકાર દ્વારા ગરીબો, પીડીતો, શોષીતો, વાંચિતોના કલ્યાણ માટે અનેકવિધ કલ્યાણકારી યોજનાઓ અમલમાં મુક્વામાં આવેલ છે ત્યારે આ યોજનાઓનો લાભ જન-જન સુધી પહોંચે તેવા શુભઆશય સાથે વિધાનસભા-68ના ધારાસભ્ય ઉદયભાઈ કાનગડના જનસેવા કાર્યાલય ખાતે વિવિધ સરકારી યોજનાઓનો લાભ અને માહિતી પુરી પાડવામાં આવે છે, જેમાં આયુષ્યમાન કાર્ડ, ઈ-શ્રમ કાર્ડ, વિશ્ર્વકર્મા યોજના, આધારકાર્ડમાં સરનામુ બદલવું, વિવિધ યોજના જેવી કે વિધવા સહાય યોજના, આવકનો દાખલો, વ્હાલી દીકરી યોજના, વૃદ્ધ પેન્શન યોજના, નવું રેશનકાર્ડ, રેશનકાર્ડમાં સુધારા-વધારા સહિત અનેકવિધ યોજનાઓના ફોર્મ ભરી આપવા સહીતની સેવાઓ કાર્યરત છે.
- Advertisement -
ત્યારે રાજય સરકાર દ્વારા ગરીબ પરિવારના બાળકોને સુવિધાસભર શાળામાં નિ:શૂલ્ક ઉચ્ચ શિક્ષ્ાણ મળી રહે અને બાળક ભવિષ્યમાં પોતાના ઉચ્ચ શિક્ષ્ાણ થકી દેશના વિકાસમાં સહભાગી થાય તે માટે રાઈટ ટૂ એજયુકેશન અમલમાં મુક્વામાં આવી છે ત્યારે આર.ટી.ઈ. હેઠળ બાળકોને રપ% લેખે પ્રવેશ આપવાનો હોય છે ત્યારે આર.ટી.ઈ.ના ફોર્મ તા. 14 માર્ચ, ર0ર4થી ઓનલાઈન ભરવાના ચાલુ થતા હોય વિધાનસભા-68ના ધારાસભ્ય ઉદય કાનગડના પેડક રોડ સ્થિત જનસેવા કાર્યાલય, ગાયત્રી કોમ્પલેક્ષ્ા,પેડક રોડ, બાલક હનુમાન મંદિર ખાતે આર.ટી.ઈ.ના ફોર્મ ભરી આપવામાં આવશે. જે તા. ર6 માર્ચ, ર0ર4 સુધી ચાલશે.
વધુમાં ઉદય કાનગડએ જણાવ્યું કે આર.ટી.ઈ.ના ફોર્મ ભરવા માટે માતા-પિતા તેમજ બાળકનું આધારકાર્ડ, બાળકનો જન્મ તારીખનો દાખલો, બાળક અથવા માતા કે પિતાની બેન્ક પાસબુક, મામલતદારનો આવકનો દાખલો (શહેરી વિસ્તાર માટે રૂા. 1,પ0,000 કે તેથી ઓછી આવકનો) તથા (ગ્રામ્ય વિસ્તાર માટે રૂા.1,ર0,000 કે તેથી ઓછી આવકનો), બાળકનો પાસપોર્ટ સાઈઝનો ફોટો જેવા ડોક્યુમેન્ટ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું હોય માત્ર ઓરીજનલ ડોક્યુમેન્ટ સાથે રાખવાના રહેશે તેમજ બાળકની ઉંમર તા. 01-06-ર0ર4 સુધીમાં 6 વર્ષ થઈ ગયેલ હોવી જોઈએ તેમજ આંગણવાડીનું સર્ટીફીકેટ હોય તો ઓછામાં ઓછો ર વર્ષનો અભ્યાસ તેમજ ઘર-એડ્રેસથી 6 કી.મી. સુધીમાં આવતી સ્કૂલ જ ફોર્મમાં ભરી શકાશે. તો આ સેવાકાર્યનો જરૂરીયાતમંદ વાલીઓએ લાભ લેવા ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ દ્વારા જાહેર અનુરોધ કરવામાં આવેલ છે.