અયોધ્યા ખાતે નિર્માણ પામેલા રામમંદિરની પુન: પ્રાણપ્રતિષ્ઠા એલ.ઈ.ડી. સ્ક્રીન મારફત શહેરીજનો બહોળી સંખ્યામાં નિહાળી શકે તે માટે રાજકોટ મનપા દ્વારા તડામાર તૈયારી શરૂ
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલ, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડીયા, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા એક સંયુક્ત યાદીમાં જણાવે છે કે રામ જન્મભૂમિ અયોધ્યા ખાતે નિર્માણ પામેલા રામ મંદિરની તા. 22ના રોજ પુન: પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાનાર છે. આ મહોત્સવનું શહેરીજનો બહોળી સંખ્યામાં લાઈવ નિહાળી શકે તે માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વોર્ડ વાઈઝ એલ.ઈ.ડી. સ્ક્રીન મારફત જીવંત પ્રસારણ કરવામાં આવશે જેના અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તડામાર તૈયારી શરૂ કરવામાં આવી છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વિવિધ સ્થળોએ લાઈવ પ્રસારણની વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં રામાપીર ચોકડી, હનુમાનમઢી ચોક, આંબલીયા હનુમાન, મોરબી રોડ જકાતનાકા, બાલક હનુમાન, જલગંગા ચોક, સંતકબીર રોડ, ત્રિકોણબાગ, સોજીત્રાનગર પાણીના ટાંકા પાસે, રાજ પેલેસ ચોક સાધુ વાસવાણી રોડ, પુષ્કરધામ મંદિર, શિવમ પાર્ક ચોક, પુનિતનગર ચોક, સ્વામિનારાયણ ચોક, પવનપુત્ર ચોક, ચુનારાવાડ ચોક, દેવપરા ચોક, ત્રિશુલ ચોક અને ધારેશ્ર્વર મહાદેવ આસોપાલવ સોસા. ખાતે લાઈવ પ્રસારણ થશે તેવું મનપાના અધિકારીઓે જણાવ્યું છે.