દેશમાં હવે 5જી મોબાઈલ ટેકનોલોજી દાખલ કરવાની તૈયારી શરુ થઇ છે ત્યારે ટેલીકોમ નિયમનકાર ટ્રાઇ દ્વારા પાયલોટ પ્રોજેક્ટ માટે ગુજરાતના કંડલા પોર્ટ સહિત દેશના ચાર રાજ્યોની પસંદગી કરવામાં આવી છે.
સ્ટ્રીટ ફર્નિચર તથા એશિયન કેબલ મારફત સૂક્ષ્મ કણો ઠાલવવામાં આવશે અને તેના આધારે પાયલોટ પ્રોજેક્ટ હાથ ધરાશે. ગુજરાતના કંડલા પોર્ટ (દિનદયાળ પોર્ટ) ઉપરાંત દિલ્હી, એરપોર્ટ, ભોપાલ સ્માર્ટ સિટી, બેંગ્લોર મેટ્રો એમ ચાર સ્થળો 5જી ટેકનોલોજીના પાયલોટ પ્રોજેક્ટ માટે પસંદ કરાયા છે. 5જી ટેકનોલોજી દાખલ કરવા માટે નીતિવિષયક તથા નિયમનકારી પગલા આવશ્યક હોય છે તે નક્કી કરવા પાયલોટ પ્રોજેક્ટનાં તારણો મહત્વપૂર્ણ સાબિત થઇ શકે છે.