છેલ્લા થોડા દિવસથી ચર્ચા ચાલી રહી છે કે સીરિયલ ’બડે અચ્છે લગતે હૈ 2’ બંધ થઈ જવાની છે.
ડિસેમ્બરના બીજા અઠવાડિયે સીરિયલનું છેલ્લું શૂટિંગ થશે તેવી અટકળો લાગી રહી છે. આ સીરિયલમાં એક્ટર નકુલ મહેતા અને એક્ટ્રેસ દિશા પરમાર લીડ રોલમાં છે. શોની પહેલી સીઝનમાં રામ કપૂર અને સાક્ષી તંવર મુખ્ય ભૂમિકામાં હતા. શો બંધ થઈ જવાની વાતો જોરશોરથી ચર્ચાઈ રહી છે ત્યારે દિશા પરમારનો હકીકત જાણવા સંપર્ક કર્યો હતો. દિશાએ અફવાઓને રદિયો આપતાં કહૃાું, “શો બંધ થઈ જવાની વાતો સાચી નથી. અમે શૂટિંગ કરી રહૃાા છીએ અને આગામી દિવસોમાં રસપ્રદ ટ્રેક આવવાનો છે.