આજે CSK vs RCB વચ્ચે રમાવાની મેચ ખૂબ મહત્ત્વની છે. જો CSK જીતશે તો તે પ્લેઓફમાં સામેલ થઇ જશે પણ RCBએ જીત સાથે રન રેટ પર પણ ધ્યાન આપવું પડશે નહીં તો તે મેચ જીતીને પણ ટુર્નામેન્ટમાંથી બહાર ફેંકાઈ જશે.
આજે IPL ની 68મી મેચ બેંગ્લોર અને ચેન્નઇ વચ્ચે ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે. IPL લીગ છેલ્લા સ્ટેજમાં પહોંચી ગઈ છે છતાં હજુ ચોથી ટીમ ક્વોલિફાઈડ નથી થઈ. KKRની ટીમ પહેલા ક્વોલિફાઈ થઈ હતી. ત્યાર બાદ રાજસ્થાન અને SRHની ટીમ પ્લેઓફમાં સામેલ થઇ હતી.
- Advertisement -
જો મેચ વરસાદના કારણે ધોવાઈ જાય છે તો..?
પોઇન્ટ ટેબલનો સીનારીઓ એવો છે કે, આજની મેચ જે ટીમ જીતશે તે ટીમ પ્લેઓફમાં ક્વોલિફાઈ થશે. પરંતુ RCBની ટીમે આ મેચમાં નેટ રન રેટ પર પણ ધ્યાન આપવું પડશે. આજેની RCB vs CSK ની મેચમાં પણ વરસાદનું સંકટ જોવા મળી રહ્યું છે. જેથી મેચ ઓછા ઓવરની રમાઈ શકે છે. જો મેચ વરસાદના કારણે ધોવાઈ જાય છે તો CSK પ્લે ઓફમાં સ્થાન બનાવી લેશે.
RCB કેવી રીતે આવી શકે છે પ્લેઓફમાં?
- Advertisement -
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમે જો પ્લેઓફમાં સ્થાન મેળવવું હોય તો તેને નેટ રન રેટથી મેચ જીતવી જીતવી પડશે. જો RCB ટીમની બેટિંગ પહેલા આવે છે તો તેને મિનીમમ 18 રનથી મેચ જીતવી પડશે અને જો બીજી ઇનિંગમાં બેટિંગ આવે છે તો મીનિમમ 11 બોલ બાકી હોય ત્યારે મેચ જીતી લેવી પડશે, તો જ RCB પ્લેઓફમાં સ્થાન મેળવી શકશે.
18 રનથી કે 11 બોલ બાકી હોય ત્યારે મેચ જીતી લેવી પડશે
જો મેચમાં વરસાદ પડે છે અને ઓછા ઓવરની મેચ રમાય છે તો પર તેને 18 રનથી કે 11 બોલ બાકી હોય ત્યારે જ મેચ જીતી લેવી પડશે. સામે ચેન્નઇની ટીમ મેચ જીતશે તો તે પ્લેઓફમાં સ્થાન મેળવી લેશે. વેધર રિપોર્ટ આધારે, બેંગ્લોરમાં આજે 73 ટકા વરસાદ પડવાની સંભાવના છે. ઝડપી પવનો પણ ફૂંકાશે. રાત્રે પણ 62 ટકા વરસાદ પડવાની સંભાવના છે. જો મેચ રદ થશે તો તેનો ફાયદો CSKને થઈ જશે.
ઉલ્લેખનીય છે કે, CSKની છેલ્લી પાંચ મેચમાં બે મેચ હર્યું છે તો ત્રણ મેચ જીત્યું છે. RCBની ટીમ છેલ્લી પાંચમાંથી પાંચ મેચ જીત્યું છે. CSKના 13 મેચમાં પોઇન્ટ 14 છે અને નેટ રનરેટ +0.528 તથા RCBના 13 મેચમાં પોઇન્ટ 12 છે અને નેટ રનરેટ + 0.387 છે.