ગિરનારના 5000 પગથિયે અંબાજી મંદિરે ગુંજશે ‘જય માં અંબે’
52 શક્તિપીઠો પૈકીની પવિત્ર ‘ઉદયન પીઠ’ પર ઉત્સવની ઉજવણી
- Advertisement -
શનિવારે ઉદયનપીઠ ખાતે હોમ-હવન, ધ્વજારોહણ અને મહાપ્રસાદનું ભવ્ય આયોજન
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.30
પર્વતોના પિતામહ હિમાલયના પરદાદા ગણાતા અને શ્રદ્ધાના પ્રતીક એવા ગરવા ગઢ ગિરનારની ટોચ પર, 5000 પગથિયાંના અંતરે બિરાજમાન આદ્યશક્તિ માં અંબાજીનો પ્રાગટ્ય મહોત્સવ આગામી તારીખ 3 જાન્યુઆરી, શનિવારના રોજ અત્યંત હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવશે. પોષી પૂનમ એટલે કે જગતજનની માં અંબાનો જન્મદિવસ, જે નિમિત્તે ગિરનારના પવિત્ર શિખર પર ભક્તિ અને આસ્થાનો અનોખો સંગમ જોવા મળશે.
શાસ્ત્રોક્ત ઉલ્લેખ મુજબ, માતાજીની કુલ 52 શક્તિપીઠો પૈકીની ગિરનાર પર્વત પર આવેલી આ પીઠ ’ઉદયન પીઠ’ તરીકે ઓળખાય છે. પૌરાણિક કથા અનુસાર, જ્યારે સતી પાર્વતીએ પિતા દક્ષ પ્રજાપતિના યજ્ઞમાં ભગવાન શિવનું અપમાન સહન ન થતા દેહત્યાગ કર્યો, ત્યારે ક્રોધિત શિવજી સતીના નિશ્ચેતન દેહને ખભે ઉપાડી તાંડવ કરવા લાગ્યા હતા. સૃષ્ટિના વિનાશને રોકવા ભગવાન વિષ્ણુએ સુદર્શન ચક્રથી સતીના દેહના 52 ટુકડા કર્યા હતા. આ ટુકડાઓ પૃથ્વી પર જ્યાં પણ પડ્યા ત્યાં શક્તિપીઠોની સ્થાપના થઈ. ગિરનાર પર્વત પર માતાજીના ઉદર (પેટ)નો ભાગ પડ્યો હોવાથી તેને ’ઉદયન પીઠ’ તરીકે પૂજવામાં આવે છે. આગામી શનિવારે વહેલી સવારથી જ મંદિરના દ્વાર ભક્તો માટે ખુલી જશે. મંદિર ટ્રસ્ટ અને વહીવટી તંત્ર દ્વારા આયોજિત આ પ્રાગટ્ય મહોત્સવમાં વહેલી સવારે જગતજનનીને ગંગાજળ અને દૂધથી શાસ્ત્રોક્ત વિધિ મુજબ અભિષેક કરવામાં આવશે તેમજ માતાજીના સાનિધ્યમાં શ્રી સૂક્તના મંત્રોચ્ચાર સાથે વિશેષ હોમ-હવનનું આયોજન કરવામાં આવ્યું છે, જેનાથી સમગ્ર ગિરનાર પર્વત ભક્તિમય બની જશે. પ્રાગટ્ય દિવસ નિમિત્તે માતાજીને મનમોહક શૃંગાર ધરાવવામાં આવશે અને મંદિરના શિખર પર નૂતન ધ્વજારોહણ કરવામાં આવશે. બપોરે ભવ્ય મહાઆરતી યોજાશે, ત્યારબાદ માતાજીને વિશેષ થાળ ધરીને ઉપસ્થિત હજારો માઈભક્તો માટે મહાપ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે. સવારના 07:00 વાગ્યાથી બપોરના 02:00 વાગ્યા સુધી ચાલનારા આ મહોત્સવમાં ભાગ લેવા માટે જૂનાગઢ અને આસપાસના વિસ્તારોમાંથી હજારો શ્રદ્ધાળુઓ ઉમટી પડશે. આ પ્રાગટ્ય મહોત્સવને લઈને ગિરનારના પગથિયે અત્યારથી જ ભક્તોનો ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
આ વર્ષનો મહોત્સવ એક વિશેષ સંજોગોમાં ઉજવાઈ રહ્યો છે. મંદિરના બંને પૂજ્ય મહંતશ્રીઓ બ્રહ્મલીન થયા હોવાથી, તેમની ગેરહાજરીમાં આ મહોત્સવનું સંપૂર્ણ સંચાલન જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યું છે. જૂનાગઢ કલેક્ટર, પ્રાંત અધિકારી અને વહીવટદાર મામલતદારની સીધી દેખરેખ હેઠળ મંદિરના પૂજારીઓ અને સ્ટાફ આ ભવ્ય મહોત્સવને સફળ બનાવવા રાત-દિવસ મહેનત કરી રહ્યા છે.
- Advertisement -
ક્રમ, શક્તિપીઠનું નામ, સ્થળ,માતાજીનું અંગ, ભૈરવ
1, હિંગળાજ ભૈરવી બલુચિસ્તાન (પાકિસ્તાન) બ્રહ્મરંધ્ર (તાળવાનો ભાગ) ભીમલોચન
2, વિમલાક ભુવનેશ્વરી હાવડા (બંગાળ) કુંડળ (કાનનું) સમવ્રત
3, ઉમા, વૃંદાવન કેશ (વાળ) ભૂતેશ
4, મહિષમર્દિની કોલ્હાપુર (મહારાષ્ટ્ર) ત્રિનેત્ર (આંખો) ક્રોમીશ
5, સુનંદા દેવી, શિકારપુરી (બાંગ્લાદેશ) નાક ગંબક
6, અપર્ણાદેવી ભવાનીપુર (બાંગ્લાદેશ) ડાબો ગાલ વામન
7, શ્રી સુંદરીદેવી શ્રીપર્વત (આસામ) જમણો ગાલ સુંદશ નેદ
8, વિશાલાક્ષી વારાણસી કાન કુંડળ વિધમાત્રીકા
9, વૈશ્વેશી રુકમણી ગોદાવરી તટ (કુબ્જકોટિ) ડાબું નેત્ર દંડપાણી
10, મેડકી દેવી મુક્તિનાથ (નેપાળ) દક્ષિણગંડ ચક્રપાણી
11, નારાયણી દેવી ક્ધયાકુમારી ઉપરના દાંત સંહાર
12, વારાહી પંચ સાગર નીચેના દાંત મહારુદ્ર
13, સિદ્ધા અંબિકા જ્વાલામુખી જીભ ઉન્મત્ત
14, એવતિ માતા, ઉજ્જૈન (ભૈરવ પર્વત) ઉપરનો હાથ લંબકર્ણ
15, ફુલરાદેવી અટહાસ (બંગાળ) નીચેનો હાથ વિશ્વેશ
16, ભ્રામરી દેવી નાસિક (પંચવટી) દાઢી વિક્રિનાસ
17, મહામાયાદેવી અમરનાથ ગુફા (કાશ્મીર) કંઠ ગળું ત્રિસંધેશ્વર



