ભારતીય કર્મચારીઓ માટે 2024 અને 2025માં નોકરી બદલવા પાછળના મુખ્ય કારણોમાં શારીરિક અને માનસિક આરોગ્ય અને કાર્ય-જીવન સંતુલન જેવા પરિબળો મહત્વપૂર્ણ બની રહ્યા છે. તાજેતરના સર્વેક્ષણો દર્શાવે છે કે કર્મચારીઓ હવે ઊંચા પગારની તુલનામાં આરોગ્ય અને સુખાકારીને વધુ મહત્વ આપે છે. સ્વાસ્થ્ય તેમના માટે ટોચની પ્રાથમિકતા છે.
નોકરી બદલવા પાછળના મુખ્ય કારણો
- Advertisement -
71% ભારતીય નોકરી શોધનારાઓ માટે વર્ક ફ્રોમ હોમ કે પછી પોતાનું સમયપત્રક નિર્ધારિત કરવું જેવા અગત્યના પરિબળો છે. 67% લોકો માટે કાર્ય-જીવન સંતુલન અને માનસિક આરોગ્ય મહત્વપૂર્ણ છે. 62% કર્મચારીઓ બર્નઆઉટનો સામનો કરે છે, જે વૈશ્વિક સરેરાશ 20% કરતાં ત્રણગણું વધુ છે. 78% કર્મચારીઓ માને છે કે નોકરીમાં આરોગ્ય અને સુખાકારીના લાભો ઉપલબ્ધ છે, અને 84% લોકો આવનારા આ લાભોનો ઉપયોગ કરવા માટે તેવું સંભાવિત છે.
નોકરી પસંદ કરતી વખતે મહત્વપૂર્ણ પરિબળો
70% લોકો માટે હાઇબ્રિડ અથવા રિમોટ કામકાજના વિકલ્પો મહત્વપૂર્ણ છે. 69% લોકો નોકરીના સ્થાનના ઓછા અંતર (ઘરથી ઓફિસ નજીક)ને મહત્વ આપે છે. 67% લોકો પગાર, લાભો, આરોગ્ય વીમા, રજા નીતિઓ અને શીખવા અને વિકાસ માટેના કાર્યક્રમોને મહત્વ આપે છે.
- Advertisement -
ભવિષ્ય માટેની તૈયારી
43% ભારતીય કર્મચારીઓ માટે AI તાલીમ સૌથી વધુ જરૂરિયાત ધરાવતી કુશળતા છે. કંપનીઓ હવે કર્મચારીઓ માટે મેડિટેશન, યોગા, મફત થેરાપી સત્રો અને વર્ચ્યુઅલ ફિટનેસ ક્લાસીસ જેવી સુખાકારી કાર્યક્રમો અપનાવી રહી છે. ખાસ કરીને Gen Z, મિલેનિયલ્સ અને Gen X માટે આ નવા પ્રકરનું કામકાજ હવે ફક્ત લાભ નહીં, પરંતુ આવશ્યકતા બની ગયું છે.
“અત્યાર સુધી બહુ ઓછી કંપનીઓ વિચારતી હતી કે કઈ રીતે આરોગ્ય અને સુખાકારીના કાર્યક્રમો તેમનું કંપની બ્રાન્ડ અને કમર્ચારીઓના મૂલ્યોને વધુ સારી રીતે નિર્માણ કરી શકે છે. કોવીડ પછી આવા ફેરફારો વધુ જોવા મળ્યા છે. ” ટેલેન્ટ સોલ્યુશન ફોર ઇન્ડિયાના વડા નીતિન સેઠએ જણાવ્યું હતું.
આ બદલાતી પ્રાથમિકતાઓ દર્શાવે છે કે ભારતીય કર્મચારીઓ હવે કાર્યસ્થળ પર ફક્ત નાણાકીય લાભોની તુલનામાં આરોગ્ય અને સુખાકારીને વધુ મહત્વ આપે છે, અને કંપનીઓ માટે જરૂરી છે કે તેઓ આ બદલાવને અનુરૂપ તેમની નીતિઓ અને કાર્યક્રમોને અપનાવે.