દૂધસાગર ડેરીમાં કરોડોના બેનામી વ્યવહાર મામલે પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીની રાત્રે તેમના નિવાસસ્થાનેથી પોલીસે ધરપકડ કરી છે.
ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી અને મહેસાણાની દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીની ગાંધીનગર સ્થિત તેમના બંગલેથી ધરપકડ કરવામાં આવી છે. દૂધસાગર ડેરીમાં રૂપિયા 320 કરોડના બોગસ વ્યવહાર મામલે વિપુલ ચૌધરીની ધરપકડ કરવામાં આવી છે. તપાસ દરમ્યાન અનેક ગોટાળાઓ સામે આવ્યા છે.
- Advertisement -
17 બોગસ કંપનીઓ બનાવી રૂ. 320 કરોડ ટ્રાન્સફર કર્યાનો આરોપ
તમને જણાવી દઇએ કે, સહકારી કાયદાની કલમ 86 અંતર્ગત તપાસ ચાલી રહી હતી. ત્યારે બોગસ કંપનીઓ બનાવીને નાણાકીય ગેરરીતિ આચર્યા મામલે પોલીસે વિપુલ ચૌધરીની ધરપકડ કરી છે. વિપુલ ચૌધરી પર 17 બોગસ કંપનીઓ બનાવી રૂ. 320 કરોડ ટ્રાન્સફર કર્યાનો આરોપ લાગ્યો છે.
- Advertisement -
મહેસાણા ACB પોલીસ મથકે ફરિયાદ બાદ વિપુલ ચૌધરી અને CAની કરાઈ ધરપકડ
આ મામલે મહેસાણા ACB પોલીસ મથકે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ત્યારે આ ફરિયાદ બાદ વિપુલ ચૌધરી અને તેમના CAની ધરપકડ કરાઈ છે. જોકે વિપુલ ચૌધરીના પુત્રની પણ આ મામલે સંડોવણી ખુલી શકે તેવી શક્યતા છે.
વિપુલ ચૌધરીની ધરપકડ થતા રાજકીય સમીકરણ બદલાયું
જોકે હવે વિપુલ ચૌધરીની ધરપકડના પગલે મહેસાણામાં રાજકારણ ગરમાયુ છે. નાણાંકીય ગોટાળામાં વિપુલ ચૌધરીની ધરપકડ થતા રાજકીય સમીકરણ બદલાયું. મહત્વનું છે કે, અર્બુદા સેના બનાવી વિપુલ ચૌધરી સંગઠન મજબૂત કરવાનો પ્રયાસ કરી રહ્યાં હતા. ત્યારે હવે વિપુલ ચૌધરીની ધરપકડને પગલે અર્બુદા સેના સંગઠનની શું ભૂમિકા રહેશે તે જોવાનું રહ્યું. અગાઉ પણ વિપુલ ચૌધરીને જેલ હવાલે કરાયા હતા. ત્યારે હવે વિધાનસભાની ચૂંટણી ટાણે વિપુલ ચૌધરીની વધુ એક વખત ધરપકડ કરાઈ છે. આથી, ઉત્તર ગુજરાતના રાજકારણમાં કેટલો ફેર પડશે તે તો હવે આવનારો સમય જ બતાવશે.