ખાસ ખબર સંવાદદાતા
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને ઘર્મપત્નિ અંજલીબેન રૂપાણીએ લાડકવાયા પુત્ર ઋષભના લગ્ન પ્રસંગની શરૂઆત પુજિત ટ્રસ્ટના સ્ટ્રીટ ચિલ્ડ્રન ઓપન હાઉસ પ્રોજેક્ટના લાભાર્થી બાળકોને ભાવતું ભોજન જમાડીને કરી હતી.
- Advertisement -
આ પ્રોજેક્ટમાં કચરો વીણતાં, ઝૂંપડપટ્ટીમાં રહેતા અને છેવાડાના વિસ્તારમાં રહેતા બાળકોનો સમાવેશ થાય છે. બાળકોને સારું શિક્ષણ મળે તેવા પ્રયાસો પણ આ પ્રોજેક્ટ હેઠળ કરવામાં આવે છે. ત્યારે રૂપાણી પરિવારના આ કાર્યથી ભાવતું ભોજન કરીને બાળકોમાં ખુશી છવાય ગઈ હતી. તેમજ બાળકોને ભરપેટ જમાડીને શુભ પ્રસંગની શરૂઆત કરતાં બાળકોને જમતા જોઈને રૂપાણી દંપતિ પણ આનંદથી ગદગદ્ થઈ ગયા હતા. આ ભોજન સમારોહમાં ઋષભ રૂપાણી, અદિતિ માંડવીયા, રાધિકા મિશ્રા, નિમિત્ત મિશ્રા અને માંડવીયા પરિવાર ઉપસ્થિત રહ્યા હતા.