પ્રશ્નોના નિકાલ માટે હવે મેયર કચેરીના દ્વાર ખુલ્લા
મુશ્કેલીઓનો સત્વરે નિકાલ લાવવા મેયરનો ઐતિહાસિક નિર્ણય
- Advertisement -
બુધ, ગુરૂ અને શુક્રવારે નાગરિકો કરી શકશે રૂબરૂ રજૂઆત
ખાસ ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકાના નવનિયુક્ત મેયર ડૉ. નેહલ શુક્લ દ્વારા પદભાર સંભાળતાની સાથે જ શહેરીજનોના હિતમાં એક ખૂબ જ મહત્વનો અને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. મહાનગરપાલિકાના વહીવટી તંત્રને વધુ પારદર્શક, કાર્યક્ષમ અ
- Advertisement -

ને લોકોની સાવ નજીક લઈ જવાના સ્પષ્ટ હેતુથી મેયર હવે અઠવાડિયામાં ત્રણ દિવસ જાતે જ લોકોની ફરિયાદો અને પ્રશ્નો સાંભળશે. સામાન્ય નાગરિકોને પોતાની સ્થાનિક સમસ્યાઓ કે રજૂઆતો માટે કચેરીઓના ધક્કા ન ખાવા પડે અને તેમની મુશ્કેલીઓનો સત્વરે નિકાલ આવે તે માટે નવનિયુક્ત મેયરે આ પ્રજાલક્ષી અભિગમ અપનાવ્યો છે.
નવા આયોજન અનુસાર, શહેરીજનો પોતાની વિવિધ સમસ્યાઓ અને રજૂઆતો લઈને દર અઠવાડિયે બુધવાર, ગુરુવાર અને શુક્રવારે મેયરનો રૂબરૂ સંપર્ક કરી શકશે. ડૉ. નેહલ શુક્લના આ નિર્ણયથી સામાન્ય જનતા અને સત્તાધીશો વચ્ચે સીધો સંવાદ સ્થાપિત થશે. આ તકે મેયરે જણાવ્યું હતું કે, શાસન ત્યારે જ સફળ ગણાય જ્યારે સામાન્યમાં સામાન્ય માણસનો અવાજ પણ સત્તા સુધી સીધો પહોંચે. વહીવટમાં સંપૂર્ણ પારદર્શિતા લાવવા અને લોકોની સમસ્યાઓનો ત્વરિત નિકાલ કરવા માટે પોતે જ સપ્તાહમાં ત્રણ દિવસ જનતાની વચ્ચે બેસશે.
પદભાર સંભાળતાની સાથે જ લેવાયેલા આ મોટા નિર્ણયથી સ્થાનિક સ્તરે ભારે હકારાત્મક પ્રત્યાઘાતો પડ્યા છે. આ સાથે જ મેયરે મહાનગરપાલિકાના વિવિધ વિભાગના અધિકારીઓને પણ કડક તાકીદ કરી છે કે, જનતા તરફથી મળતી ફરિયાદો પર સત્વરે યોગ્ય પગલાં લેવામાં આવે અને પ્રશ્નોના ઉકેલમાં કોઈ પણ પ્રકારની બેદરકારી ચલાવી લેવામાં આવશે નહીં. મેયરના આ નવતર પ્રજાલક્ષી અભિગમને કારણે રાજકોટના નાગરિકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અને લોકો આ નિર્ણયને વ્યાપક આવકાર આપી રહ્યા છે.



