વેપાર એ માત્ર નફો નહીં સામાજિક જવાબદારી: છેતરપિંડી કરનાર વેપારીઓ સામે લાલ આંખ
₹50 લાખ સુધીના વિવાદો માટે જિલ્લા કમિશનમાં ન્યાય: વકીલ વગર પણ કરી શકાય છે રજૂઆત
- Advertisement -
ઓનલાઇન છેતરાયા હોવ તો ય-ઉંફલફિશિં પોર્ટલ પર કરો ફરિયાદ: હેલ્પલાઇન 14444 પણ કાર્યરત
ભારતમાં વર્ષો સુધી ગ્રાહકો ભેળસેળ, નબળી ગુણવત્તાવાળી વસ્તુઓ, અને છેતરપિંડીયુક્ત જાહેરાતોનો શિકાર બનતા રહ્યા હતા. આ પરિસ્થિતિને રોકવા માટે 1986માં પ્રથમવાર એક વ્યાપક કાયદો લવાયો હતો. જોકે, બદલાતા સમય અને ઈ-કોમર્સના આગમન સાથે જૂના કાયદામાં સુધારાની જરૂરિયાત જણાઈ, પરિણામે 2019નો નવો કાયદો અસ્તિત્વમાં આવ્યો. ગ્રાહક તરીકે જાગૃત રહેવું એ માત્ર અધિકાર જ નહીં પરંતુ એક પવિત્ર ફરજ પણ છે. ગ્રાહકે હંમેશા ખરીદી વખતે ‘પાકું બિલ’ માંગવાનો આગ્રહ રાખવો જોઈએ, કારણ કે વિવાદના સમયે આ બિલ જ કાયદાકીય પુરાવા તરીકે કામ આવે છે. વસ્તુની ગુણવત્તાની ખાતરી માટે ઈંજઈં કે હોલમાર્કિંગ જેવા પ્રમાણિત ચિહ્નો તપાસવા અનિવાર્ય છે. લોભામણી જાહેરાતોથી ભ્રમિત થયા વગર વસ્તુની સાચી જરૂરિયાત અને ગુણવત્તા ચકાસીને જ નાણાં ખર્ચવા જોઈએ.
ગ્રાહક એટલે કોણ?
ગ્રાહક સુરક્ષા ધારા મુજબ ’ગ્રાહક’ની વ્યાખ્યા ખૂબ જ સ્પષ્ટ અને વ્યાપક છે. જ્યારે કોઈ વ્યક્તિ પોતાની અંગત જરૂરિયાત માટે કિંમત ચૂકવીને અથવા અવેજની ખાતરી આપીને કોઈ વસ્તુ કે સેવા મેળવે છે, ત્યારે તે કાયદાકીય રીતે ’ગ્રાહક’ બને છે. આમાં રોકડ વ્યવહાર, ઉધાર ખરીદી કે હપ્તા પદ્ધતિનો પણ સમાવેશ થાય છે. મહત્વની વાત એ છે કે, આ વ્યાખ્યામાં ઓનલાઇન શોપિંગ, ટેલી-શોપિંગ અને ડાયરેક્ટ સેલિંગ દ્વારા ખરીદી કરનાર વ્યક્તિનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. જોકે, કાયદો સ્પષ્ટ કરે છે કે જો કોઈ વસ્તુ નફો મેળવવાના હેતુથી, વ્યાપારી ઉપયોગ માટે કે ફરીથી વેચવા માટે ખરીદવામાં આવી હોય, તો તેવી વ્યક્તિને ગ્રાહક ગણી શકાય નહીં.
કાયદા હેઠળ ગ્રાહકોના મૂળભૂત 6 અધિકારો
(1) સુરક્ષાનો અધિકાર (છશલવિં જ્ઞિં જફરયિું) : ગ્રાહકને એવી ચીજવસ્તુઓ અને સેવાઓ સામે રક્ષણ મેળવવાનો અધિકાર છે જે જીવન અને મિલકત માટે જોખમી હોય. દા.ત. ખામીયુક્ત ઇલેક્ટ્રિકલ ઉપકરણો કે નકલી દવાઓ.
(2) જાણકારી મેળવવાનો અધિકાર (છશલવિં જ્ઞિં બય ઈંક્ષરજ્ઞળિયમ) : વસ્તુની ગુણવત્તા, જથ્થો, શુદ્ધતા, ધોરણ અને કિંમત વિશે જાણકારી મેળવવાનો ગ્રાહકને હક છે. પેકેટ પર ખછઙ, એક્સપાયરી ડેટ અને ઘટકોની વિગત હોવી અનિવાર્ય છે.
(3) પસંદગીનો અધિકાર (છશલવિં જ્ઞિં ઈવજ્ઞજ્ઞતય) : ગ્રાહકને વિવિધ પ્રકારની વસ્તુઓ અને સેવાઓમાંથી સ્પર્ધાત્મક કિંમતે પોતાની પસંદગી મુજબની વસ્તુ ખરીદવાનો અધિકાર છે. કોઈ વેપારી ગ્રાહકને ચોક્કસ બ્રાન્ડ ખરીદવા દબાણ કરી શકે નહીં.
(4) રજૂઆત કરવાનો અધિકાર (છશલવિં જ્ઞિં બય ઇંયફમિ) : ગ્રાહકોના હિતોને અસર કરતી બાબતોમાં ગ્રાહકનું ધ્યાન રાખવામાં આવશે અને યોગ્ય મંચ પર તેમની રજૂઆત સાંભળવામાં આવશે તેવી ખાતરી મેળવવાનો અધિકાર છે.
(5) ફરિયાદ નિવારણનો અધિકાર (છશલવિં જ્ઞિં જયયસ છયમયિતતફહ) : અયોગ્ય વેપાર પદ્ધતિ કે ગ્રાહકોના શોષણ સામે વળતર મેળવવાનો આ અધિકાર છે. જો ગ્રાહકને નુકસાન થયું હોય, તો તે વસ્તુ બદલાવી શકે છે અથવા નાણાં પાછા મેળવી શકે છે.
(6) ગ્રાહક શિક્ષણનો અધિકાર : દરેક ગ્રાહકને પોતાના અધિકારો વિશે જાગૃત થવાનો અને જાણકારી મેળવવાનો હક છે. ’જાગો ગ્રાહક જાગો’ અભિયાન આ અધિકારનો જ એક ભાગ છે.
ગ્રાહક અદાલતોનું માળખું
(1) જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશન (જિલ્લા કક્ષા): દરેક જિલ્લામાં સ્થાપિત આ કમિશન ગ્રાહક ન્યાયતંત્રનું પ્રથમ સોપાન છે. જો ગ્રાહકે ખરીદેલી વસ્તુ કે સેવાની કિંમત અને વળતરની માંગણી ₹ 50 લાખ સુધીની હોય, તો તેની ફરિયાદ અહીં નોંધાવી શકાય છે. સ્થાનિક સ્તરે હોવાથી સામાન્ય નાગરિકો માટે અહીં પહોંચવું અને ન્યાય મેળવવો અત્યંત સરળ રહે છે.
(2) રાજ્ય ગ્રાહક તકરાર નિવારણ કમિશન (રાજ્ય કક્ષા) : રાજ્ય સ્તરે કાર્યરત આ કમિશનમાં એવી ફરિયાદો સાંભળવામાં આવે છે જેમાં દાવાની રકમ ₹ 50 લાખથી વધુ અને ₹ 2 કરોડ સુધીની હોય. આ ઉપરાંત, જો કોઈ ગ્રાહક જિલ્લા કમિશનના ચુકાદાથી અસંતુષ્ટ હોય, તો તે નિર્ધારિત સમય મર્યાદામાં રાજ્ય કમિશનમાં અપીલ કરી ન્યાયની માંગ કરી શકે છે.
(3) રાષ્ટ્રીય ગ્રાહક તકરાર નિવારણ કમિશન (રાષ્ટ્રીય કક્ષા) : આ સર્વોચ્ચ ગ્રાહક અદાલત છે જે નવી દિલ્હીમાં સ્થિત છે. અહીં ₹ 2 કરોડથી વધુની કિંમતના વિવાદો સીધા જ દાખલ કરવામાં આવે છે. આ ઉપરાંત, રાજ્ય કમિશનના આદેશો વિરુદ્ધની અપીલો પણ અહીં સાંભળવામાં આવે છે. રાષ્ટ્રીય કમિશનનો નિર્ણય ગ્રાહક સુરક્ષાના કાયદાકીય માળખામાં અંતિમ અને અત્યંત પ્રભાવશાળી ગણાય છે.
ફરિયાદ કેવી રીતે કરવી?
ગ્રાહક અદાલતમાં ફરિયાદ કરવી ખૂબ જ સરળ છે અને ફરિયાદ માટે વકીલ રોકવા પણ ફરજિયાત નથી.
સ્ટેપ-1 : ફરિયાદ કરતા પહેલા સામે પક્ષને લેખિત નોટિસ આપવી.
સ્ટેપ-2 : ફરિયાદ તૈયાર કરવી ઘટના, પક્ષોનાં નામ-સરનામાં, માંગેલું વળતર લખવું.
સ્ટેપ-3 : પુરાવા જોડવા જેમાં બિલ, વોરંટી કાર્ડ, ફોટોગ્રાફ્સ કે અન્ય દસ્તાવેજો જોડવા.
સ્ટેપ-4 : ઓનલાઇન ફરિયાદ ય-ઉંફલફિશિં પોર્ટલ (ૂૂૂ.ય-ષફલશિશિં.લજ્ઞદ.શક્ષ) કરવી.
સ્ટેપ-5 : ફરિયાદ અને પુરાવા ગ્રાહક સુરક્ષા અદાલતમાં સહી સાથે રજુ કરવાં.
હેલ્પલાઇન : 14444 અથવા 1800-11-4000 પર કોલ કરીને પણ માર્ગદર્શન મેળવી શકાય છે.
ગ્રાહક સુરક્ષાનો વિચાર માત્ર કાયદાકીય મર્યાદામાં જ નહીં, પરંતુ માનવીય નૈતિકતા અને ’સર્વજન હિતાય’ની ભાવના સૂચવે છે કે વેપાર એ માત્ર નફો કમાવાનું સાધન નથી, પણ એક સામાજિક જવાબદારી અને ટ્રસ્ટીશીપ છે. જ્યારે કોઈ વિક્રેતા ગ્રાહક સાથે છેતરપિંડી કરે છે, ત્યારે તે માત્ર આર્થિક ગુનો નથી કરતો, પરંતુ પરસ્પર વિશ્વાસના પવિત્ર તાંતણે બંધાયેલા સામાજિક માળખાને નુકસાન પહોંચાડે છે.
દાર્શનિક દૃષ્ટિએ જોઈએ તો, ગ્રાહક જાગૃતિ એ આત્મનિર્ભરતાનું પ્રથમ પગથિયું છે. ગ્રાહક સુરક્ષા એ ભૌતિકવાદ અને નૈતિકતા વચ્ચેના સંતુલનની કળા છે, જ્યાં માનવ મૂલ્યોને આર્થિક આંકડાઓ કરતાં વધુ મહત્વ આપવામાં આવે છે.



