ધારાસભ્ય જયેશ રાદડિયાનું સૌરાષ્ટ્રમાં શક્તિ પ્રદર્શન
દેશ આઝાદ થયો ત્યારથી સહકારી મંત્રાલયની માગ હતી જે 2021માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પૂર્ણ કરી : અમિત શાહ
- Advertisement -
સહકારી ક્ષેત્રનું માળખું ટોચનું, જે સમગ્ર દેશમાં લાગુ થયું છે જે વિઠ્ઠલભાઈ રાદડિયા અને વલ્લભભાઈ પટેલને આભારી: જયેશ રાદડિયા
31 માર્ચ 2025ની સ્થિતિએ બેંકનો ચોખ્ખો નફો 125 કરોડ : જયેશ રાદડિયા
ખેડૂતોનો પરસેવાનો નફો પોતાના ખિસ્સામાં આવે તેવું માળખું મોદીએ તૈયાર કર્યું : શાહ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં રેસકોર્સ ગ્રાઉન્ડમાં રાજકોટ જિલ્લાની તમામ મુખ્ય સહકારી સંસ્થાઓની સંયુક્રત વાર્ષિક સાધરણ સભા અને સહકારી મહાસંમેલન યોજાયુ હતું. આ કાર્યક્રમમાં રાજ્યના સહકારી મંત્રી જગદીશભાઇ વિશ્ર્વકર્મા, કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવીયા, દિલિપ સંઘાણી, મંત્રી કુંવરજી બાવળીયા, મંત્રી ભાનુબેન બાબરીયા, મંત્રી રાઘવજી પટેલ, રાજયસભાના સાંસદ રામભાઇ મોકરીયા સહિતના રાજકીય આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ નવરાત્રિના પહેલા નોરતે ગુજરાતની મુલાકાતે છે. આજે તેઓ રાજ્યના ત્રણ શહેરોમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે ત્યારે સવારે તેમણે સુરતમાં ઈસ્કોન મંદિરનું ભૂમિપૂજન કર્યું હતું. સુરત બાદ રાજકોટમાં 7 સહકારી સંસ્થાઓની સાધારણ સભામાં અમિત શાહ ઉપસ્થિત રહ્યા હતા. અમિત શાહ બપોરે 2 વાગ્યા બાદ હિરાસર એરપોર્ટ પર પહોંચ્યા હતા. ત્યાંથી તેઓ ચૌધરી હાઈસ્કૂલ પાસે આવેલી રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંક ખાતે પ્રતિમા લોકાર્પણ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. બાદમાં રેસકોર્સ મેદાનમાં જિલ્લા સહકારી બેંક અને અન્ય 7 સંસ્થાઓની વાર્ષિક સાધારણ સભામાં જાહેર સભાને સંબોધન કર્યું હતુ. સહકારી ક્ષેત્રનું માળખું ટોચનું, જે સમગ્ર દેશમાં લાગૂ થયું છે જે વિઠ્ઠલભાઈ રાદડિયા અને વલ્લભભાઈ પટેલને આભારી હોવાનું જયેશ રાદડિયાએ જણાવ્યું હતું. દેશ આઝાદ થયો ત્યારથી સહકારી મંત્રાલયની માગ હતી જે 2021માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પૂર્ણ કરી છે. તેમ અમિત શાહે જણાવ્યું હતું. ખાતરનો ઉપયોગ ઘટાડી જૈવિક ખેતી અપનાવવા ખેડૂતોને અપીલ કરી હતી. નરેન્દ્રભાઇ મોદીએ સહકારી ક્ષેત્રે એવું માળખનું તૈયાર કર્યું છે જેમાં ખેડૂતોના પરસેવાનો નફો પોતાના ખિસ્સામાં જાય નહીં કે કોઇ મૂડીપતિના ખિસ્સામાં જાય. આ સમગ્ર રૂટ પર સઘન સુરક્ષા બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો.
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે વિઠ્ઠલ રાદડિયાની મૂર્તિનું અનાવરણ કર્યું
જામકંડોરણામાં યોજાતી સહકારી સભા આ વખતે રાજકોટમાં યોજાતા જયેશ રાદડિયાનું મંત્રી પદ પાક્કું થઈ ગયાની ચર્ચાએ જોર પકડ્યું
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ નવરાત્રિના પહેલા નોરતે ગુજરાતની મુલાકાતે છે. આજે તેઓએ સવારે સુરતમાં ઈસ્કોન મંદિરનું ભૂમિપૂજન કર્યું હતું. સુરત બાદ રાજકોટમાં 7 સહકારી સંસ્થાઓની સાધારણ સભામાં અમિત શાહ ઉપસ્થિત રહ્યા હતા. અમિત શાહે રાજકોટ ડિસ્ટ્રીક્ટ બેન્કમાં પૂર્વ ચેરમેન વિઠ્ઠલભાઈ રાદડિયા અને વલ્લભભાઈ પટેલની મૂર્તિનું અનાવરણ કર્યું હતું. કેબિનેટમાં મંત્રી મંડળની ફેરબદલીની ચર્ચા વચ્ચે જામકંડોરણાના ધારાસભ્ય જયેશ રાદડિયાએ શક્તિ પ્રદર્શન કરતા અનેક તર્ક વિતર્ક સર્જાયા છે. દર વખતે જામકંડોરણામાં યોજાતી સહકારી સભા આ વખતે રાજકોટમાં યોજાતા જયેશ રાદડિયાનું મંત્રી પદ પાક્કું થઈ ગયાની ચર્ચાએ જોર પકડ્યું છે.



