લગ્નની લાલચ આપી શારીરિક સંબંધ બાંધવાના કેસમાં સુપ્રીમનો મહત્વનો ફેસલો
આવા કિસ્સાઓ અદાલતો પર બિનજરૂરી બોજ નાખે છે : જ્જ
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.27
- Advertisement -
સુપ્રીમ કોર્ટે સોમવારે જણાવ્યું હતું કે, જો કોઈ સહમતિથી બનેલો સંબંધ બગડી જાય કે સાથી એકબીજાથી દુર થઈ જાય તો તે અપરાધીક કાર્યવાહીની માંગનો આધાર ન બની શકે.આમ કરવુ માત્ર અદાલતો પર બિનજરૂરી બોજો નથી નાખતું બલકે આરોપીની ઓળખ પર પણ ધબ્બો લાગે છે. સુપ્રીમકોર્ટે આરોપીની વિરુદ્ધ લાગેલો રેપનો કેસ રદ કરતા ઉપરોક્ત ટિપ્પણી કરી હતી. સુપ્રીમકોર્ટે મહારાષ્ટ્રના સતારામાં જુલાઈ 2023માં લગ્નને ખોટું આશ્વાસન આપી રેપનો આરોપ લગાવવાના કેસમાં એક વ્યક્તિ સામે કરાયેલ આપરાધિક કેસ રદ કરી નાખ્યો હતો.સુપ્રીમકોર્ટની જસ્ટીસ વી.વી.નાગરત્નાની આગેવાનીવાળી એફઆઈઆરમાં નોંધાયેલા આરોપોને પણ સાચા માની લેવામાં આવે તો પણ એવું નથી લાગતુ કે ફરિયાદીની સહમતી તેની ઈચ્છા વિરુદ્ધ માત્ર વિવાહના આશ્વાસન પર લેવામાં આવી હતી.સુપ્રીમકોર્ટે જણાવ્યું હતું કે, અમારા વિચારથી આ આવો કેસ નથી, જેમાં શરૂઆતથી જ ખોટા વિવાહનો વાયદો કરવામાં આવ્યો હોય, સહમતીથી બનેલો સંબંધ બગડી જવાનો કે અંતર વધી જવું આપરાધિક કેસનો આધાર નથી બની શકતો.
બેન્ચે કહ્યું હતું કે આવું આચરણ અદાલતો પર બિનજરૂરી બોજ નાખે છે અને આરોપીની પ્રતિષ્ઠાને મોટો આઘાત પહોંચાડે છે.સુપ્રીમકોર્ટે આ ફેસલો એ અપીલ પર સંભળાવાયો હતો જેમાં આરોપીએ બોમ્બે હાઈકોર્ટના જૂન 2024ના આદેશની વિરુદ્ધ અપીલ કરી હતી. હાઈકોર્ટે સતારામાં નોંધાયેલ કેસને રદ કરવાની તેની અરજી ફગાવી હતી. બાદમાં યુવકે સુપ્રીમમાં ધા નાખી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, ખુદ મહિલાએ એ સ્વીકાર્યું હતું કે તેઓ એકબીજાને વારંવાર મળતા હતા અને પ્રેમમાં પડી ગયા હતા. તેઓ એકબીજાને વારંવાર મળતા હતા. સાથે સાથે 29 ડિસેમ્બર 2022માં મહિલાએ પોતાના પુર્વ પતિથી ‘ખુલ્લાનામા’ લઈ લીધા હતા. જે મુસ્લિમ મહિલાઓને એક તરફી તલાકનો અધિકાર દે છે. બેન્ચે જણાવ્યું હતું કે, ફરિયાદીએ લગ્નના આશ્વાસન આરોપી સાથે ફરિયાદીએ શારીરિક સંબંધ બાંધ્યા હતા, જયારે તે પહેલેથી વિવાહિત હતી. બેન્ચે કહ્યું કે મહિલાનું આરોપીના ગામમાં માહિતી આપ્યા વિના જવું તેની વ્યથિત અને અશાંત માનસિકતાને દર્શાવે છે.