વ્યાજના વિષચક્રમાં ફસાયેલા યુવાનનો આપઘાતનો પ્રયાસ
વધુ 21 લાખની પઠાણી ઉઘરાણી કરતા 9 વ્યાજખોરો સામે ફરિયાદ
ગીરવે મુકેલા દાગીના ભૂલી જવાનું કહી ધમકી આપતા તાલુકા પોલીસમાં ગુનો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટના નાના મવા રોડ ઉપર ઓમ રેસીડેન્સીમાં રહેતા અને જયપુર યુનીવર્સીટી ખાતે બીબીએનો એક્સટરનલમાં અભ્યાસ પૂર્ણ કરનાર સાગર ભાવેશભાઈ ગજ્જર ઉ.22 નામના યુવાને જયદીપ બોરીચા, જનક બોરીચા, કરણ ઉર્ફે ડેકી મેર, કુલદીપ વાઢેર, કરણ કનેરિયા, કુલદીપ જાડેજા, નીલ લોઢીયા, ડેનીશ પાબારી અને મહાવીર ધાખડા સામે વ્યાજખોરી, ધમકી સહિતની તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદમાં જણાવ્યું હતું કે 2020થી 2023 સુધીમાં મારા માતાના નામે ડીમેટ એકાઉન્ટ ખોલી ટ્રેડીંગ શરુ કર્યું હતું જેમાં જયદીપ અને જનકે 5.50 લાખ આપ્યા હતા જે રકમ હારી જતા પૈસા પૈસા આપવા પડશે સગવડ ન હોય તો માનસિક ત્રાસ આપી પૈસાની ઉઘરાણી કરતા હતા દરમિયાન કરણ પાસેથી અઢી લાખ 10 ટકે લીધા હતા તેમજ તેના મિત્ર પાસેથી 5 લાખ 10 ટકે લીધા હતા જયદીપ અને જનકને 6,99,800 ચૂકવ્યા હતા તે પછી કુલદીપ પાસેથી 4 લાખ 3 ટકે લીધા હતા તેમજ કરણ પાસેથી 4 લાખ 17ટકા વ્યાજે લીધા હતા તેને 3,58 લાખ વ્યાજ સહિત ટ્રાન્સફર કર્યા છે કરણના 4 લાખ ચુકવવા કુલદીપ પાસેથી 75 હજાર 3 ટકે લીધા હતા કુલદીપને કટકે કટકે 8 લાખ આપેલ હતા છતાં ઉઘરાણી કરતા ફાયનાન્સમાંથી 6 લાખની લોન લીધી હતી વ્યાજના દોઢ લાખ કાપી કરણએ 4.50 લાખ આપ્યા હતા બાદ મકાન ઉપર 37 લાખની લોન લઈ કરણભાઈને 11,89,800 ટ્રાન્સફર કર્યા હતા તેને વ્યાજ સહીત 25,14,800 ચૂકવ્યા હતા છતાં હજુ 1.90 લાખની ઉઘરાણી કરે છે કુલદીપ પાસેથી 9.25 લાખ લીધા છે તેને અત્યાર સુધીમાં 25,64,500 ચૂકવ્યા છે ડેકીભાઈને 3 લાખ સામે 3.60 લાખનો એક મોબાઈલ લઇ દીધો હતો તેમજ નીલ સાથે 21 લાખ રોક્યા હતા તેમાં નુકશાન થતા 13 લાખ ચૂકવી દીધા છતાં 8 લાખ માંગે છે જેથી કુલદીપ પાસેથી પ લાખ 15 ટકે લીધા હતા ડેનીસ પાસે 29 તોલા સોનાના દાગીના મુક્યા હતા અને મહાવીર પાસેથી 6 લાખ 10 ટકા વ્યાજે લીધા હતા મારૂ એકટીવા, બુલેટ, કોરા ચેક પડાવી લીધા હોય વધુ પૈસાની માંગણી કરી જો પૈસા નહી આપો તો જોયા જેવી થશે તેવી ધમકી આપતા હોવાથી ઊંઘની દવાનો ઓવરડોઝ લઈ આપઘાતનો પ્રયાસ કરતા હોસ્પીટલમાં દાખલ થયોહતો અને રજા આપ્યા બાદ ફરિયાદ નોંધાવતા પીઆઇ હરિપરા સહિતે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.



