પહલગામ હુમલા બાદ ઉરીમાં ઘૂસણખોરીનો નિષ્ફળ પ્રયાસ
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
- Advertisement -
જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં મંગળવારે પ્રવાસીઓ પર થયેલા આતંકવાદી હુમલા બાદ સેનાના જવાનોએ આજે એટલે કે બુધવારે ઉત્તર કાશ્મીરના ઉરીમાં ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો. આ દરમિયાન, એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓ માર્યા ગયા છે. બુધવારે, આતંકવાદીઓ ઉત્તર કાશ્મીરના ઉરી સેક્ટરમાં ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહ્યા હતા. જોકે, સેનાના જવાનોએ આતંકવાદીઓના આ પ્રયાસને નિષ્ફળ બનાવી દીધો છે. હાલમાં અહીં આતંકવાદીઓ અને સૈનિકો વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે.
બારામુલ્લામાં ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ, ઓપરેશન ચાલુ: સેના
ભારતીય સેનાએ જણાવ્યું હતું કે બુધવારે જમ્મુ અને કાશ્મીરના બારામુલા જિલ્લામાં નિયંત્રણ રેખા (LOC) પર ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવવામાં આવ્યો હતો. ડ પરની એક પોસ્ટમાં, ચિનાર કોપ્ર્સે જણાવ્યું હતું કે 23 એપ્રિલ 2025 ના રોજ, લગભગ 2-3 UAH આતંકવાદીઓએ બારામુલા (ઉત્તર કાશ્મીરમાં)ના ઉરી નાલ્લામાં સરજીવાનના સામાન્ય વિસ્તારમાંથી ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કર્યો હતો.