મહાદેવધામમાં પરોઢથી રાત્રિ સુધી રહીશો ઉજવણીમાં તરબોળ
ભારત શ્રધ્ધા, ભક્તિ સાથે ઉત્સવોનો દેશ : દંડક મનિષ રાડીયા, મહાઆરતીમાં ભા.જ.5.ના હોદ્દેદારોએ હાજરી આપી
- Advertisement -
જીવનનગર વિકાસ સમિતિ, રામેશ્વર મહાદેવ મંદિર સમિતિ, વોર્ડ નં. 10 જાગૃત નાગરિક મંડળ, મહિલા સત્સંગ મંડળના સંયુક્ત ઉપક્રમે રામનવમીની ભક્તિસભર ભાવપૂર્વ ઉજવણી કરવામાં આવી હતી. પરોઢથી મોડી રાત સુધી શ્રધ્ધાળુઓ ભગવાન રામની પૂજાવિધિ, પૂજા-અર્ચન સાથે ભક્તિમાં તરબોળ રહ્યા હતા. રાજકોટ મનપાના દંડક મનિષ રાડિયાએ મહાઆરતીમાં ભાગ લઈ જણાવ્યું કે ભગવાન રામની પૂજામાં સમગ્ર દેશ જોડાયો છે. મર્યાદા પુરૂષોતમ રામનું કાર્ય અનંત સાબિતી સાથે લોકો માટે માર્ગદર્શક સાબિત થયું છે. રામ રાજય સ્થાપવા સરકાર કટીબદ્ધ છે. ભગવાન રામના જીવનમાંથી લોકોને સુખ પ્રાપ્ત થાય છે. જીવનનગર સમિતિ કાર્યોને બિરદાવું છું. લોકોને જોડવાનું કામ જયંત પંડયા કરી રહ્યા છે.
મહાદેવધામમાં પુજન-અર્ચનમાં વોર્ડના નગરસેવક નિરૂભા વાઘેલા, વોર્ડના ઉપપ્રમુખ મેહુલ નથવાણી, વોર્ડ મહામંત્રી અનિરૂદ્ધ મૈયાત્રા, વિનોદરાય ભટ્ટ, અનંત ગોહેલે ભાગ લઈ રામ જન્મોત્સવની ઉજવણીમાં જોડાયા હતા. સમિતિના પ્રમુખ જયંત પંડયાએ ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત કરી દેશમાં આનંદ ઉલ્લાસથી ત્યૌહારની ઉજવણી થાય છે તેમાં ભાગીદારીનું ગૌરવ છે. ધર્મ, ઉત્સવ, ત્યૌહાર ઉજવણીથી અનેક ફાયદાઓ સમાજમાં જોવા મળે છે. દેશની એકતા, અખંડિતા, ભાતૃભાવ માટે સમિતિ કામ કરે છે. મંદિરના સહવ્યવસ્થાપક સુનિતાબેન વ્યાસ, વિનોદરાય ભટ્ટે, ભગવાન રામનો જન્મોત્સવની ઘડીમાં ધ્વજારોહણ, શણગાર, અભિષેક, સુંદરકાંડ, સત્સંગ, પ્રભાતફેરી, મહાઆરતી, દિપમાલામાં રહીશોને જોડી પ્રશંસા મેળવી હતી.
સમિતિના પ્રકાશ મનસુખભાઈ, રોમિત રાજદેવ, વિજય જોબનપુત્રા, અંકલેશ ગોહિલ, સંજય ધકાણ, અનંત ગોહેલ, વિનુ ભટ્ટ, પૂજારી પ્રવિણભાઈ ભટ્ટ, મહિલા મંડળના શોભનાબેન ભાણવડિયા, યોગિતાબેન જોબનપુત્રા, આશાબેન મજેઠીયા, સુનિતાબેન વ્યાસ, ભક્તિબેન ખખ્ખર, હર્ષાબેન પંડયા, કિર્તીબેન અંબાસણા, ગીતાબેન મહેતા, નેહા મહેતા, દિવ્યાબેન, સોનલબેન માંકડ, ભારતીબેન રાવલ, દક્ષાબેન પાઠક, જીજ્ઞાસા ભટ્ટ, રહીશોએ રામ જન્મોત્સવમાં ભાગ લઈ ધન્યતા અનુભવી હતી.