ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.15
વિદેશ મંત્રી એસ જયશંકર આજે બે દિવસની પાકિસ્તાનની મુલાકાતે જશે. આ દરમિયાન તેઓ રાજધાની ઈસ્લામાબાદમાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (જઈઘ) દેશોની સમિટમાં ભાગ લેશે. ભારત જઈઘ નો સભ્ય દેશ છે.
સમિટનું આયોજન કરી રહેલા પાકિસ્તાને ઓગસ્ટમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રણ મોકલ્યું હતું. જો કે ભારત તરફથી વડાપ્રધાનને બદલે વિદેશ મંત્રી સમિટમાં ભાગ લેશે. જયશંકર ત્યાં 24 કલાકથી ઓછો સમય વિતાવશે. આ પહેલા જયશંકરે કહ્યું હતું કે તેમની પાકિસ્તાન મુલાકાતનો હેતુ માત્ર જઈઘ બેઠકનો છે, બંને દેશો વચ્ચેના સંબંધો પર કોઈ ચર્ચા થશે નહીં.
આ સમિટમાં ભારત ઉપરાંત રશિયા અને ચીન સહિત 8 દેશોના પ્રતિનિધિઓ પણ ભાગ લેશે. આને ધ્યાનમાં રાખીને સુરક્ષાને મજબૂત કરવા ઇસ્લામાબાદમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. તેમજ સમગ્ર શહેરમાં 3 દિવસ માટે રજા જાહેર કરવામાં આવી છે.
વિદેશ મંત્રી જયશંકરની આ મુલાકાત એટલા માટે પણ ખાસ છે કારણ કે 9 વર્ષમાં પહેલીવાર કોઈ ભારતીય મંત્રી પાકિસ્તાનની મુલાકાતે છે. આ પહેલા 2015માં વડાપ્રધાન મોદી પાકિસ્તાનની મુલાકાતે ગયા હતા. ત્યારબાદ મોદી સરપ્રાઈઝ વિઝિટ પર લાહોર પહોંચ્યા હતા. તેઓ પાકિસ્તાનના પીએમ નવાઝ શરીફને મળ્યા હતા. તેમની મુલાકાત બાદ ભારતના કોઈ વડાપ્રધાન કે મંત્રી પાકિસ્તાન ગયા નથી.
- Advertisement -
2019માં જમ્મુ-કાશ્ર્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધ્યો હતો. ત્યારપછી બંને દેશો વચ્ચે કોઈ ઉચ્ચ સ્તરીય બેઠક થઈ નથી. જો કે ગયા વર્ષે પાકિસ્તાનના તત્કાલિન વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો ગોવામાં જઈઘ દેશોના વિદેશ મંત્રીઓની બેઠકમાં ભાગ લેવા ભારત આવ્યા હતા.
SOG માં ભારત, ચીન, રશિયા, પાકિસ્તાન, કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, તાજિકિસ્તાન અને ઉઝબેકિસ્તાન સામેલ છે. આ સંગઠન મધ્ય એશિયામાં શાંતિ જાળવી રાખવા અને તમામ દેશો વચ્ચે સહયોગ માટે બનાવવામાં આવ્યું છે. પાકિસ્તાન, ચીન અને રશિયા પણ તેના સભ્ય છે. જઈઘ ભારતને આતંકવાદનો મુકાબલો અને સુરક્ષા સંબંધિત મુદ્દાઓ પર તેના મંતવ્યો મજબૂત રીતે રજૂ કરવા માટે એક મજબૂત પ્લેટફોર્મ પૂરું પાડે છે.