ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટમાં ગઈકાલે ગણેશ વિસર્જન દરમિયાન ત્રંબા પાસે ત્રિવેણી સંગમમાં ગણેશ વિસર્જન કરવા માટે ઐંડા પાણીમાં જતા ત્રણ તણ ડૂબ્યા હતા જેમાં એક તણનુ મોત નીપયું હતું. જયારે અન્ય બે ને બચાવી લઇ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. તણના મોતથી ગણેશ મહોત્સવનો અવસર પરિવાર માટે માતમમાં ફેરવાયો હતો. જે સ્થળે તણો ડૂબ્યા હતા ત્યાં તત્રં દ્રારા મંજૂરી આપવામાં આવી નહતી છતાં પરિવાર સાથે વિસર્જન માટે જતા ઘટના ઘટી હતી.
બનાવની પ્રાપ્ત વિગત મુજબ ખડિયાપરામાં રહેતો પરિવાર લત્તાવાસીઓ સાથે વાજતે ગાજતે ગણેશ વિસર્જન ટેમ્પોમાં ત્રંબા નજીક નદીએ પહોંચ્યો હતો દરમિયાન 15 થી 20 જેટલા લોકો નદીના વિસર્જન માટે પાણીમાં ઉતર્યા હતા જેમાંથી લક્કી અશોકભાઈ મકવાણા (ઉ.વ.14), રાહત્પલ પ્રવીણભાઈ રાઠોડ (ઉ.વ.15) અને સૂરજ મિતેશભાઈ જાટ ઉં.વ.19)ના દૂર સુધી ઐંડા પાણીમાં જતા ડૂબવા લાગતા સાથે રહેલા લોકો બૂમો પાડવા લાગ્યા હતા દરમિયાન સ્થાનિક તરવૈયાઓની મદદથી મહામહેનતે યુવક અને બંને તણને બહાર કાઢી 108 અને ફાયરને જાણ કરતા 108 ઘટના સ્થળે પહોંચી હતી અને ત્રણેયને સારવાર માટે સીવીલ હોસ્પિટલમાં ખસેડવામા આવ્યા હતા જેમાં લક્કીને ફરજ પરના તબીબે મૃત જાહેર કરતા પરિવાર સને સાથે રહેલા લોકોમાં ગમગીની છવાઈ હતી. જયારે અન્ય ત્રણ યુવકને દાખલ કરવામાં આવ્યા હતા. મૃતક લક્કી લોધીકાના માખાવડ ગામનો છે તેના પિતા માખાવડ ગામે ખેતી કામ કરે છે, માતા હયાત નથી બે ભાઈમાં મોટો હતો અને ખડિયાપરામાં રહેતા નાના-નાની સાથે રહી ધો.9માં અભ્યાસ કરતો હતો. તણના મોતથી પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો.