વિજયભાઈ રૂપાણી, મુકેશભાઈ દોશી, ધારાસભ્યો, મૌલેશભાઈ ઉકાણીએ આરતીનો લ્હાવો લીધો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ શહેરમાં અનેક સામાજિક-સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા અનેકવિધ ગણેશોત્સવના આયોજનો ધમધમે છે ત્યારે નવા રાજકોટના વિસ્તારમાં સેવા, સંગઠન અને સુરક્ષાના મંત્ર સાથે વિવિધ સફળ પાટીદાર ઉદ્યોગપતિઓના નેજા હેઠળ કે.પી.એસ. કલબ દ્વારા આયોજિત ઉમા કા લાલ સ્પીડવેલ ચોક કા રાજા ગણપતિ મહોત્સવમાં દરરોજ બહોળી સંખ્યામાં ભાવિકોની ભીડ જામે છે. કે.પી.એસ. ક્લબ દ્વારા તા. 7થી 16 સપ્ટેમ્બર દરમિયાન ઉમા કા લાલ સ્પીડવેડ ચોક કા રાજા ગણપતિ મહોત્સવમાં દર્શનાર્થી ભાવિકો, પાટીદાર મહાનુભાવો, રાજકીય સામાજિક અગ્રણીઓ, ઉદ્યોગપતિઓ બહોળી સંખ્યામાં વિઘ્નહર્તા ગણેશજીના દર્શનાર્થે આવે છે.
નવા રાજકોટના વિકસિત વિસ્તાર સ્પીડવેડ પાર્ટી પ્લોટ પાસે શ્રીનાથજી હવેલીની બાજુમાં કે.પી.એસ. ક્લબ દ્વારા આ વર્ષે ભવ્યાતિભવ્ય ઉમા કા લાલ સ્પીડવેલ ચોક કા રાજા ગણપતિ મહોત્સવમાં તા. 9 ને સોમવારે પીજીવીસીએલના એક્ઝિ. એન્જિ. એમ. આર. માકડીયા, ફોરચ્યુન ગ્રુપના અમૃતભાઈ ડઢાણીયા, નવીનભાઈ કાલરીયા, નરેન્દ્રભાઈ ડઢાણીયા, સર્વોત્તમ ગ્રુપના પાર્થભાઈ કનેરીયા, રીકેનભાઈ વાછાણી, ક્રિષ્ના પાર્કના હરીભાઈ કણસાગરા, એન્જલ ગ્રુપના શિવલાલભાઈ આદ્રોજા, અશ્ર્વિનભાઈ આદ્રોજા, કિરીટભાઈ આદ્રોજા, રાજનભાઈ વડાલીયા સહિતના ઉદ્યોગપતિઓએ વિઘ્નહર્તાની આરતીનો લ્હાવો લીધો હતો. તા. 10 ને મંગળવારે મેયર નયનાબેન પેઢડીયા, શહેર મહિલા મોરચાના પ્રમુખ કિરણબેન માકડીયા, જ્યોતિબેન ટીલવા, શૈલેષભાઈ ચાપાણી, ભરતભાઈ ટીલવા, ગીરધરભાઈ રૈયાણી, પટેલ સ્વીટ્સના વિનુભાઈ પટેલ, શ્યામલ ગ્રુપના અમિતભાઈ ત્રાંબડીયા, શિલ્પન ગ્રુપના રાહુલભાઈ કાલરીયા, શહેર ભાજપ મંત્રી ભરતભાઈ શીંગાળા સહિતના મહેમાનોએ આરતીનો લ્હાવો લીધો હતો.
ઉમા કા લાલ કે.પી.એસ. ગણપતિ મહોત્સવમાં રાજકીય, સામાજિક અગ્રણીઓ અને ઉદ્યોગપતિઓ બહોળી સંખ્યામાં વિઘ્નહર્તા ગણેશજીના દર્શનાર્થે આવે છે. તા. 11 પૂર્વમુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, ઉમિયાધામના ચેરમેન મૌલેશભાઈ ઉકાણી, અંજલીબેન રૂપાણી, પ્રદેશ મંત્રી બીનાબેન આચાર્ય, ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, ધારાસભ્યો ડો. દર્શિતાબેન શાહ, રમેશભાઈ ટીલાળા, પ્રદેશ યુવા મોરચા પ્રમુખ પ્રશાંતભાઈ કોરાટ, કિશનભાઈ ટીલવા, ડી. એન. ફાઉન્ડ્રીના ધીરુભાઈ પટેલ સહિત રાજકીય, સામાજિક અગ્રણીઓ તેમજ ઉદ્યોગપતિઓએ આરતીનો લ્હાવો લીધો હતો.
ઉમા કા લાલ કે.પી.એસ. ગણપતિ મહોત્સવ દરરોજ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ વિવિધ સ્પર્ધાઓ યોજાય છે જેમાં શુભારંભે શનિવારે બાળકો માટે કલર કોમ્પિટિશન યોજાઈ હતી. રવિવારે સાંજે ગુણવંત ચુડાસમા, સંદીપ પ્રજાપતિ, ઉર્વશી પંડયા સહિતના લોકસાહિત્યકારોનો હસાયરો તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. તા. 13ના રોજ હકાભા ગઢવીનો હાસ્ય દરબાર, તા. 14ના રોજ આસિફ જેરસયા, પંકજ શેઠ દ્વારા પ્રસ્તુત શ્રીનાથજીની ઝાંખી, તા. 15ના રોજ બહેનો માટે આરતી ડેકોરેશન, લાડુ-રંગોળી સ્પર્ધા, તા. 16ના રોજ અંતિમ દિવસે ગણપતિ મહોત્સવના સમાપન સાથે વિઘ્ન વિનાયકનો વિસર્જન કાર્યક્રમ યોજાશે. સમગ્ર આયોજનને સફળ બનાવવા કે.પી.એસ. કલબના ચેરમેન સંદિપભાઈ માકડીયા, વાઈસ ચેરમેન બીપીનભાઈ બેરા, નરેન્દ્રભાઈ ઘેટીયા, એમ.ડી. પ્રફુલભાઈ કાથરોટીયા, સેક્રેટરી દિનેશભાઈ ચાપાણી, બોર્ડ ઓફ ડાયરેકટર જીજ્ઞેશભાઈ આદ્રોજા, વિજયભાઈ ડઢાણીયા, ડો. કલ્પેશભાઈ ઉકાણી, અતુલભાઈ ભુત, યોગેશભાઈ કાલરીયા અને રજનીભાઈ ગોલના માર્ગદર્શન હેઠળ નાણા સમિતિના યોગેશ કાલરીયા, ચંદુ ગોવાણી, મનીષભાઈ કાલરીયા, જીજ્ઞેભાઈ કલોલા, ભુપતભાઈ ઘોડાસરા સહિતના સભ્યો જહેમત ઉઠાવી રહ્યા છે.