ખાસ-ખબર ન્યૂઝ ગીરગઢડા, તા.17
16 દબાણદારો દ્વારા દબાણ કરવામાં આવેલ 90 લાખની કિંમતની આશરે 40,500 ચો.મી. જમીન ખુલ્લી કરવામાં આવી. ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં વિવિધ સ્થળોએ દબાણ દૂર કરવાની કામગીરી સતત કરવામાં આવી રહી છે. જે અંતર્ગત આજે ગીરગઢડા તાલુકાના જૂના ઉગલા ગામે ગૌચરની જમીન ઉપર આશરે 10 વર્ષથી દબાણ કરેલી જમીન ખુલ્લી કરવામાં આવી હતી.
- Advertisement -
જિલ્લા કલેકટરના માર્ગદર્શન હેઠળ ગ્રામ પંચાયત દ્વારા આ દબાણ દૂર કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.જિલ્લા વહીવટી તંત્ર દ્વારા દબાણ હટાવ કામગીરી અંતર્ગત આજરોજ ગૌચરની જમીન પર 16 કબજેદારો દ્વારા દબાણ કરવામાં આવેલી આશરે રૂ.90 લાખ કિંમતની કુલ 40,500 ચોરસ મીટરની જમીન ખુલ્લી કરવામાં આવી હતી.ઉલ્લેખનીય છે કે, જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આવતીકાલે પણ બાકી રહેલું દબાણ ખુલ્લું કરવાની કામગીરી ચાલું રાખવામાં આવનાર છે.