ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.22
શ્રીરામકૃષ્ણ આશ્રમ દ્વારા રવિવાર, તા. 21 જુલાઇના રોજ ગુરુ પૂર્ણિમા ઉત્સવની ઉજવણી કરવામાં આવી. આશ્રમમાં સૌપ્રથમ સવારે મંગલ આરતી બાદ વૈદિક પાઠ અને સ્તોત્ર પાઠ કરવામાં આવ્યા. ત્યારબાદ ભગવાન શ્રીરામકૃષ્ણદેવની વિશેષ ષોડશોપચાર પૂજા અને હોમ કરવામાં આવ્યો તથા ભક્તજનો દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી. વહેલી સવારથી દૂર દૂરથી ભક્તો દર્શન માટે ઉમટી પડ્યા હતા.
- Advertisement -
આ નિમિત્તે આશ્રમના અધ્યક્ષ સ્વામી નિખિલેશ્વરાનંદજી મહારાજે ’ગુરુ મહિમા’ વિષય પર પ્રવચન આપ્યું. આ પવિત્ર દિવસે આશ્રમમાં બહોળી સંખ્યામાં ભક્તજનોએ ભોજન-પ્રસાદ ગ્રહણ કર્યો. સાંજે શ્રીરામકૃષ્ણ-નામ સંકીર્તન તથા વિશેષ ભજનોનું આયોજન કરવામાં આવ્યું હતું.