જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહના માર્ગદર્શન હેઠળ કડક પગલાં
સરકારી હોસ્પિટલમાં કાયદાનો સખ્ત અમલ: તબીબ પર હુમલાખોરોને મળી યથાયોગ્ય સજા
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર, તા.26
પોરબંદરની સરકારી ભાવસિંહજી હોસ્પિટલમાં તબીબ પર હુમલો કરનારા અસામાજિક તત્વોને પોલીસ દ્વારા કાયદાનું ભાન કરાવવામાં આવ્યું છે. પોરબંદરના સરકારી હોસ્પિટલના સિવિલ સર્જન ડોક્ટર અનિરુદ્ધ તિવારીએ જણાવ્યું કે ગઈકાલે રાત્રે 12:00 કલાકે ચાર લોકો ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં આવ્યા હતા. ઇજાગ્રસ્તો અને તેમના સાથીઓએ તબીબ અને સ્ટાફ સાથે ગેરવર્તન કરી અને ડોક્ટર ભરત તાવરી પર હુમલો કર્યો હતો.આ મામલે કમલાબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા, પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી.
વધુમાં પોરબંદરના જીલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ, કમલાબાગ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી. આરોપી સાગર ઉર્ફે ચિરાગ રમેશ સાદીયા, શરદ દિનેશ રાઠોડ અને અન્ય અજાણ્યા શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસે તેમને હોસ્પિટલમાં ફરી લઈ જઈને, ત્યાંના સ્ટાફ અને ડોક્ટરની સામે કાન પકડાવી ભૂલ થઈ ગઈ હવે આ પ્રકારનું વર્તન ફરી પાછું નહીં કરીએ અમને માફ કરો કહી માફી મંગાવી. ડોક્ટર ભરત તાવરીએ જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજા તથા અધિકારીઓ અને પોલીસ સ્ટાફનો આભાર માન્યો અને કહ્યું કે હવે આવી ઘટનાઓથી ડોક્ટર્સ અને સ્ટાફને રાહત મળશે. આ કિસ્સાએ એક સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે અસામાજિક તત્વોને કાયદાનો ભય હોવો જોઈએ, અને તબીબો તથા સ્ટાફની સુરક્ષા માટે પોલીસ તત્પર છે. ડો.ભરત તાવરીએ પોલીસ અધિકારીઓનો આભાર માનતા જણાવ્યું કે, “આ પ્રકારની તાકીદે અને કડક કાર્યવાહી અમારી સલામતી માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.