સ્થાનિક મહિલા પોલીસ અને મુંબઇ NGOએ એક સગીરા સહિત બે છોકરીઓને મુક્ત કરાવી.
વડોદરાની જયશ્રી ચાવડા અને રાજકોટના પ્રભુદાસ કક્કડ બે હજારમાં ગ્રાહક શોધી આપતાં અને ભોગ બનનાર યુવતીને પાંચસો આપતા’તા.
- Advertisement -
ગોરખધંધા માટે હોટલ ‘પાર્ક-ઈન’ કુખ્યાત
સદર બજાર ચોકીથી 100 મીટર અને પ્ર.નગર પોલીસ સ્ટેશનથી 600થી 700 મીટરના અંતરમાં આવેલી હોટલ પાર્ક ઈન ગોરખધંધા માટે ફેમસ છે. આ હોટલમાં છેલ્લા ઘણાં સમયથી દેહવ્યાપારની પ્રવૃત્તિઓ પોલીસની મીઠી નજર હેઠળ ચાલી રહી છે.
રાજકોટમાં બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળેલી દેહવ્યાપારની પ્રવૃત્તિઓ
શહેરના બસ સ્ટેન્ડ, લીમડા ચોક, સદર બજાર વિસ્તારમાં આવેલી હોટલો અને અનેક પોશ વિસ્તારમાં આવેલા ફલેટોમાં બિલાડીના ટોપની જેમ દેહવ્યાપારનાં અડ્ડા ફૂટી નીકળ્યાં છે. વ્હોટસઅપ જેવા ડીજીટલ માધ્યમથી છોકરીઓ બુક કરાવી દેહવ્યાપારની પ્રવૃત્તિઓ
માટે ચાલે છે.
ખાસ-ખબર સંવાદદાતા
મુંબઈના એનજીઓને બાતમી મળી હતી કે રાજકોટનો પ્રભુદાસ ઉર્ફે દાસભાઈ ચંદુભાઈ કક્કડ આંતરરાજ્યની છોકરીઓને સદર બજારમાં આવેલી હોટલ પાર્ક ઈનમાં રાખી દેહવ્યાપારનો ધંધો કરાવી રહ્યો છે. જેથી મુંબઇ એનજીઓએ સ્થાનિક મહિલા પોલીસને સાથે રાખી આ હોટલમાં દરોડા પાડ્યા હતા. જેમાં એક સગીરા સહિત બે છોકરીઓને આ દેહવ્યાપારની કાળી દુનિયામાંથી મુક્ત કરાવી હતી. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું કે વડોદરાની જયશ્રીબેન ચાવડા અને રાજકોટનો પ્રભુદાસ કક્કડ બે હજાર રૂપિયામાં ગ્રાહકો શોધી લાવતા હતા અને ભોગ બનનાર યુવતીને રૂા. 500 આપતા હતાં.
- Advertisement -
આ બનાવ અંગે સુત્રોમાંથી જાણવા મળતી વિગત મુજબ ઉત્તરપ્રદેશનો પુરુષ અને 17 વર્ષની સગીરા રાજકોટમાં સદર બજાર વિસ્તારમાં આવેલી પાર્ક ઇન હોટલમાં હોવાની બાતમીના મુંબઈ એનજીઓની ટીમ અને મહિલા પોલીસ મથકની ટીમે દરોડો પડ્યો હતો. દરોડા દરમિયાન હોટલના રૂમ નં. 405માંથી સગીરા મળી આવતાં મહિલા પોલીસે જીલ્લા બાળ સુરક્ષા અધિકારીને જાણ કરતાં તેઓ ઘટના સ્થળે પહોંચી બાળકીની પૂછપરછ કરતાં તેણીએ પોતાનું નામ દુર્ગેશ બાબુલાલ શર્મા હોવાનું જણાવ્યું હતું અને તેને સંતોષકુમાર નામનો શખ્સ છેલ્લાં અઢી મહિનાથી આ હોટલના રૂમમાં બંધક બનાવી રાખી હતી જેથી સંતોષ અંગે તપાસ કરતાં તે હાલમાં મથુરા ગયેલ હોવાની હકીકત બહાર આવી હતી જેથી બાળ સુરક્ષા અધિકારી અને એનજીઓની ટીમે આ બાળકીને કાઉન્સેલીંગ માટે સ્પેશ્યલ હોમ ફોર ગર્લ્સમાં રાખી હતી. જ્યારે રૂમ નં. 102માં ચેક કરતાં નઝમા જિયાત શેખ (રહે. મુંબઈ) નામની છોકરી મળી આવી હતી. તેની પ્રાથમિક પૂછપરછ કરતાં તેણે જણાવ્યું હતું કે પ્રભુદાસ ઉર્ફે દાસભાઈ ચંદુભાઈ કકક્ડ (રહે. રાજકોટ) અને જયશ્રીબેન મનવીરભાઈ ચાવડા (રહે. વડોદરા) આ બંને 2000 રૂપિયામાં ગ્રાહકો શોધી લાવતા હતા અને નઝમા પાસે દેહવ્યાપારનો ધંધો કરાવી તેને ગ્રાહક દીઠ 500 રૂપિયા આપતા હતા. જેથી પોલીસે જયશ્રીબેન મનવીરભાઈ ચાવડા અને પ્રભુભાઈ ઉર્ફે દાસભાઈ કક્કડ વિરૂદ્ધ ઇમમોરલ ટ્રાફિક પ્રીવેન્સન 1956ની કલમ 3, 4, 5 મુજબ ગુનો દાખલ કરી આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.



